________________
શ્રી વિવાઈસૂત્ર
અંતિમવિધિ થાય છે. (૨) જે અનશનમાં મૃત્યુ પછી મૃતદેહની અંતિમ સંસ્કાર વિધિ થતી નથી, તેને અનિહરિમ કહે છે. ગામની બહાર, વનમાં, જંગલમાં, પર્વત ઉપર કે તેવા કોઈ નિર્જન સ્થાનમાં અનશન સ્વીકારનાર સાધુના મૃત્યુ પછી તેના મૃતદેહનોનિહર–અન્યત્ર લઈ જઈને અંતિમવિધિ કરવામાં આવતી નથી. તેથી તેને અનિરિમ કહે છે. તે સાધુના મૃતદેહનું ત્યાં જ વ્યુત્સર્જન કરવામાં આવે છે. ભક્ત પ્રત્યાખ્યાન, ઇગિતમરણ અને પાદપોપગમન તે ત્રણે ય પ્રકારના અનશન નિહરિમ અને અનિહરિમ બંને પ્રકારના હોય છે.
આ સર્વ પ્રકારના મરણમાં આહારનો ત્યાગ અવશ્ય હોય છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં ત્રણ કે ચાર આહારનો અને ઈગિતમરણ અને પાદપોપગમન મરણમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે. અનશન ગ્રહણ વિધિઃ- પોતાની આયુ મર્યાદાનો કોઈ સંકેત થઈ જાય અથવા ગુરુ ભગવંતોના અનુભવ દ્વારા જાણવામાં આવે ત્યારે સાધક પોતાની શક્તિ અને સામર્થ્યનો વિચાર કરીને ત્રણમાંથી કોઈપણ એક અનશનનો સ્વીકાર કરે; તેમાં ગુરુ સમીપે જઈને સ્વીકૃત વ્રત-નિયમોમાં લાગેલા દોષોની આલોચના પ્રતિક્રમણ કરીને તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી, વ્રતોની શુદ્ધિ કરે, જગતના સર્વ જીવો સાથે ક્ષમાયાચના તેમજ સર્વ જીવો પ્રતિ પૂર્ણ મૈત્રી ભાવ સ્થાપિત કરે, નજીકના સ્થાનમાં સ્થડિલભૂમિની પ્રતિલેખના કરે, પોતાના આવશ્યક ઉપકરણો અને સ્થાન વગેરેની મર્યાદા નિશ્ચિત કરે; ત્યાર પછી આસન કે ઘાસ વગેરે પાથરીને પ્રતિલેખન પ્રમાર્જન કરી તેના પર સ્થિત થાય, બેસે; ત્યાર પછી વિધિ સહિત ગુરુવંદનપૂર્વક ગુરુમુખે અથવા સ્વતઃ ત્રણ કે ચાર પ્રકારના આહાર, શરીર અને અઢાર પાપોના ત્રણ કરણ ત્રણ યોગે કરી પ્રત્યાખ્યાન કરે.
આ રીતે આત્મ સાધનાના લક્ષે સ્વેચ્છાથી પાપસ્થાનનો, શરીરનો અને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે મરણકાલિક અનશન તપ છે. આ તપ કોઈપણ પ્રકારના આવેશ વિના, ગંભીરતાપૂર્વક ગુરુ-વડીલની આજ્ઞા કે સ્વીકૃતિથી ગ્રહણ કરવામાં આવે છે અને તે મહાન કર્મનિર્જરાનું સાધન બને છે. (ર) બાહ્યુતપ: ઊણોદરી:
३३ से किं तं ओमोयरियाओ? ओमयरियाओ दुविहा पण्णत्ता, तंजहा-दव्योमोयरिया ય, માવોનોરિયા યT ભાવાર્થ - પ્રશ્ર– ઊણોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ઊણોદરીના બે ભેદ છે– દ્રવ્ય ઊણોદરી અને ભાવ ઊણોદરી. | ३४ से किं तं दव्वोमोयरिया ? दव्वोमोयरिया दुविहा पण्णत्ता, तं जहा- उवगरणदव्वोमोयरिया य, भत्तपाणदव्योमोयरिया य । ભાવાર્થ - પ્રશ્ન- દ્રવ્ય ઊણોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- દ્રવ્ય ઊણોદરીના બે ભેદ છે– (૧) ઉપકરણ દ્રવ્ય ઊણોદરી અને ભક્તપાન દ્રવ્ય ઊણોદરી. ३५ से किं तं उवगरणदव्योमोयरिया? उवगरणदव्योमोयरिया तिविहा पण्णत्ता, तं जहा- एगे वत्थे, एगे पाए, चियत्तोवगरणसाइज्जणया, से तं उवगरणदव्योमोयरिया । ભાવાર્થ - પ્રશ– ઉપકરણ દ્રવ્ય ઊણોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– ઉપકરણ દ્રવ્ય ઊણોદરીના ત્રણ ભેદ છે– (૧) એક પાત્ર રાખવું (૨) એક વસ્ત્ર રાખવું અને (૩) ગૃહસ્થો દ્વારા(ઉપયોગ કરીને) ત્યક્ત