SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ | ૪ ૩ | પરંતુ આગમ વર્ણિત નિરંતર છઠ અને નિરંતર અટ્ટમના વર્ણનમાં વિચારણા કરતાં દરેક છઠ અને દરેક અટ્ટમમાં છ, આઠ ભક્તના ત્યાગનો આ વ્યુત્પત્તિપરક અર્થ ઘટિત થતો નથી. ત્રીસ દિવસના અનશન માટે પણ આગમમાં સાઠ ભક્તના ભોજનનો ત્યાગ કહ્યો છે. બાસઠ કે એકસઠ ભક્તના ત્યાગનું કથન નથી. તે જ રીતે પંદર દિવસના અનશન માટે ત્રીસ ભક્ત, બે માસના અનશન માટે સાઠ ભક્તનું કથન પ્રાપ્ત થાય છે. માટે ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત આદિ ઉપવાસ, છઠ વગેરેના સંજ્ઞા વાચક નામ છે, તેમ સમજવું જોઈએ. થાવત્કથિત અનશન :- સમયની મર્યાદા વિના જીવન પર્યત એટલે મૃત્યુ પર્યત આહારનો ત્યાગ કરવો, તેને યાવન્કથિત અનશન કહે છે. તેના બે ભેદ છેપાદપોપગમન- જીવન પર્યંત ચારે પ્રકારના આહારનો તથા પોતાના શરીરના કોઈ પણ અંગોપાંગના હલનચલનનો સર્વથા ત્યાગ કરીને કપાયેલી વૃક્ષની ડાળીની જેમ તે જ સ્થિતિમાં મૃત્યુ પર્યત સ્થિર રહેવું. આત્મભાવમાં તલ્લીન રહેવું તે પાદપોપગમન અનશન છે. તેમાં કાયિક ચેષ્ટા અને બીજાની સેવાનો સંપૂર્ણ ત્યાગ હોય છે. શારીરિક બાધાઓ(મલ-મૂત્રાદિ)ના નિવારણ અર્થે વિધિપૂર્વક ગમન કરી શકે છે. ભક્ત પ્રત્યાખ્યાન- ત્રણ અથવા ચાર પ્રકારના આહારનો જીવન પર્યત ત્યાગ કરવો. તેમાં અંગોપાંગના હલનચલનની અને બીજાની સેવા લેવાની છૂટ હોય છે. શ્રી આચારાંગસૂત્રમાં યાવન્કથિત અનશનના ઇગિતમરણ સહિત ત્રણ ભેદનું કથન છે. ઇગિત મરણ– ચારે પ્રકારના આહારનો જીવન પર્યત ત્યાગ કરવો. ઇગિત એટલે ઇશારો. તેમાં હાથ-પગની ચેષ્ટાઓ દ્વારા અન્યને ઇશારો-સંકેત કરવાની છૂટ હોય છે પરંતુ બીજા પાસે સેવા લેવાનો ત્યાગ હોય છે. સૂત્રકારે બંને પ્રકારના યાવન્કથિત અનશનના બે પ્રકાર બે-બે ભેદ કર્યા છે– વાયાવ્યાઘાતિમ– ભૂકંપ, અકસ્માત વગેરે કોઈ મારણાંતિક ઉપસર્ગ આવે, આયુષ્ય પૂર્ણ થવાની અણધારી કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આત્મ સાધનાના લક્ષે અનશન સ્વીકારી લેવું તેને વ્યાઘાતિમ અથવા સકારણ અનશન કહે છે. બ્બિાવા- નિર્વાધિતમ- કોઈ પણ વિકટ પરિસ્થિતિ વિના અનુમાનથી આયુષ્યનો અંત જાણીને આત્મ સાધનાના લક્ષે અનશનનો સ્વીકાર કરવો, તે નિર્વાઘાતિમ અથવા અકારણ અનશન છે. પાદપોપગમન આદિ ત્રણે પ્રકારના અનશનના બે-બે ભેદ થાય છે– સપદિને- સપ્રતિકર્મ. પરિકર્મની અપેક્ષાએ તેના બે ભેદ છે– સપરિકર્મ અને અપરિકર્મ. (૧) જેમાં શરીરની સેવા શ્રુષા સ્વયં અથવા અન્ય પાસે કરાવી શકાય, તેને સપરિકર્મ કહે છે. અનુકૂળતા માટે હાથ-પગ હલાવવા, પડખું ફેરવવું, તેલ માલીશ કરવું કે કરાવવું વગેરે પરિકર્મ છે. ભક્ત પ્રત્યાખ્યાન અને ઇગિતમરણ સપરિકર્મ છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં શરીરની શુશ્રુષા સ્વયં કરી શકે છે અને બીજા પાસે પણ કરાવી શકે છે. ઇગિતમરણમાં શરીરની શુશ્રુષા સ્વયં કરી શકે છે પરંતુ બીજા પાસે કરાવી શકતા નથી. (૨) જેમાં શરીરની સેવા-સુશ્રુષા સ્વયં કરવાનો અને અન્ય પાસે કરાવવાનો સંપૂર્ણપણે ત્યાગ હોય, તેને અપરિકર્મ કહે છે. પાદપોપગમન મરણ અપરિકર્મ હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં મૃતદેહની અંતિમવિધિની અપેક્ષાએ પણ યાવત્કથિત અનશનના બે ભેદ કર્યા છે– હારિક- મૃતદેહની અંતિમવિધિની અપેક્ષાએ અનશનના બે ભેદ છે– નિહરિમ અને અનિહરિમ. (૧) જે અનશનમાં મૃત્યુ પછી મૃતદેહનો નિર્ધાર–અન્યત્ર લઈ જઈને અંતિમ સંસ્કાર થાય, તે નિહરિમ છે. ગામ કે ઉપાશ્રયમાં અનશન સ્વીકારનાર સાધુના મૃત્યુ પછી ગામની બહાર તેના દેહની
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy