SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉવવાઈ સૂત્ર -- (૧) નિર્વિકૃતિક :– ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, સાકર આદિ વિગય રહિત આહાર લેવો. (૨) પ્રણીતરસ પરિત્યાગ ઘી, દૂધ, ચાસણી, વગેરે બલવર્ધક, રસઝરતા ભોજનનો ત્યાગ કરવો. (૩) આયંબિલ :– ભાત, ભુંજેલા ચણા આદિ વિગયરહિત આહારને પાણીથી નીરસ બનાવી દિવસમાં એકવાર ખાવો, તે આયંબિલતપ છે. ૫૦ (૪) આયામસિક્થભોજી :– ભાતના ઓસામણમાં થોડાક અન્નના કણ માત્ર આવેલા હોય તેટલો આહાર કરવો. (૫) અરસાહાર :– રસ રહિત અર્થાત્ હિંગ, જીરું આદિથી વઘાર્યા વગરનો આહાર લેવો. (૬) વિરસાહાર :– સ્વાદ વિનાનો જૂના ધાન્યમાંથી બનાવેલો આહાર લેવો. (૭) અન્નાહાર ઃ– અત્યંત હલકી જાતના અનાજમાંથી બનાવેલો આહાર લેવો. (૮) પ્રાન્તાહાર :– · ગૃહસ્થોએ ભોજન કર્યા પછી વધેલો આહાર લેવો. (૯) રુક્ષાહાર :- - લૂખો, સૂકો આહાર લેવો. (૧૦) તુચ્છાહાર :– જે આહારમાં કાંઈ સાર ન હોય, તેવો ફેંકી દેવા યોગ્ય આહાર લેવો. આ રીતે વિવિધ પ્રકારે રસનો પરિત્યાગ કરવો, તે રસપરિત્યાગ તપ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં દૂધ આદિ વિગય ત્યાગ, પ્રણીત રસત્યાગ અને સ્વાદિષ્ટ ષટ્રસયુક્ત મેવા, મિષ્ટાન્ન, ખાજા, ફરસાણ વગેરે ભોજનના ત્યાગને રસપરિત્યાગ તપ કહ્યો છે. (૫) બાહ્યતપ : કાયકલેશઃ ४० से किं तं कायकिलेसे ? कायकिलेसे अणेगविहे पण्णत्ते, तं जहा- ठाणट्ठिइए, નવ ુયાતળિ, પશ્ચિમકાર્ડ, વીરાસબિÇ, ખેતષ્ત્રિ, વંકાયા, જાડડસાર, આયાવ, अवाउडए, अकंडुयए, अणिट्ठूहए, सव्वगायपरिकम्मविभूस- विप्पमुक्के । से तं कायकिलेसे। ભાવાર્થ :- પ્રશ્ન– કાયકલેશ તપનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– કાયકલેશ તપના અનેક પ્રકાર છે. જેમ કે– (૧) સ્થાનસ્થિતિક (૨) ઉત્કટુકાસનિક (૩) પડિમાસ્થાયી (૪) વીરાસનિક (૫) નૈષધિક (૬) દંડાયતિક (૭) લકુટશાયી (૮) આતાપક (૯) અપ્રાવૃતક (૧૦) અકંડુયક (૧૧) અનિષ્ઠીવક (૧૨) સર્વગાત્ર પરિકર્મ વિભૂષા વિપ્રમુક્ત. આ કાયકલેશ તપનું સ્વરૂપ છે. વિવેચનઃ દેહના મમત્વને છોડવા માટે, નિર્જરાના લક્ષપૂર્વક શરીરને વિવિધ પ્રકારે કષ્ટ આપવું, તે કાયકલેશ તપ છે. સૂત્રકારે તેના ભેદમાં અનેક પ્રકારના આસનોનું કથન ક્યું છે. તે આસનોમાં સરળ આસન તેમજ કઠિન આસન પણ છે. કઠિન આસનો કાયક્લેશ તપ બને તે સહેજ સમજાય જાય છે અને સરળ આસનો પણ સમયાવધિની લંબાઈથી કાયક્લેશ તપરૂપ થાય છે. જેમ કે સરળથી સરળ આસને રાત્રિભર સ્થિર રહેવું હોય તો પણ કઠિન થઈ જાય છે. આ રીતે સર્વ આસનોની કાયક્લેશતા સમજી લેવી જોઈએ.
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy