________________
શ્રી વિવાઈસૂત્ર
હાથ અને સાધ્વીને માટે ૯૬ હાથ વસ્ત્ર રાખવાની ધારણા પ્રચલિત છે. તે મર્યાદાને ઘટાડવી તે વસ્ત્ર ઊણોદરી છે.
અહીં સૂત્રકારે વત્યે, જે પાપ શબ્દ પ્રયોગ કર્યો છે. તેમાં જે શબ્દ એક સંખ્યાવાચી નથી પરંતુ પ્રકારવાચી છે, તેવું પ્રતીત થાય છે. એક પાત્ર રાખે તો જ પાત્ર ઊણોદરી થાય તેમ અર્થ કરવો ઉચિત નથી જણાતો. સાધુની કલ્પ મર્યાદા ચાર પાત્ર રાખવાની છે. તેમાં ત્રણ કે બે પાત્ર રાખે તો પણ પાત્ર ઊણોદરી થઈ શકે છે. તે જ રીતે વસ્ત્રમાં સમજવું.
૩) વિયોવIRબાફણયા - ત્યક્તોપકરણ સ્વદનતા - ત્યાગેલા ઉપકરણોનો સ્વીકાર કરવો. તેના બે અર્થ થાય છે– (૧) ગૃહસ્થોએ ઉપયોગ કરી, છોડી દીધેલા ઉપકરણો. (૨) અન્ય શ્રમણોએ ઉપયોગ કરીને છોડી દીધેલા. અહીં પ્રથમ અર્થ પ્રાસંગિક છે કારણ કે દરેક સાધુઓ પોતાની ઉપધિનો પૂર્ણ રીતે ઉપયોગ કરે છે. તેથી સાધુ દ્વારા વ્યક્ત ઉપકરણ તો પરઠવાને યોગ્ય જ હોય, અન્યથા તે ત્યક્ત થતું નથી. ભક્તપાન દ્રવ્ય ઊણોદરી - ૩ર કવલ પ્રમાણ આહારને પ્રમાણોપેત ભોજન કહે છે. તેમાંથી એક કવલ પણ ઓછો લેવો તેને ઊણોદરી કહે છે. તેનાં પાંચ ભેદ છે– (૧) અલ્પાહાર- આઠ કવલ પ્રમાણ આહાર લેવો. (૨) અવઠું-અપાર્ધ ઊણોદરી- બાર કવલ પ્રમાણ આહાર લેવો. (૩) અદ્ધ ઊણોદરી- સોળ કવલ પ્રમાણ આહાર લેવો (૪) ચતુર્થાશ ઊણોદરી– ચોવીસ કવલ પ્રમાણ આહાર લેવો અર્થાત્ ત્રણ ભાગ આહાર લેવો અને એક ભાગનો ત્યાગ કરવો. (૫) કિંચિત્ ઊણોદરી- ૩૧ કવલ પ્રમાણ આહાર લેવો. (૨) ભાવ ઊણોદરી - કષાયોની માત્રાને અલ્પ કરવી, તે ભાવ ઊણોદરી છે. તેના અનેક ભેદ છે– ક્રોધ, માન, માયા, લોભને અલ્પ કરવા, કષાયાદિના આવેશોને ઘટાડવા, અલ્પ શબ્દો બોલવા, કષાયને વશ થઈને ન બોલવું, કષાયને ઉપશાંત કરવા, તે ભાવ ઊણોદરી છે.
શ્રી ઉત્તરાધ્યયન સત્રમાં ઉણોદરી તપના ચાર ભેદ કર્યા છે– (૧) દ્રવ્ય ઉણોદરી- પોતાના ભોજનમાંથી કંઈક ન્યુન આહાર કરવો. (૨) ક્ષેત્ર ઉણોદરી- ક્ષેત્ર સંબંધી મર્યાદા નિશ્ચિત કરવી. સાધુને ગોચરી યોગ્ય ક્ષેત્રના વિભાગ કરી કોઈ પણ એક ક્ષેત્રમાંથી ભિક્ષા લેવાનો અભિગ્રહ કરવો. તે ક્ષેત્રમાંથી જે આહાર મળે તે જ ગ્રહણ કરવો. (૩) કાલ ઉણોદરી– દિવસના ચાર પ્રહરમાંથી અમુક પ્રહર સંબંધી મર્યાદા નિશ્ચિત કરવી. નિશ્ચિત કરેલા સમયે જ ગૌચરી માટે જવું અને તે સમયે જે આહાર મળે તે ગ્રહણ કરવો. (૪) ભાવ ઉણોદરી–ભાવની પ્રધાનતાથી અભિગ્રહ કરવો. જેમકે અમુક પોષાક પહેરેલી, હસતી, રડતી, વિશેષ પ્રકારના હાવભાવ યુક્ત વ્યક્તિ પાસેથી ભિક્ષા લેવી.
સંક્ષેપમાં વિવિધ પ્રકારના અભિગ્રહ અથવા સંકલ્પપૂર્વક આહાર-પાણી, વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોની મર્યાદા ઘટાડવી અને કષાયોને ઉપશાંત કરવા તે ઉણોદરી તપ છે. (૩) બાહાતપઃ ભિક્ષાચર્યા - |३८ से किं तं भिक्खायरिया ? भिक्खायरिया अणेगविहा पण्णत्ता, तं जहादव्वा- भिग्गहचरए, खेत्ताभिग्गहचरए, कालाभिग्गहचरए, भावाभिग्गहचरए, उक्खित्त-चरए, णिक्खित्तचरए, उक्खित्तणिक्खित्तचरए, णिक्खित्तउक्खित्तचरए,वट्टिज्जमाणचरए, साहरिज्जमाण- चरए, उवणीयचरए, अवणीयचरए, उवणीयअवणीयचरए, अवणीयउवणीय- चरए, संसट्ठचरए, असंसट्ठचरए,