________________
૮૦ ]
શ્રી વિવાઈસૂત્ર
વસ્ત્રો લાલ હોય છે. પરંપરા અનુસાર અસુરકુમારના વસ્ત્રો લાલ હોય છે. જો તેમના વસ્ત્રો લાલ હોય તો શિલીન્દ્ર પુષ્પની ઉપમા ઘટિત થતી નથી. કેટલાક વિદ્વાનો તેનું સમાધાન આ રીતે કરે છે કે તેમના વસ્ત્રો શિલીન્દ્ર પુષ્પની સમાન કંઈક લાલિમાયુક્ત સફેદ હતા. વમળ :- વર્ધમાનક એટલે કોડીયાનું સંપુટ. સ્વનિતકુમાર જાતિના દેવનું ચિહ્ન વર્ધમાનક છે. દેવોના સૂત્રોક્ત તે ચિન્હો તેઓના મુગુટમાં હોય છે. સૂત્ર ૮રમાં અસુરકુમારનું અને સૂત્ર ૮૩માં શેષ નવનિકાય જાતિના ભવનપતિ દેવોના ચિહ્નોનું કથન છે. નિબે સંયાણM:- દિવ્ય સંઘાત–શરીર રચના. નારકી અને દેવો અસંઘયણી હોય છે અર્થાત્ તેઓને હાડકાની મજબૂતાઈ રૂપ સંઘયણ હોતું નથી. પ્રસ્તુતમાં સંઘાત શબ્દનો અર્થ શરીરની રચના, થાય છે. દેવો દિવ્યશરીર રચનાથી યુક્ત હોય છે. વ્યંતર દેવો દ્વારા પર્યપાસના:८१ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे वाणमंतरा देवा अंतियं પાડmવિસ્થ- પિલાયમૂયા, નરહલા, વિંછાનિંગુલિ મુપફળો, મહાયા, गंधव्वणिकायगणा णिउणगंधव्वगीयरइणो, अणवण्णिय पणवण्णिय इसिवाइयभूयवाइय कंदियमहाकंदियकुहंङपयंगदेवा;
चंचलचवलचित्तकीलणदवप्पिया, गंभीरहसियभणियपीयगीयणच्चणरई, वणमाला मेलमउकुंडलसच्छंदविउव्वियाहरण चारुविभूसणधरा सव्वोउयसुरभिकुसुमसुरइयपलंब सोभंतकंतवियसंतचित्त वणमालरइयवच्छा;
कामगमा, कामरूवधारी, णाणाविह-वण्णराग-वरवत्थचित्तचिल्लय-णियंसणा विविहदेसीणेवच्छगहियवेसा, पमुइयकंदप्पकलहकेली-कोलाहलप्पिया, हासबोलबहुला, अणेगमणिरयण विविहणिज्जुत्तविचित्तचिंधगया, सुरुवा, महिड्डिया जावपज्जुवासंति। ભાવાર્થ:- તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે ઘણા વ્યંતર દેવો પ્રગટ થયા. યથા– (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિંન્નર, (૬) ડિંપુરુષ, (૭) ભુજગપતિ અને મહાકાય, આ બે મહોરગ જાતિના દેવોના પર્યાય નામ છે (૮) ગંધર્વ-નિપુણતાપૂર્વક ગાન(નાટક સહિતના ગીત) અને અન્ય ગીતોમાં અનુરક્ત દેવો. (૯) અણપત્રિક, (૧૦) પાણપત્રિક, (૧૧) ઋષિવાદિત, (૧૨) ભૂતવાદિત, (૧૩) કંદિત, (૧૪) મહાજંદિત, (૧૫) કુષ્માંડ અને (૧૬) પયંગદેવ.(અહીં ૧૬ વ્યતર જાતિના દેવોના નામ છે. નામ અનુસાર અર્થ ઘટિત થાય તેવું એકાંતે નથી.)
તે વ્યંતર દેવો અત્યંત ચંચળ ચિત્તવાળા, ક્રિીડાશીલ અને હાસ્ય પ્રિય, અન્ય લોકો તેના હાસ્યનું કારણ જાણી ન શકે તેવા ગંભીર હાસ્ય અને ગંભીર ભાષા બોલનારા હતા, તેમને ગીત અને નૃત્યમાં વિશેષ પ્રીતિ હતી. વૈક્રિયલબ્ધિથી ઇચ્છાનુસાર બનાવેલી વનમાળા-રત્નાદિમય આભરણ વિશેષ, આમેલ- પુષ્પોથી બનાવેલું આભૂષણ, મુગટ, કુંડલ તેમજ અન્ય સોહામણા આભૂષણો ધારણ કરેલા હતા. તેઓના વક્ષઃસ્થલ સર્વ ઋતુઓના સુંદર, સુગંધી પુષ્પોથી બનાવેલી લાંબી, સુંદર, વિવિધ પ્રકારની વનમાળાઓથી શોભિત હતા.
તે દેવો ઇચ્છાનુસાર ગમનાગમન કરતા, ઇચ્છાનુસાર વિવિધ રૂપો ધારણ કરતા, વિવિધ રંગના,