SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ ૨૫ ] લટકતી લાંબી માળાઓ કંપિત થઈને તેની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી હતી. રાજા ખૂબજ આદરપૂર્વક ઉત્સાહિત બનીને સિંહાસન પરથી ઊભા થયા અને બાજોઠ પર પગ રાખીને નીચે ઉતર્યા અને બંને પગમાંથી નિપુણ શિલ્પીઓ દ્વારા વૈર્ય, શ્રેષ્ઠ અરિષ્ટ, અંજન, મણિરત્નોથી જડિત પાદુકાઓ કાઢીને, ખગ, છત્ર, મુકુટ, પાદુકાઓ અને ચામર, આ પાંચ રાજચિહ્નોનો પરિત્યાગ કરીને એક અખંડ વસ્ત્રનું ઉત્તરાસંગ કર્યું અર્થાત્ ઉત્તરીયવસ્ત્ર યતના માટે મુખ ઉપર ધારણ કર્યું. તેઓ પવિત્ર, અતિ સ્વચ્છ અને શદ્ધ થઈ. બંને હાથનો અંજલિપુટ કરીને જે દિશામાં તીર્થકર ભગવાન બિરાજમાન હતા તે દિશામાં સાત આઠ પગલાં આગળ જઈને ડાબો ઢીચણ ઊભો રાખીને, જમણા ઢીંચણને જમીન ઉપર ઢાળીને પોતાના મસ્તકને ત્રણવાર જમીન પર નમાવ્યું પછી મુખને થોડું ઊંચું કરીને કંકણ અને બાજુબંધથી યુક્ત ભુજાઓને ફેલાવતા હાથ ઊંચા કરીને વાવતું મસ્તક પર અંજલીરૂપે સ્થાપીને આ પ્રમાણે બોલ્યા– વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન મહાવીર સ્વામીનું ચંપાનગરીમાં પદાર્પણ થયું, તે સમાચાર સંદેશવાહકોએ કોણિક રાજાને આપ્યા, ત્યારે કોણિક રાજાને થયેલા હર્ષાતિરેકનું વર્ણન છે. સંદેશવાહકોની સ્નાનવિધિમાં પ્રયુક્ત વયનિવમે આદિ શબ્દ પ્રયોગ વિચારણીય છે. યોનિને – કુતબલિકર્મ, કૌતુક, મંગલ આદિ કર્યા. આગમોમાં કેટલાક સ્થાને સ્નાન ક્રિયા પછીની ક્રિયા સૂચિત કરવા ઉપરોકત શબ્દોનો પ્રયોગ થયો હોય તેમ જોવા મળે છે. વૃત્તિકારે તેનો અર્થ સૂતં સ્વગ્રાહતેવતાનાં વેન તથા.... પોતાના કુળ દેવતાને નૈવેદ્ય વગેરે ધરવું તે બલિકર્મ છે. દુઃસ્વપ્નાદિ દોષ નિવારણ માટે, નજર ન લાગે માટે મષીનું તિલક વગેરે કરવા તે કૌતુક કર્મ અને દહીં અક્ષત, કુમકુમ આદિથી મંગલકર્મ કરે છે. ત્યાર પછી યથા યોગ્ય વસ્ત્ર પરિધાન કરે છે. સાંસારિક વ્યવહારોમાં પણ કેટલાક ગૃહસ્થો સ્નાન કર્યા પછી તુરંત જ ભીના શરીરે પોતાના કુળ દેવતાને વંદન-નમસ્કાર તથા દીવાદિ કરે છે. દાન-પુણ્યની કેટલીક પ્રવૃત્તિ કરે છે અને ત્યાર પછી વસ્ત્ર પરિધાન કરીને સાંસારિક પ્રવૃત્તિઓમાં જોડાય છે. આ પ્રકારનો વ્યવહાર અનેક સ્થળે જોવા મળે છે. તેના અનુસંધાનમાં યવસિને એવોડ પાછિને શબ્દ પ્રયોગ પ્રાયઃ પ્રતોમાં મળે છે. આગમોમાં જ્યાં જ્યાં સ્નાનવિધિનું વિસ્તૃત વર્ણન છે ત્યાં તેલ માલિશ, ઉબટન, સુખદ જલથી સ્નાનવિધિ અને ત્યારપછી વસ્ત્ર પરિધાનનું વર્ણન આવે છે, ત્યાં બલિકર્મનું વિધાન નથી. જેમ કે સૂત્ર-૯૪માં કોણિક રાજાની સ્નાનવિધિનું વર્ણન છે. તે ઉપરાંત જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર વક્ષ.-૩માં ભરત ચક્રવર્તીની, જ્ઞાતાસૂત્ર અધ્ય.–૯માં મલ્લિ ભગવતીની, અધ્ય.૧માં દ્રૌપદીની સ્નાનવિધિનું વર્ણન છે. ત્યાં કયાંય બલિકર્મ વગેરે શબ્દોનો પ્રયોગ નથી. જો બલિકર્મ, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત; સ્નાનવિધિ પછીના કૃત્ય હોય, તો સ્નાનના વિસ્તૃત વર્ણનમાં દરેક સ્થાને તે શબ્દોનો પ્રયોગ હોવો જોઈએ, પરંતુ આગમોમાં તે પ્રમાણે પાઠ નથી. માટે સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત યુવનિવમે આદિ શબ્દો સમગ્ર સ્નાનવિધિને સૂચિત કરતો સંક્ષિપ્ત પાઠ છે. જે કયારેક સિગ્નેના સ્થાને યવનિમે થયું હોય તેવી પણ સંભાવના છે. તેમ સમજતાં વિસ્તૃત સ્નાનવિધિની સમાન સંક્ષિપ્ત સ્નાનવિધિ પણ ચર્ચિત બલિકર્મ આદિ ક્રિયાઓ વિના જ પૂર્ણ થઈ જાય છે. ઉપરોક્ત વિવિધ વિચારણાઓના અનુસંધાને સૂત્રમાં જયહિતવને આદિ શબ્દો કૌંસમાં રાખીને કોણિક રાજાના વિસ્તૃત સ્નાન વિધિવાળા પાઠના આધારે સંક્ષિપ્ત પાઠ સંપાદિત કર્યો છે.
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy