________________
[૪૨]
શ્રી વિવાઈ સૂત્ર
|३१ से किं तं पाओवगमणे ? पाओवगमणे दुविहे पण्णत्ते, तं जहा- वाघाइमे य, णिव्वाघाइमे य, णियमा अप्पडिकम्मे । से तं पाओवगमणे । ભાવાર્થ :- પ્રશ્ન પાદપોપગમન યાવત્કથિત અનશનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- પાદપોપગમન યાવસ્કથિત અનશનના બે ભેદ છે– (૧) વ્યાઘાતિમ, (૨) નિર્વાઘાતિમ. તે નિયમા અપ્રતિકર્મ–શરીર સેવા, હલનચલનાદિ ક્રિયાથી રહિત હોય છે. આ પાદપોપગમન અનશનનું સ્વરૂપ છે. |३२ से किं तं भत्तपच्चक्खाणे? भत्तपच्चक्खाणे दुविहे पण्णत्ते, तं जहा- वाघाइमे य, णिव्वाघाइमे य, णियमा सपडिकम्मे । से तं भत्तपच्चक्खाणे, से तं अणसणे । ભાવાર્થ -પ્રશ્ન- ભક્તપ્રત્યાખ્યાન યાવત્કથિત અનશનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ભક્તપ્રત્યાખ્યાન અનશનના બે ભેદ છે– (૧) વ્યાઘાતિમ, (૨) નિર્વાઘાતિમ. તે નિયમો સપ્રતિકર્મ- શરીર સંસ્કાર, હલન-ચલનાદિ ક્રિયા સહિત હોય છે. આ ભક્તપ્રત્યાખ્યાન અનશન છે, આ અનશનતપનું સ્વરૂપ છે. વિવેચન :અનશન - અન + અશન = આહારનો ત્યાગ. આહારના ચાર પ્રકાર છે. મા- ભોજનાદિ ખાદ્ય પદાર્થો, પા-પાણી, હાફ- ફળ, મેવા, મીઠાઈ, સાફ- મુખવાસ. આ ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો, તે અનશન છે. તેના બે ભેદ છે.
ત્વરિક અનશન:- અલ્પકાલ માટે આહારનો ત્યાગ કરવો. તેના અનેક ભેદ છે. સૂત્રમાં તેના ચૌદ ભેદનું કથન પ્રમાણે છે– (૧) ઉપવાસ (૨) છઠ (૩) અટ્ટમ (૪) ચોલુ (૫) પંચોલું (૬) છકાય (૭) સાત દિવસના ઉપવાસ (૮) પંદર દિવસના ઉપવાસ (૯) માસખમણ (૧૦) બે માસના ઉપવાસ (૧૧) ત્રણ માસના ઉપવાસ (૧૨) ચાર માસના ઉપવાસ (૧૩) પાંચ માસના ઉપવાસ (૧૪) છ માસના ઉપવાસ. પ્રથમ તીર્થંકરના શાસનમાં ઇવરિક તપ ઉત્કૃષ્ટ એક વર્ષનું, મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં આઠ માસનું અને અંતિમ તીર્થંકરના શાસનમાં છ માસનું હોય છે. ભગવાન મહાવીર સ્વામીના શાસનની અપેક્ષાએ સૂત્રમાં છ માસના ઉપવાસ સુધીના ભેદનું કથન છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય.-૩૦ ગાથા–૧૦, ૧૧માં ઇવરિક અનશન તપના છ ભેદનું કથન છે. શ્રેણીતપ, અત્તરતપ, ઘનતપ, વર્ગતપ, વર્ગવર્નતપ અને પ્રકીર્ણક તપ. આ રીતે ઇ–રિક તપના ભેદ-પ્રભેદ ભિન્ન-ભિન્ન પ્રકારે થાય છે. વડન્થમ – સૂત્રકારે એક ઉપવાસ માટે “ચતુર્થભક્ત' શબ્દનો પ્રયોગ કર્યો છે. યથા
उपवासस्य संज्ञा, एवं षष्ठादिकमुपवासद्वयादेरिति ।
__ चतुर्थमेकेनोपवासेन, षष्ठं द्वाभ्यां, अष्टमं त्रिभिः ॥ ચતુર્થ ભક્ત તે એક ઉપવાસની સંજ્ઞા છે. ષષ્ઠભક્ત–વે ઉપવાસની અને અષ્ટમ ભક્ત- ત્રણ ઉપવાસની સંજ્ઞા છે. તે રીતે ક્રમશઃ આગળ સમજવું જોઈએ.
વડલ્યમત્તે શબ્દનો વ્યુત્પત્તિ પરક અર્થ ટીકા આદિમાં આ પ્રમાણે કર્યો છે– ચાર વખતના ભોજનનો ત્યાગ તે ચતુર્થભક્ત અર્થાતુ એક ઉપવાસ. તેમાં ઉપવાસના આગલા દિવસનો એક ભક્ત, ઉપવાસના દિવસના બે ભક્ત અને પારણાના દિવસનો એક ભક્ત, આ રીતે એક ઉપવાસમાં ચાર ભક્ત-ચાર વખતના ભોજનનો ત્યાગ થાય છે. તે જ રીતે છ વખતના ભોજન ત્યાગને ષષ્ઠ ભક્ત, આઠ વખતના ભોજન ત્યાગને અટ્ટમ કહે છે.