SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ वा, अण्णयरे वा दीहकालसंजोगे। भावओ-कोहे वा माणे वा मायाए वा लोहे वा भए वा हासे વી / પર્વ તેસિUT મવડું I] ते णं भगवंतो वासावासवज्जं अट्ठ गिम्ह-हेमंतियाणि मासाणि गामे एगराइया, णयरे पंचराइया, वासीचंदणसमाणकप्पा, समलेठु कंचणा, समसुह-दुक्खा, इहलोग-परलोगअप्पडिबद्धा, संसारपारगामी, कम्मणिग्घायणट्ठाए अब्भुट्टिया विहरति । ભાવાર્થ:- તે અણગારો કોઈપણ વિષયમાં પ્રતિબંધ-આસક્તિ રહિત હતા. તેિ પ્રતિબંધના ચાર પ્રકાર છે. યથા- દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ. તે અણગારોને દ્રવ્યની અપેક્ષાએ- સચિત્ત, અચિત્ત અને મિશ્રદ્રવ્યમાં આસક્તિ નહતી. ક્ષેત્રની અપેક્ષાએ ગામ, નગર, જંગલ, ખેતર, ધાન્યના ખળા, ઘર, આંગણામાં આસક્તિ નહતી. કાળની અપેક્ષાએ – સમય, અસંખ્યાત સમયરૂપ આવલિકા, સંખ્યાત આવલિકારૂપ આનપ્રાણ, સાત આનપ્રાણરૂપ સ્તોક, સાત સ્તોકરૂપ લવ, ૭૭ લવ રૂપ મુહૂર્ત, ૩૦ મુહૂર્તરૂપ અહોરાત્ર, પંદર અહોરાત્ર રૂપ પક્ષ, બે પક્ષરૂપ માસ, છ માસરૂપ અયન, બે અયનરૂપ વર્ષ આદિ દીર્ઘકાલીન સમયમાં આસક્તિ ન હતી અર્થાત્ કાલથી બંધાઈન જતા. ભાવની અપેક્ષાએ ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય વગેરેમાં તે મુનિઓને કોઈપણ પ્રકારનો પ્રતિબંધ ન હતો અર્થાત્ કષાયાદીન બની મુનિધર્મ ભૂલી ન જતા.] તે અણગારો ઉનાળાના તથા શિયાળાના આઠ માસ સુધી નાના ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ સુધી સ્થિરતા કરતા હતા. વાસીચંદનસમાનકલ્પા- પોતાને કાપનાર કુહાડાને પણ સુવાસિત કરનાર ચંદનની જેમ અપકારીજનો પ્રતિ ઉપકાર કરનારા અથવા અપકારી અને ઉપકારી બંને પ્રત્યે સમાનભાવ રાખનાર હતા. તેઓ માટીનાં ઢેફાને તથા સુવર્ણને સમાન માનતા હતા અને સુખ અને દુઃખમાં સમાન ભાવ રાખતા હતા. આ લોક અને પરલોક સંબંધી સુખોમાં અનાસક્ત અને અપ્રતિબદ્ધ હતા. ભવરૂપી સમુદ્રને પાર કરનારા, સમસ્ત કર્મોની નિર્જરાના લક્ષ્ય તપ અને સંયમથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન મહાવીર સ્વામીના અણગારોના ગુણોના માધ્યમે શ્રમણોની જીવનચર્યાને સ્પષ્ટતાપૂર્વક સમજાવી છે. શ્રમણોનો સમગ્ર પુરુષાર્થ રાગદ્વેષાદિ કલુષિત ભાવોથી વિરામ પામી આત્મસ્વરૂપમાં સ્થિર થવા માટે હોય છે. તેઓ સાંસારિક સંબંધોથી, તેની આસક્તિથી સર્વથા મુક્ત થઈને જગતના સર્વ જીવો સાથે મૈત્રીભાવપૂર્વકનો વ્યવહાર કરે છે. તેથી તેની પ્રત્યેક પ્રવૃત્તિમાં કોઈ પણ જીવોની આંશિક પણ વિરાધના ન થાય તે જ તેનું લક્ષ્ય હોય છે. સાધુ જીવનના પ્રત્યેક નિયમોના પાલનનું આ જ પ્રયોજન હોય છે. બં પડિ - વિશ્વ ભારતી લાડનુંથી પ્રકાશિત શ્રી ઔપપાતિકસૂત્રમાં આ પાઠને કૌંસમાં રાખી તેના વિષયમાં ટિપ્પણમાં કહ્યું છે કે આ પાઠ વ્યાખ્યાંશ હોય તેમ પ્રતીત થાય છે. તેને અનુસરીને પ્રસ્તુતમાં પણ આ પાઠમાં કૌંસમાં રાખ્યો છે. માને પરણ્યા પાયરે પંરાફડ્યા – શ્રમણો માટે ગ્રામાનુગ્રામ વિહારનું વિધાન છે. તેમાં શ્રમણો ચાતુર્માસના ચાર માસ સુધી કોઈ પણ એક સ્થાનમાં સ્થિર રહે છે. તે સિવાયના શેષકાલના આઠ માસમાં
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy