________________
| વિભાગ-૧: સમવસરણ
આંગળીઓ દશ વીંટીઓથી શોભાયમાન હતી, તેઓ ચૂડામણિ ચિહના ધારક, સ્વરૂપવાન, વિમાન અને પરિવાર રૂપ મહાદ્ધિ સંપન્ન, વિશિષ્ટ શરીર અને આભૂષણોની પ્રભા રૂપ મહાદ્યુતિ સંપન્ન, વિશિષ્ટ શક્તિરૂપ બલ સંપન્ન, ચોતરફ ફેલાયેલી કીર્તિથી મહાયશ સંપન્ન, વિશિષ્ટ સુખના સ્વામી હોવાથી મહાસૌખ્ય સંપન્ન અને અચિંત્ય પ્રભાવશાળી હોવાથી મહાભાગ્યવાન હતા.
તેમનું વક્ષ:સ્થળ હારથી શોભાયમાન હતું, ભૂજાઓ કટક–વલય અને બાજુબંધથી શોભિત હતી. તેમણે ગાલ ઉપર ઘસાતા અર્થાત્ ગાલ સુધી પહોંચે તેટલા લાંબા અંગદ, કુંડળને અને વિશિષ્ટ કોટિના અન્ય કર્ણ આભૂષણોને ધારણ કર્યા હતા. તેઓએ વિવિધ પ્રકારના વસ્ત્રો તથા આભરણોને, વિવિધ પ્રકારના પુષ્પોથી ગૂંથેલી માળાઓને ધારણ કરી હતી. તેઓના મસ્તક પર મુગટ શોભી રહ્યા હતા.
તેમનું શરીર કલ્યાણકારી અને કિંમતી વિશિષ્ટ વસ્ત્રો, માળા અને વિલેપનોથી સુસજ્જિત અને વિશિષ્ટ આભાયુક્ત હતું, તેમણે ઘૂંટણ સુધી લટકતી લાંબી વનમાળા કંઠમાં ધારણ કરી હતી.
તે દેવો દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય રૂ૫, દિવ્ય સ્પર્શ, દિવ્ય શરીર, દિવ્ય સંસ્થાન (આકૃતિ), દિવ્ય ઋદ્ધિ, ધૃતિ, શરીરની દીપ્તિ રૂપ પ્રભા, શોભા, રત્નાદિના તેજ, તેજલબ્ધિજન્ય પ્રભાવ અને દિવ્ય વેશ્યા શરીરની દિવ્ય કાંતિ વડે દશે દિશાઓને પ્રકાશિત કરતાં(શોભાવતાં) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવીને, આનંદિત થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર જમણી તરફથી પ્રારંભ કરીને પ્રદક્ષિણાપૂર્વક, બંને હાથને અંજલિબદ્ધ કરીને ભક્તિપૂર્વક વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને પોત-પોતાના નામ-ગોત્રનું કથન કર્યું. ત્યાર પછી ન અતિ નજીક ના અતિ દૂર, સેવા શુશ્રુષા કરતાં, નમસ્કાર કરતાં, ભગવાનની સન્મુખ વિનયપૂર્વક બંને હાથ જોડીને ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા.
८० तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे असुरिंद-वज्जिया भवणवासी देवा अंतियं पाउब्भवित्था-णागपइणो, सुवण्णा, विज्जू, अग्गी दीक्उदही, दिसाकुमारा, पवण, थणिया, भवणवासी; णागफडा-गरुङवइस् पुण्णकलस सीहहय गय मगस्मउङवद्धमाणणिज्जुत्त विचित्तचिंधगया, सुरूवा, महिड्डिया जावपज्जुवासंति। ભાવાર્થ:- તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે અસુરેન્દ્ર તથા અસુરકુમાર દેવોને છોડીને ઘણા(શેષ નવનિકાય) ભવનપતિ દેવો (૧) નાગકુમાર, (૨) સુવર્ણકુમાર, (૩) વિધુતકુમાર, (૪) અગ્નિકુમાર, (૫) દ્વીપકુમાર, (૬) ઉદધિકુમાર, (૭) દિશાકુમાર, (૮) પવનકુમાર તથા (૯) સ્વનિતકુમાર જાતિના (નવનિકાયના) દેવો પ્રગટ થયા. તેઓના મુગટ અનુક્રમે (૧) નાગફેણ, (૨) ગરુડ, (૩) વજ, (૪) પૂર્ણ કળશ, (૫) સિંહ, (૬) અશ્વ, (૭) હાથી, (૮) મગર, (૯) વર્ધમાનક સરાવલાના ચિહ્નોથી ચિતિત હતા. તે દેવો સ્વરૂપવાન, મહાદ્ધિવાન હતા યાવતું ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ભગવાન મહાવીર સ્વામીના સાંનિધ્યમાં પ્રગટ થયેલા ભવનપતિ દેવોની ઋદ્ધિ, ધૃતિ આદિનું નિરૂપણ છે.
સં સિન્નિધપુbપસારું :- તેમના વસ્ત્રો શિલીન્દ્ર પુષ્પ જેવા વર્ણવાળા તથા ધુતિયુક્ત હતા. વૃત્તિકાર શ્રી અભયદેવ સૂરિએ ક્ષત્મિતાનીત્યર્થ તેના વસ્ત્રો કંઈક સફેદ હતા તે પ્રમાણે અર્થ કર્યો છે. વૃત્તિકારે મતાન્તરનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે સુસુ હૈંતિ રd tત મતાન્તરમુમતાન્તરે અસુરકુમારના