________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન–૧
[ ૧૫૯ ]
એકાસનિક - એકાસણા કરનાર. નિર્વિકૃતિક – ઘી, દૂધ, દહીં આદિ વિગય રહિત ભિક્ષા લેનાર. ભિન્નપિંડપાતિક - વિખરાયેલા અપિંડીભૂત પદાર્થનો આહાર કરનાર. પરિમિતપિંડપાતિક - કેટલા ઘર લેવા અને કેટલી માત્રામાં આહાર લેવો તેનો નિશ્ચય કરીને પછી ગવેષણા કરી આહાર લેનાર. અરસાહારી - રસહીન– હિંગ આદિ વઘારથી રહિત આહાર ગ્રહણ કરનાર. વિરસાહારી :- નીરસ આહાર ગ્રહણ કરનાર. અમનોજ્ઞ રસયુક્ત પદાર્થ ગ્રહણ કરનાર. ઉપશાંતજીવી :- ભિક્ષાના લાભ અને અલાભની સ્થિતિમાં ઉદ્વિગ્ન ન થતા શાંતભાવે રહેનાર પ્રતિમાસ્થાયિક - એક માસની આદિ ભિક્ષની પ્રતિમાઓને સ્વીકાર કરનાર. સ્થાનોત્સુટક - ઉકડુ આસનથી એક જગ્યાએ બેસનાર. વીરાસનિક - વીરાસનથી બેસનાર(પગ ધરતી ઉપર ટેકવી ખુશી પર બેઠેલા મનુષ્યની નીચેથી ખુરશી હટાવી લીધા પછી જેવું આસન બની રહે છે તે વીરાસન છે.) નૈષધિક :- દઢ આસનથી બેસનાર દંડાયતિક :- દંડ સમાન લાંબા થઈને સૂનારા કે ઊભા રહેનારા. લગંડશાયિક :- માથાને અને પગની એડીઓને ધરતી પર ટકાવીને અને બાકીનું શરીર અધર રાખીને સૂનારા. એકપાર્ષિક - એક પડખે સૂનારા. આતાપક - ઠંડી, ગરમીમાં આતાપના લેનાર. અપ્રાકૃત્તિક – વસ્ત્ર રહિત થઈ ઠંડી, ગરમી, ડાંસ, મચ્છર આદિ પરીષહ સહનાર. અનિષ્ઠીવક – કફ, ઘૂંક ન થુંકનાર. અકડુયક - શરીરમાં ખંજવાળ આવે છતાં ખંજવાળે નહિ તેવા.
સંક્ષેપમાં સર્વ મહાન પુરુષોએ અહિંસાની આરાધનાથી જ સમાધિ પ્રાપ્ત કરી છે. તેથી પ્રત્યેક કલ્યાણકામી જીવો માટે અહિંસા આચરણીય છે.
અહિંસક આચારવિધિ :| ધ ફ રયુદ્ધવિ-T-માન-મા-તા–ત-થાવર-સવ્વપૂર્ણનમાંट्ठयाए सुद्धं उंछं गवेसियव्वं अकयमकारियमणाहूयमणुद्दिष्टुं अकीयकडं णवहि य कोडीहिं सुपरिसुद्धं, दसहि य दोसेहिं विप्पमुक्कं, उग्गम-उप्पायणेसणासुद्धं ववगयचुय चावियचत्तदेहच फासुयं च । ण णिसज्ज कहापओयणक्खासुओवणीयं