________________
| વિભાગ-૧: સમવસરણ
વિવેચન :(૧) અનશન :- ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો. (૨) ઊણોદરીતપ:-ભૂખથી ઓછું ભોજન કરવું દ્રવ્યથી અને ભાવથી ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો. (૩) ભિક્ષાચર્યા :- સંયમી જીવનોપયોગી આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે વસ્તુઓની યાચના અભિગ્રહપૂર્વક કરવી, તેને વૃત્તિસંક્ષેપ પણ કહે છે. (૪) રસપરિત્યાગ – ઘી, તેલ, દૂધ, દહીં આદિ વિગયયુક્ત આહારનો, રસાસ્વાદનો ત્યાગ કરવો. (૫) કાયકલેશઃ- દેહ દમન કરવું. વિવિધ આસનો, આતાપના આદિ કષ્ટમય અનુષ્ઠાનનો સ્વીકાર કરવો. () પ્રતિસલીનતા - પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં જતી રોકવી. (૧) બાલતપ: અનશન :| २८ से किं तं अणसणे? अणसणे दुविहे पण्णत्ते, तं जहा- इत्तरिए य, आवकहिए य । ભાવાર્થ-પ્રશ્ન-અનશનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- અનશનના બે પ્રકાર છે– (૧) ઇત્વરિક-મર્યાદિત સમય માટે આહારનો ત્યાગ, (૨) કાવત્રુથિક–જીવન પર્યત આહારનો ત્યાગ કરવો.
२९ से किं तं इत्तरिए ? इत्तरिए अणेगविहे पण्णत्ते, तं जहा- चउत्थभत्ते, छट्ठभत्ते, अट्ठमभत्ते, दसमभत्ते, बारसभत्ते, चउद्दसभत्ते, सोलसभत्ते, अद्धमासिए भत्ते, मासिए भत्ते, दोमासिए भत्ते, तेमासिए भत्ते, चउमासिए भत्ते, पंचमासिए भत्ते, छम्मासिए भत्ते । से तं રૂત્તરિણા ભાવાર્થ - પ્રશ્ન- ઇત્વરિક અનશનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઇત્વરિક અનશનના અનેક પ્રકાર છે, જેમ કે– (૧) ચતુર્થભક્ત–એક દિવસ રાતને માટે આહારનો ત્યાગ, એક ઉપવાસ, (૨) ષષ્ઠભક્ત–બે દિવસ રાત માટે આહારનો ત્યાગ–નિરંતર બે ઉપવાસ, (૩)અઠ્ઠમભક્ત–નિરંતર ત્રણ ઉપવાસ, (૪) દશમભક્ત-નિરંતર ચાર દિવસના ઉપવાસ, (૫) દ્વાદશ ભક્ત-નિરંતર પાંચ દિવસના ઉપવાસ, (૬) ચતુર્દશભક્ત-નિરંતર છ દિવસના ઉપવાસ, (૭) ષોડશભક્ત–નિરંતર સાત દિવસના ઉપવાસ, (૮) અર્ધમાસિકભક્ત-નિરંતર પંદર દિવસના ઉપવાસ, (૯) માસિકભક્ત-નિરંતર એક માસના ઉપવાસ,(૧૦) દ્વિમાસિક ભક્ત-નિરંતર બે માસના ઉપવાસ, (૧૧) ત્રિમાસિક ભક્ત-નિરંતર ત્રણ માસના ઉપવાસ, (૧૨) ચાતુર્માસિક ભક્ત-નિરંતર ચાર મહિનાના ઉપવાસ (૧૩) પાંચ માસિક ભક્ત-નિરંતર પાંચ મહિનાના ઉપવાસ, (૧૪) છમાસિક ભક્ત-નિરંતર છ મહિનાના ઉપવાસ, આ ઇત્વરિક તપના પ્રકારો જાણવા. | ३० से किं तं आवकहिए? आवकहिए दुविहे पण्णत्ते, तं जहा- पाओवगमणे य, भत्तपच्चक्खाणे य । ભાવાર્થ :- પ્રશ્ન- વાવસ્કથિત અનશનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- વાવસ્કથિત અનશનના બે પ્રકાર છે–પાદોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન.