SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ [ ૪૭ ] तज्जायसंसट्टचरए, अण्णायचरए, मोणचरए, दिट्ठलाभिएअदिट्ठलाभिए, पुट्ठलाभिए, अपुट्ठलाभिए, भिक्खलाभिए, अभिक्खलाभिए, अण्णगिलायएओवणिहिए, परिमियपिंडवाइए, सुद्धेसणिए, संखादत्तिए । से तं भिक्खायरिया । ભાવાર્થ - પ્રશ્ન- ભિક્ષાચર્યાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– ભિક્ષાચર્યાના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે- (૧) દ્રવ્ય અભિગ્રહચરક (૨) ક્ષેત્રાભિગ્રહચરક (૩) કાલાભિગ્રહચરક (૪) ભાવાભિગ્રહચરક (૫) ઉસ્લિપ્તચરક (૬) નિક્ષિપ્તચરક (૭) ઉસ્લિપ્તનિક્ષિપ્તચરક (૮) નિક્ષિપ્ત ઉસ્લિપ્તચરક (૯) વર્લેમાનચરક (૧૦) સહીયમાણચરક (૧૧) ઉપનીતચરક (૧૨) અપનીતચરક (૧૩) ઉપનીત અપનીતચરક (૧૪) અપનીત ઉપનીતચરક (૧૫) સંસૃષ્ટચરક (૧૬) અસંસૃષ્ટચરક (૧૭) તજાતસંસૃષ્ટચરક (૧૮) અજ્ઞાતચરક (૧૯) મૌનચરક (૨૦) દષ્ટલાભિક (ર૧) અદષ્ટલાભિક (રર) પૃષ્ઠલાભિક (૨૩) અપૃષ્ઠલાભિક (ર૪) ભિક્ષાલાભિક (૨૫) અભિક્ષાલાભિક (ર૬) અન્નગ્લાયક (૨૭) ઔપનિહિત (૨૮) પરિમિતપિંડપાતિક (૨૯) શુદ્ધષણિક (૩૦) સંખ્યાદત્તિક. આ ભિક્ષાચર્યાનું સ્વરૂપ છે. વિવેચન : વિવિધ પ્રકારના અભિગ્રહપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવાને ભિક્ષાચર્યા તપ કહે છે અને આ તપનું આચરણ કરનારા મુનિ અભિગ્રહચરક કહેવાય છે. સૂત્રકારે આ તપના ભેદની ચોક્કસ સંખ્યાનું કથન કર્યું નથી, તેના અનેક પ્રકાર કહીને ત્રીસ અભિગ્રહધારી મુનિઓનું કથન કર્યું છે. જેમ કે(૧) દ્રવ્યાભિગ્રહ ચરક - દ્રવ્યની સંખ્યા અને તેના નામ સંબંધી અભિગ્રહ ધારણ કરવો અર્થાત્ ખાવાપીવાની અમુક ચોક્કસ વસ્તુઓ ભિક્ષામાં મળશે તો જ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૨) ક્ષેત્રાભિગ્રહ ચરક :- ગામ, નગર આદિ ચોક્કસ ક્ષેત્ર વિભાગમાંથી જે ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનાર મુનિ. (૩) કાલાભિગ્રહ ચરક :- પહેલા પ્રહરમાં, બીજા પ્રહરમાં, આ રીતે દિવસના નિશ્ચિત સમયમાં જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૪) ભાવાભિગ્રહ ચરક - ભાવની પ્રધાનતાથી અભિગ્રહ ધારણ કરનાર. જેમ કે અમુક સ્ત્રી, પુરુષ, બાળક વગેરે હસતા, રડતા, ગીતો ગાતા આદિ કોઈ પણ પ્રકારની ક્રિયા કરતા હોય તેના હાથે જ ભિક્ષા ગ્રહણ કરીશ, એવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૫) ઉત્સિત ચરક - વાસણમાંથી આહાર બહાર કાઢી રહેલી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. () નિશિત ચરક - વાસણની અંદર આહાર નાખી રહેલી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૭) ઉત્સિત નિશિત ચરક - આહારને એક વાસણમાંથી કાઢીને બીજા વાસણમાં નાંખી રહેલી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ.
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy