________________
| મયાલિ આદિ કુમાર
વર્ગ-૧ અધ્યયન ર થી ૧૦ મિયાલિ આદિ કુમાર
| १ एवं सेसाणं वि णवण्हं भाणियव्वं । णवरं सत्त धारिणिसुआ, वेहल्लवेहायसा चेल्लणाए । अभओ णंदाए ।
__ आइल्लाणं पंचण्हं सोलस वासाइं सामण्णपरियाओ । तिण्हं बारस वासाइं । दोण्हं पंच वासाइं ।
आइल्लाणं पंचण्हं आणुपुव्वीए उववाओ विजए वेजयंते जयंते अपराजिए सव्वट्ठसिद्धे ।
दीहदंते सव्वट्ठसिद्धे । उक्कमेणं सेसा । अभओ विजए । सेसं जहा પદને I | २ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अणुत्तरोववाइय दसाण पढमस्स वग्गस्स अयमढे पण्णत्ते । ભાવાર્થ : આ નવ અધ્યયનોનું વર્ણન પણ પ્રથમ અધ્યયનની જેમ જાણવું જોઈએ. વિશેષતા છે કે મયાલી આદિ સાત પુત્ર ધારિણી રાણીના છે. વેહલ્લ અને હાયસ બંને ચેલણાના પુત્ર છે. અભયકુમાર નંદા રાણીનો પુત્ર છે.
પહેલાં પાંચ કુમારોની શ્રમણ પર્યાય ૧૬–૧૬ વર્ષની છે. ત્યાર પછીના ત્રણ કુમારોની શ્રમણ પર્યાય ૧૨-૧૨ વર્ષની છે અને અંતિમ બે કુમારોની શ્રમણ પર્યાય પાંચ વર્ષની છે.
પહેલાંના પાંચ અણગારોનો ઉ૫પાત-જન્મ અનુક્રમથી વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં થયો છે.
છઠ્ઠા દીર્ઘદૂત અણગાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. શેષ ઉમથી અપરાજિત આદિ વિમાનમાં ઉત્પન્ન થયા છે તથા દસમા અભયકુમાર વિજય વિમાનમાં ઉત્પન્ન થયા. શેષ વર્ણન પ્રથમ અધ્યયનની સમાન સમજી લેવું જોઈએ.
સુર્ધમાસ્વામી એ કહ્યું, હે જંબૂ! આ પ્રકારે નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિકદશાંગસૂત્રના પ્રથમ વર્ગનો આ અર્થ કહ્યો છે.