SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉવવાઈ સૂત્ર ચિંતન-મનન કરેલા તત્ત્વોના આધારે શ્રોતાઓ સમક્ષ વિસ્તારપૂર્વક ધર્મ કથા કરવી, ઉપદેશ દેવો. વિવેચનઃ સ્વાધ્યાય શબ્દના અનેક પ્રકારે અર્થ થાય છે. જેમ કે– (૧) પોતાના આત્માને હિતકારી થાય, તે રીતે અધ્યયન કરવું, તે સ્વાધ્યાય છે. (૨) આળસનો ત્યાગ કરી જ્ઞાનારાધના કરવી, તે સ્વાધ્યાય તપ છે. (૩) તત્ત્વજ્ઞાનનું પઠન-પાઠન અને પુનરાવર્તન કરવું વગેરે સ્વાધ્યાય છે. (૪) જિનપ્રણીત શાસ્ત્રોનું ભક્તિભાવથી અધ્યયન- અધ્યાપન કરવું, તે સ્વાઘ્યાય છે. તેના પાંચ પ્રકાર ભાવાર્થથી સ્પષ્ટ છે. સ્વાધ્યાય કરવાથી જ્ઞાન, વિજ્ઞાન, આચારનિષ્ઠા, શ્રદ્ધા, ભક્તિ, વૈરાગ્ય, શ્રુત સંપન્નતા, ચિત્તની એકાગ્રતા વગેરે અનેકાનેક ગુણો પ્રગટ થાય છે. સ્વાધ્યાય આત્યંતર તપ હોવાથી તે સર્વ કર્મની નિર્જરાનું કારણ બને છે અને વિશેષતઃ તેનાથી જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે. આત્યંતર તપઃ ધ્યાનઃ ६६ से किं तं झाणे ? झाणे चउव्विहे पण्णत्ते, तं जहाधम्मज्झाणे, सुक्कज्झाणे । અન્નાને, રુદ્દન્તાને, ભાવાર્થ :- પ્રશ્ન—– ધ્યાનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– ધ્યાનના ચાર ભેદ છે. તે આ પ્રમાણે છે– (૧) આર્તધ્યાન– દુઃખ નિમિત્તક એકાગ્રતા અથવા ઐહિક સુખની ઝંખનામાં એકાગ્રતા. (૨) રૌદ્રધ્યાન–હિંસાદિભાવનાઓથી અનુજિત એકાગ્રતા. (૩) ધર્મધ્યાન– ધર્મભાવનાથી ભાવિત એકાગ્રતા. (૪) શુક્લધ્યાન– આત્માની ઉન્નતિના ધ્યેયથી નિર્મળ ચિત્તની એકાગ્રતા. ६७ अट्टज्झाणे चउव्विहे पण्णत्ते । तं जहा- अमणुण्ण-संपओगसंपत्ते तस्स विप्पओगसइसमण्णागए यावि भवइ, मणुण्ण-संपओगसंपत्ते तस्स अविप्पओग सइ-समण्णागए यावि भवइ । आयंक-संपओग-संपत्ते तस्स विप्पओग सइसमण्णागए यावि भवइ, परिजूसिय-कामभोग-संपओगसंपत्ते तस्स अविप्पओग सइसमण्णागए यावि भवइ । अट्ठस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता तं जहा- कंदणया, सोयणया, તિપ્પળયા, વિવિળયા । ભાવાર્થ :- આર્તધ્યાનના ચાર પ્રકાર છે– (૧) અમનોજ્ઞવિયોગ ચિંતા– અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિનો સંયોગ થાય ત્યારે તેના વિયોગનું સતત ચિંતન કરવું (૨) મનોજ્ઞ અવિયોગચિંતા– ઇષ્ટ વસ્તુ કે વ્યક્તિનો સંયોગ થાય ત્યારે તેનો સંયોગ સતત રહે તે માટે ચિંતન કરવું (૩) આતંક–રોગ થાય તે સમયે તેને દૂર કરવા માટે સતત ચિંતન કરવું (૪) ઇચ્છિત સુખ સાધનની પ્રાપ્તિ અને સુરક્ષા માટે સતત વિચારણા કરવી, નિયાણું કરવું. આર્તધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે છે– (૧) જોરથી મોટા અવાજે રડવું, (૨) માનસિક ગ્લાનિ અને દૈન્યતાનો અનુભવ કરવો, (૩) આંસુ સારવા, (૪) વિલાપ કરવો. ६८ रुद्दज्झाणे चउव्विहे पण्णत्ते, तं जहा- હિંસાનુબંધી, મોસાળુગંધી, તેળાનુવંધી,
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy