________________
શ્રુતસ્કંધ-ર/અધ્યયન–૧
:
[ ૧૫૧]
કહેવાય છે. (૫) કીર્તિ - કીર્તિનું કારણ છે. તેથી તેને કીર્તિ કહે છે. () કાનિ:- અહિંસાના આરાધકમાં કાંતિ–તેજસ્વિતા ઉત્પન્ન થાય છે માટે તેને કાંતિ કહે છે. (૭) રતિ – પ્રાણીમાત્ર પ્રત્યે પ્રીતિ, મૈત્રી, અનુરક્તિ,આત્મીયતાને ઉત્પન્ન કરવાનું કારણ હોવાથી તે રતિ કહે છે. (૮) વિરતિ - પાપોથી વિરક્તિ રૂપ હોવાથી તેને વિરતિ કહે છે. (૯) શ્વેતાંગ –સશાસ્ત્રોના અધ્યયન મનનથી અહિંસાભાવ ઉત્પન્ન થતો હોવાથી તેને શ્રુતાંગ કહે છે. (૧૦) તૃપ્તિ - સંતોષવૃત્તિ પણ અહિંસાનું એક અંગ છે. તેથી તેને તૃપ્તિ કહે છે. (૧૧) દયા – કષ્ટ પામતાં, મરતાં યા દુઃખી પ્રાણીઓની કરુણા ભાવથી રક્ષા કરવી. યથાશક્તિ બીજાના દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કરવો તે દયા છે અને તે અહિંસાનું જ સ્વરૂપ છે. (૧૨) વિમુક્તિ - બંધનમાંથી સંપૂર્ણ રૂપે મુક્ત કરનાર હોવાથી તેને વિમુક્તિ કહે છે. (૧૩) શાંતિ :- ક્ષમા આત્માનો ગુણ છે તેથી તે અહિંસા રૂપ છે. (૧૪) સમ્યકત્વારાધના:- સભ્યત્વની આરાધના અથવા સેવાનું કારણ હોવાથી તેને સમ્યકત્વ આરાધના કહે છે. (૧૫) મહતી :- સર્વ વ્રતોમાં મહાન–પ્રધાન છે, તેમાં સર્વ વ્રતોનો સમાવેશ થઈ જાય છે. તેથી તેને મહતી કહે છે. (૧૬) બોધિ - ધર્મપ્રાપ્તિનું કારણ હોવાથી તેને બોધિ કહે છે. તત્ત્વનો બોધ કરાવનાર છે. (૧૭) બુદ્ધિઃ- બુદ્ધિની સાર્થકતા દેનાર હોવાથી તેને બુદ્ધિ કહે છે. (૧૮) ધૃતિ ચિત્તની વીરતા, દઢતારૂપ છે. તેથી તેને ધૃતિ કહે છે. (૧૯) સમૃદ્ધિઃ - સર્વ પ્રકારની સંપન્નતાથી યુક્ત, જીવનને આનંદિત કરાવનાર છે. તેથી તેને સમૃદ્ધિ કહે
(૨૦) અદ્ધિ - લક્ષ્મી પ્રાપ્તિનું કારણ હોવાથી તેને ઋદ્ધિ કહે છે. (૨૧) વૃદ્ધિ – પુણ્ય, ધર્મ વૃદ્ધિનું કારણ છે. તેથી તેને વૃદ્ધિ કહે છે. (રર) સ્થિતિ:- મુક્તિમાં પ્રતિષ્ઠિત કરનારી છે. તેથી તેને સ્થિતિ કહે છે. (૨૩) પુષ્ટિ:- પુણ્ય વૃદ્ધિથી જીવનને પુષ્ટ બનાવનાર અથવા પાપને ઘટાડી પુણ્યનો વધારો કરનારી છે. તેથી તેને પુષ્ટિ કહે છે. (૨૪) નંદા – પોતાને અને બીજાને આનંદ દેનારી છે. તેથી તેને નંદા કહે છે. (૨૫) ભદ્રા :- પોતાનું અને પરનું ભદ્ર-કલ્યાણ કરનારી છે. તેથી તેને ભદ્રા કહે છે.