________________
૧૫૮
ચારિત્રબલી :- વિશુદ્ધ ચારિત્રની શક્તિથી યુક્ત.
મીરાશ્રવી :– જેના વચન દૂધની સમાન મધુર લાગે તેવા હોય. – જેની વાણી મધથી પણ મીઠી હોય.
મધુરાશ્રવી :–
સર્પિરાશ્રવી :– જેના વચન ઘીની સમાન સ્નિગ્ધ અને સ્નેહ ભરેલ હોય.
અક્ષીણમહાનસિક :– સમાપ્ત ન થનારી ભોજનલબ્ધિ. આ લબ્ધિના ધારકમુનિ એકલા પોતાના માટે લાવેલ ભોજનમાંથી લાખોને સંતોષજનક ભોજન કરાવી શકે છે પરંતુ તે ભોજન ખલાસ થતું નથી. તે
ભોજન ત્યારે જ ખલાસ થાય છે જ્યારે તે ભોજન જે લાવ્યા હોય તે સ્વયં ભોજન કરી લે.
ચારણ – આકાશમાં વિશિષ્ટ ઉડ્ડયન કરવાની શક્તિના ધારક.
વિદ્યાધર :– વિદ્યાના બળથી આકાશમાં ચાલવાની શક્તિના ધારક.
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ઉત્તિપ્તચરક – જે પાત્રમાં ભોજન બન્યું હોય તે પાત્રમાંથી થોડું ભોજન બહાર કાઢયું હોય તેમાંથી આહાર ગ્રહણ કરવો તેવા અભિગ્રહના ધારક.
નિલિપ્તચરક :– બનાવેલ વાસણમાં રાખેલ ભોજનને જ ગ્રહણ કરનાર.
અંતચરક :– નીરસ અથવા ચણા આદિ હલકું ભોજન લેનાર.
પ્રાંતચરક :– જમ્યા પછી વધ્યો ઘટયો જ આહાર લેવો, તેવા પ્રકારનો અભિગ્રહ કરનાર.
રુક્ષચરક :– લુખો સૂકો આહાર ગ્રહણ કરનાર.
સમુદાનચરક :– ધનવાન, નિર્ધન અને મધ્યમ ઘરોમાંથી સમભાવપૂર્વક ભિક્ષા ગ્રહણ કરનાર.
અન્નગ્ધાયક :- ઠંડી–વાસી, અમનોજ્ઞ ભિક્ષા સ્વીકારનાર.
મૌનચરક :– મૌન ધારણ કરી નિશાચળ કરનાર.
સંસૃષ્ટકલ્પિક :– આહારથી ખરડાયેલા હાથ અથવા વાસણમાંથી આહાર લેવાની મર્યાદાવાળા. તજ્જાતસંસૃષ્ટકલ્પિક – જે પદાર્થને ગ્રહણ કરવો છે તે આહારથી જ સંસૃષ્ટ હાથ અથવા વાસણમાંથી ભિક્ષા લેવાના અભિગ્રહવાળા,
ઉપનિધિક :– દાતાની નજીકમાં જ રહેલા પદાર્થને ગ્રહણ કરવાના અભિગ્રહવાળા.
શુદ્વૈષણિક :– કોઈ પ્રકારના વિકલ્પ વિના નિર્દોષ આહારની ગવેષણા કરનાર. સંખ્યાદત્તિક ઃ- દનિઓની સંખ્યા નિશ્ચિત કરી આહાર લેનાર.
ઇષ્ટલાભિક :– દૃષ્ટ સ્થાનથી દેવામાં આવતા દષ્ટ પદાર્થને જ સ્વીકાર કરનાર. અદૃષ્ટિલાભિક :– પહેલા ન જોયા હોય તેવા દાતા પાસેથી ભિક્ષા લેવી.
-
પૃષ્ટલાભિક ૬ ઃ- મહારાજ આ વસ્તુ લેશો ! એવો પ્રશ્ન પૂછ્યા પછી ભિક્ષા લેનાર. આચાલિક :– આબિલ તપ કરનાર.
પુરિમાર્થિક :– દિવસના બે પ્રહર પછી આહાર લેનાર.