________________
શ્રી ઉવવાઈ સૂત્ર
५६ से किं तं चरित्तविणए ? चरित्तविणए पंचविहे पण्णत्ते, तं जहा - सामाइयचरित्तविणए, छेदोवट्ठावणियचरित्तविणए, परिहारविसुद्धिचरित्त-विणए, सुहुमसंपरायचरित्तविणए, अहक्खायचरित्तविणए । से तं चरित्तविणए ।
૬૨
ભાવાર્થ :- પ્રશ્ન- ચારિત્ર વિનયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- ચારિત્ર વિનયના પાંચ પ્રકાર છે– (૧) સામાયિક ચારિત્ર વિનય, (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર વિનય, (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિનય, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર વિનય, (૫) યથાખ્યાત ચારિત્ર વિનય. આ ચારિત્ર વિનય છે.
५७ से किं तं मणविणए ? मणविणए दुविहे पण्णत्ते, तं जहा- पसत्थमणविणए, अपसत्थमणविणए ।
ભાવાર્થ :- પ્રશ્ન– મનોવિનયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- મનોવિનયના બે પ્રકાર છે– (૧) પ્રશસ્ત મનોવિનય (૨) અપ્રશસ્ત મનોવિનય.
५८ से किं तं अपसत्थमणविणए ? अपसत्थमणविणए जे य मणे सावज्जे, सकिरिए, સવચ્ચે, ડુ, બિટ્ટુરે, પુછ્યું, બયરે, છેવવરે, મેચવા, પરિતા વવરે, વળવરે, भूओवघाइए, तहप्पगारं मणं णो पहारेज्जा । से तं अपसत्थमणोविणए ।
ભાવાર્થ :- પ્રશ્ન– અપ્રશસ્ત મનોવિનયનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જે મન (૧) સાવધ– પાપકાર્યમાં પ્રવૃત્ત (૨) સક્રિય– આરંભાદિ ક્રિયાયુક્ત (૩) કર્કશ– પ્રેમભાવથી રહિત (૪) કટુક– અન્યને કડવા રસની જેમ ઉપદ્રવકારી (૫) નિષ્ઠુર–દયા રહિત (f) કઠોર (૭) આશ્રવકારી (૮) છેદકારી– સંયમ સમાધિનો નાશ કરનારું (૯) ભેદકારી– આત્મસમાધિનું વિઘાતક (૧૦) પરિતાપકારી– પ્રાણીઓ માટે સંતાપજનક (૧૧) ઉપદ્રવકારી– પ્રાણાન્ત કષ્ટકારી (૧૨) ભૂતોપઘાતકારી– પ્રાણીઓના પ્રાણનો નાશ કરનારી વિચારણામાં પ્રવૃત્ત હોય તે અપ્રશસ્તમન છે. તેવા પ્રકારની વિચારણા ન કરવી તે અપ્રશસ્ત મનોવિનય છે.
५९ से किं तं सत्थमणोविणए ? पसत्थमणोविणए तं चेव पसत्थं णेयव्वं । एवं चेव वइविणओ वि एएहिं पएहिं चेव णेयव्वो । से तं वइविण ।
ભાવાર્થ :- પ્રશ્ન- પ્રશસ્ત મનોવિનયનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જેવી રીતે અપ્રશસ્ત મનોવિનયનું કથન કર્યું, તેવી રીતે પ્રશસ્ત મનોવિનયનું સ્વરૂપ સમજવું. પ્રશસ્ત મન, અપ્રશસ્ત મનથી વિપરીત હોય છે. તેથી (૧) અસાવદ્ય (૨) અક્રિય (૩) અકર્કશ (૪) મધુર (૫) દયાયુક્ત (૬) કોમળ (૭) સંવરકારી (૮) અછેદકારી (૯) અભેદકારી (૧૦) અપરિતાપકારી (૧૧) અનુપદ્રવકારી (૧૨) અભૂતોપઘાતકારી. આ બાર પ્રકારની વિચારણા પ્રશસ્ત મન છે. તથાપ્રકારની વિચારણામાં મનને પ્રવૃત્ત કરવું, તે પ્રશસ્ત મનોવિનય છે. આ મનોવિનયનું સ્વરૂપ છે. આ જ રીતે પ્રશસ્ત વચન વિનય અને અપ્રશસ્ત વચન વિનયનું સ્વરૂપ સમજવું.
६० सेकं तं कायविणए ? कायविणए दुविहे पण्णत्ते, तं जहा- पसत्थकायविणए, अपसत्थ कायविणए ।