SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦ ] શ્રી વિવાઈસૂત્ર શ્રમણો પોતાની અનુકૂળતા પ્રમાણે એક ગામથી બીજા ગામમાં વિહાર કરે છે. વિહાર કરતા શ્રમણો ગામ કે નગરમાં કેટલો કાલ સ્થિરતા કરે? તેની કાલ મર્યાદા બાને વીરડ્યા... સૂત્ર પાઠમાં બતાવી છે. શ્રમણો સામાન્ય રીતે નાના ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહી શકે છે. આ રીતે વિચરણ કરતાં કરતાં શ્રમણો સંયમી જીવનની નિર્માતા અને શાસન પ્રભાવનાનો લાભ લઈ શકે છે. શ્રી બૃહક્કલ્પ સૂત્રમાં શ્રમણોના વિહારની કલ્પમર્યાદાનું નિરૂપણ છે. તદનુસાર સાધુ શેષનાલમાં કોઈ પણ ક્ષેત્રમાં ૨૯ દિવસ અને સાધ્વીજીઓ ૫૮ દિવસ રહી શકે છે. આ બંને કથનોની વિચારણા કરતાં સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત સૂત્રોનુસાર સામાન્ય રીતે વિચરણના લક્ષે શ્રમણો ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહે છે અને બૃહત્કલ્પસૂત્ર કથિત કલ્પમર્યાદા વિશેષ પ્રસંગોનુસાર ઉત્કૃષ્ટ કાલમર્યાદા છે. આચાર્ય પૂ. ઘાસીલાલજી મ.સા. કૃત ઔપપાતિક સૂત્રમાં ના પરફયા.... સૂત્રપાઠનો અર્થ તત્કૃત ટીકામાં આ પ્રમાણે છે–પરાત્રિછા–મિ વિવરે મન IRા પ્રામમાચ્છત્તિ સ વિસ: પુન વાવ ન રાવતે તાત્પર્યન્તઃ વાત છ રાત્ર શબ્દન ઢાતે | અણગાર જે દિવસે ગામમાં આવે તે દિવસ ફરી ન આવે તેટલો કાળ અર્થાત્ અઠવાડિયાનો(સાતદિવસ) સમય “એક રાત્રિ' શબ્દથી ગ્રહણ થાય છે. સાધુ નાના ગામમાં એક રાત્રિ સુધી એટલે કે એક અઠવાડિયા સુધી રહી શકે છે. પંવરાત્રિયશ્મિ વિવરે મનર નરમચ્છન્ન સવિસ: પંરવારમું આવર્તિત: પવર/મુતે અણગાર જે દિવસે નગરમાં આવે તે દિવસ પાંચવાર આવે તેટલો કાળ અર્થાતુ ઓગણત્રીસ(૨૯) દિવસનો કાળ “ પાંચ રાત્રિ' શબ્દથી ગ્રહણ થાય છે. સાધુ માસકલ્પાનુસાર મોટા શહેરમાં પાંચ રાત્રિ સુધી એટલે કે ર૯ દિવસ સુધી રહી શકે છે. શ્રી અ.ભા. સંસ્કૃતિ રક્ષક સંઘ જોઘપુર દ્વારા પ્રકાશિત શ્રી ઔપપાતિક સૂત્રમાં પણ આ જ અર્થ ગ્રહણ કર્યો છે. ટીકાકારશ્રી અભયદેવસૂરીજીએ કરેલા આ શબ્દોના અર્થ અને તેની વિચારણા માટે જુઓ– પ્રશ્નવ્યાકરણ સૂત્ર પૃષ્ટ ૨૪૦. તપના ભેદઃ| २६ तेसिं णं भगवंताणं एएणं विहारेणं विहरमाणाणं इमे एयारूवे अभिंतरबाहिरए तवोवहाणे होत्था, तंजहा- अभितरए छव्विहे, बाहिरए वि छव्विहे । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અણગારો આ પ્રમાણે વિહાર કરતા-કરતા આવા પ્રકારના બાહ્ય અને આત્યંતર તપના આચારનું પાલન કરતા હતા. આત્યંતર તપના છ પ્રકાર છે અને બાહ્ય તપના પણ છ પ્રકાર છે. બાહુતપ:| २७ से किं तं बाहिरए ? बाहिरए छव्विहे पण्णत्ते, तं जहा- अणसणे, ओमोयरिया, भिक्खायरिया, रसपरिच्चाए, कायकिलेसे, पडिसंलीणया । ભાવાર્થ - પ્રશ્ર– હે ભગવન્! બાહ્ય તપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- બાહ્ય તપના છ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) અનશન (૨) ઊણોદરી (૩) ભિક્ષાચર્યા (૪) રસપરિત્યાગ (૫) કાયકલેશ (૬) પ્રતિસલીનતા.
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy