________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૬૩ ]
ભાવાર્થ - પ્રશ્ન- કાયવિનયનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- કાયવિનયના બે પ્રકાર છે– (૧) પ્રશસ્ત કાય વિનય, (૨) અપ્રશસ્ત કાય વિનય.
६१ से किं तं अपसत्थकायविणए ? अपसत्थकायविणए सत्तविहे पण्णत्ते, तं जहाअणाउत्तं गमणे, अणाउत्तं ठाणे, अणाउत्तं णिसीदणे, अणाउत्तं तुयट्टणे, अणाउत्तं उल्लंघणे, अणाउत्तं पलंघणे, अणाउत्तं सव्विदियकायजोगजुंजणया । से तं अपसत्थकायविणए । ભાવાર્થ - પ્રશ્ન- અપ્રશસ્ત કાય વિનયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અપ્રશસ્તકાય વિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) ઉપયોગ વિના અથવા સાવધાની વિના ચાલવું. (૨) ઉપયોગ વિના કોઈપણ સ્થાનમાં ઊભા રહેવું. (૩) ઉપયોગની શુન્યતાએ બેસવું. (૪) ઉપયોગ વિના પડખા ફેરવવા. (૫) ઉપયોગ વિના કાદવ કીચડને ઓળંગવા. (૬) ઉપયોગ વિના વારંવાર ઓળંગવું, કારણ વિના કોઈ સ્થાન પર વારંવાર જવું. (૭) ઉપયોગ વિના ઇન્દ્રિયો અને શરીરને વિવિધ પ્રવૃત્તિમાં જોડવી, તેને અપ્રશસ્ત કાય વિનય કહે છે. |६२ से किं तं पसत्थकायविणए ? पसत्थकायविणए एवं चेव पसत्थं भाणियव्वं । से तं पसत्थकायविणए, से तं कायविणए । ભાવાર્થ -પ્રશ્ન- પ્રશસ્ત કાયવિનયનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- પ્રશસ્ત કાયવિનયનું સ્વરૂપ અપ્રશસ્ત કાય વિનયથી વિપરીત સમજવું અર્થાત્ ઉપરોકત પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક કરવી. |६३ से किं तं लोगोवयारविणए ? लोगोवयारविणए सत्तविहे पण्णत्ते, तं जहाअब्भासवत्तियं, परच्छंदाणुवत्तियं, कज्जहेडं, कयपडिकिरिया, अत्तगवेसणया, देसकालण्णुया, सव्वत्थेसु अप्पडिलोमया । से तं लोगोवयारविणए । से तं विणए । ભાવાર્થ – પ્રશ્ન- લોકોપચાર વિનયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- લોકોપચાર વિનયના સાત ભેદ છે. તે આ પ્રમાણે છે– (૧) ગુરુજનો અને વડીલો તેમજ સપુરુષો પાસે બેસવું. (૨) ગુરુજનો અને પૂજનીયજનોની ઇચ્છાને અનુરૂપ પ્રવૃત્તિ કરવી. (૩) વિધા આદિ પ્રાપ્ત કરવાના હેતુથી, ગુરુજનોની સેવા કરવી. (૪) ગુરુજનોના ઉપકારોને યાદ રાખીને કૃતજ્ઞતાના ભાવપૂર્વક તેમની સેવા અને પરિચર્યા કરવી. (૫) રોગથી અને વૃદ્ધાવસ્થાથી પીડિત સંયમી પુરુષોની અને ગુરુજનોની સાર સંભાળ લેવી, તેને ઔષધી અને પથ્ય આદિનું સેવન કરાવી સેવા કરવી. () દેશ તથા કાલને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવહાર કરવો. (૭) સર્વ કાર્યોમાં વિપરીત આચરણ કરવું નહીં. ગુરુજનોને અનુકૂળ આચરણ કરવું. તે લોકોપચારવિનય છે. આ વિનયનું સ્વરૂપ છે. વિવેચન :વિનય - (૧) વિશેષેખ નીચત્તે મોલોનુણ આત્મા યિત્વે ચેન સવિનય ! જે ક્રિયાથી આત્મા વિશેષપણે મોક્ષની નજીક જાય છે તે વિનય છે. (૨) જેના દ્વારા દુઃખના કારણભૂત આઠ કર્મોનું વિનયન-વિનાશ થાય, તેને વિનય કહે છે. (૩) ગુરુજનોની કે રત્નાધિકોની દેશકાલ અનુસાર સેવા-ભક્તિ અને સત્કાર-સન્માન કરવાને વિનય કહે છે. ધનસ વિશે મૂi = ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે.