________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૬૭ ]
सारक्खणाणुबंधी । रुद्दस्सणं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, तं जहा- उसण्णदोसे, बहुदोसे, अण्णाणदोसे, आमरणंतदोसे । ભાવાર્થ:- રૌદ્ર ધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) હિંસાનુબંધી- હિંસાનો અનુબંધ થાય તેવી હિંસકભાવોની પરંપરા. (૨) મૃષાનુબંધી– અસત્ય ભાવોની પરંપરા અથવા અન્યને ઠગવા માટે માયા-કપટની પરંપરા. (૩) તેયાનુબંધી– ચોરીના ભાવોની પરંપરા. (૪) સંરક્ષણાનુંબંધી- ધન આદિ ભોગ-ઉપભોગના સાધનોનું રક્ષણ કરવા માટેની સતત વિચારણા, તલ્લીનતા. રૌદ્ર ધ્યાનના ચાર લક્ષણો છે તે આ પ્રમાણે છે– (૧) ઓસન્નદોષ- હિંસા આદિ મુખ્ય દોષોમાંથી કોઈ એક દોષમાં અત્યાધિક લીન રહેવું. (૨) બહુદોષ- હિંસા આદિ અનેક દોષોમાં લીન રહેવું. (૩) અજ્ઞાનદોષ કુશાસ્ત્રના સંસ્કારવશ હિંસક આદિ પાપકારી પ્રવૃત્તિમાં ધર્મ માનીને લીન રહેવું (૪) આમરણાંતદોષ- મૃત્યુ પર્યત તે પાપનો પશ્ચાતાપ ન કરવો અને તેમાં જ લીન કે પ્રવૃત્ત રહેવું.
६९ धम्मज्झाणे चउव्विहे चउप्पडोयारे पण्णत्ते, तं जहा- आणाविजए, अवायविजए, विवागविजए, संठाणविजए । धम्मस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, तं जहाआणारुई,णिसग्गरुई, उवएसरुई, सुत्तरुई । धम्मस्सणं झाणस्स चत्तारि आलंबणा पण्णत्ता, तं जहा- वायणा, पुच्छणा, परियट्टणा, धम्मकहा । धम्मस्स णं झाणस्स चत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ, तं जहा- अणिच्चाणुप्पेहा, असरणाणुप्पेहा, एगत्ताणुप्पेहा, संसाराणुप्पेहा। ભાવાર્થ - ધર્મધ્યાનના ચાર પ્રકારે ચાર ભેદ છે. તે આ પ્રમાણે છે– (૧) આજ્ઞાવિચય- જિનાજ્ઞાની વિચારણા કરવી. (૨) અપાયરિચય–અપાયનો અર્થ છે દુઃખ. સંસાર પરિભ્રમણના દુઃખોની(દુઃખના કારણોની) વિચારણા કરવી. (૩) વિપાકવિચય-વિપાકનો અર્થ છે ફળ. કર્મફળની વિચારણા કરવી. (૪) સંસ્થાનવિચયજીવના પરિભ્રમણના સ્થાનરૂપ લોક, સ્વર્ગ, નરક, આદિના આકારોનું એકાગ્રપૂર્વક ચિંતન કરવું.
ધર્મધ્યાનના ચાર લક્ષણ છે. તે આ પ્રમાણે છે– (૧) આજ્ઞારુચિ- વીતરાગ પ્રભુની આજ્ઞામાં અને તેમની પ્રરૂપણામાં હંમેશાં અભિરુચિ હોય, (૨) નિસર્ગરુચિ- અન્યના ઉપદેશ વિના સ્વભાવિક રીતે ધર્મમાં રુચિ હોય, (૩) ઉપદેશરુચિ- સાધુ પુરુષો અને જ્ઞાનીઓના ઉપદેશથી ધર્મમાં રુચિ હોય અથવા ધાર્મિક ઉપદેશ સાંભળવામાં રુચિ હોય, (૪) સૂત્રરુચિ– આગમ અધ્યયનમાં રુચિ અને શ્રદ્ધા હોય.
ધર્મધ્યાનના ચાર આલંબન છે. તે આ પ્રમાણે છે– (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરિવર્તના (૪) ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ–ભાવનાઓ છે. તે આ પ્રમાણે છે– (૧) અનિત્યાનુપ્રેક્ષાસંસારના પદાર્થોમાં અનિત્યપણાની વિચારણા. (૨) અશરણાનુપ્રેક્ષા- સંસારના પદાર્થોમાં અશરણપણાની વિચારણા. (૩) એકવાનું પ્રક્ષા- આત્માના એકત્વપણાની વિચારણા. (૪) સંસારાનુપ્રેક્ષા- સંસારના સ્વરૂપની વિચારણા કરવી.
७० सुक्कज्झाणे चउव्विहे चउप्पडोयारे पण्णत्ते । तं जहा- हुत्तवियक्के सवियारी, एगत्तवियक्के अवियारी, सुहुमकिरिए अप्पडिवाई, समुच्छिण्णकिरिए अणियट्ठी ।
सुक्कस्स णं झाणस्स चतारि लक्खणा पण्णत्ता । तं जहा- 'विवेगे, विउस्सग्गे, अव्वहे, असम्मोहे । सुक्कस्सणं झाणस्स चत्तारि आलंबणा पण्णत्ता। तं जहा- खंती, मुत्ती,