________________
| વિભાગ-૧: સમવસરણ
૪ ૫
|
ઉપકરણને તેના પાસેથી ગ્રહણ કરવા. આ ઉપકરણ દ્રવ્ય ઊણોદરીનું સ્વરૂપ છે. | ३६ से किं तं भत्तपाणदव्वोमोयरिया ? भत्तपाणदव्योमोयरिया अणेगविहा पण्णत्ता, तं जहा- अट्ठ कवले आहारं आहारेमाणे अप्पाहारे, दुवालस कवले आहारं आहारेमाणे अवड्डोमोयरिया, सोलस कवले आहारं आहारेमाणे दुभागपत्तोमोयरिया, चउवीसं कवले आहारं आहारेमाणे चउभाग पत्तोमोयरिया, एक्कतीसं कवले आहारं आहारेमाणे किंचूणोमोयरिया, बत्तीसंकवले आहारं आहारेमाणे पमाणपत्ता, एत्तो एगेण वि घासेणं ऊणयं आहारमाहारेमाणे समणे णिग्गंथे णो पकामरसभोइत्ति वत्तव्वं सिया । से तं भत्तपाणदव्वोमोयरिया । से तंदव्वोमोयरिया । ભાવાર્થ - પ્રશ્ન– ભક્તપાન દ્રવ્ય ઊણોદરીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભક્તપાન દ્રવ્ય ઊણોદરીના અનેક ભેદ છે. તે આ પ્રમાણે છે- (૧) આઠ કવલ ભોજન કરવું, તે અલ્પાહાર ઊણોદરી છે. (૨) બાર કવલ ભોજન લેવું, તે અપાÁ–અર્ધાથી ઓછી ઊણોદરી છે. (૩) સોળ કવલ ભોજન લેવું, તે અર્ધ ઊણોદરી છે. (૪) ચોવીસ કવલ ભોજન લેવું, તે ચતુર્થાશ–ચોથો ભાગ ઊણોદરી છે. (૫) ૩૧ કવલ ભોજન લેવું, તે કિંચિત જૂન ઊણોદરી છે. ૩ર કવલ આહાર કરનાર પૂર્ણ આહારી છે. તેનાથી એક કવલ પણ ઓછો આહાર કરનાર શ્રમણ નિગ્રંથ પ્રકામભોજી–ભરપેટ ખાનાર કહેવાતો નથી અર્થાતુ તે ઊણોદરી તપ કરનાર છે. આ ભક્તપાન દ્રવ્ય ઊણોદરીનું સ્વરૂપ છે અને આ દ્રવ્ય ઊણોદરીનું સ્વરૂપ છે. |३७ से किं तं भावोमोयरिया ? भावोमोयरिया अणेगविहा पण्णत्ता,तं जहा- अप्पकोहे, अप्पमाणे, अप्पमाए, अप्पलोहे, अप्पसद्दे, अप्पझंझे। सेतंभावोमोयरिया, सेतं ओमोयरिया। ભાવાર્થ – પ્રશ્ર– ભાવ ઊણોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ભાવ ઊણોદરીના અનેક પ્રકાર છે. જેમ કે અલ્પ ક્રોધ, અલ્પ માન, અલ્પ માયા, અલ્પ લોભ, અલ્પ શબ્દ = અલ્પ ભાષણ અથવા ક્રોધ આદિના આવેશમાં થતી શબ્દ પ્રવૃત્તિનો ત્યાગ. અલ્પ ઝંઝ–કલહ ઉત્પાદક વચન આદિનો ત્યાગ. આ ભાવ ઊણોદરી છે. આ ઊણોદરી તપનું સ્વરૂપ છે. વિવેચન :ઊણોદરી-અવમોદરિકા – ભોજન આદિનું પરિમાણ અને ક્રોધાદિ આવેશોને ઓછા કરવા, તેને ઊણોદરી તપ કહે છે. તેના બે ભેદ છે– દ્રવ્ય ઊણોદરી અને ભાવ ઊણોદરી. ૧) દ્રવ્ય ઊણોદરી :- દ્રવ્ય અર્થાત ભોજન વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોના પરિમાણને ઘટાડવામાં આવે, તેને દ્રવ્ય ઊણોદરી કહે છે. તેના પણ બે ભેદ છે– (૧) ઉપકરણ ઊણોદરી (૨) ભક્તપાન ઊણોદરી. ઉપકરણ ઊણોદરી :- તેના ત્રણ ભેદ છે. ૧. પાત્ર ઊણોદરી :- શાસ્ત્રમાં સાધુ-સાધ્વીને મર્યાદિત પાત્ર રાખવાનું વિધાન છે, તેમાં ચાર પાત્ર રાખવાની પરંપરા વિશેષ પ્રચલિત છે. તેનાથી ઓછા પાત્ર રાખવા, તે પાત્ર ઊણોદરી છે. સાધુ-સાધ્વીને માટીના, કાષ્ટના અને તુંબીના તે ત્રણ જાતિના પાત્ર રાખવાનું વિધાન છે. તેમાંથી કોઈપણ એક જાતિના પાત્ર રાખવા, તે પણ પાત્ર ઊણોદરી છે. ૨. વસ્ત્ર ઊણોદરી - શાસ્ત્રમાં સાધુ-સાધ્વીને મર્યાદિત વસ્ત્ર રાખવાનું વિધાન છે. તેમાં સાધુને માટે ૭૨