SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર છે કે તેમણે કયા નવમા અંગ સૂત્રનો અભ્યાસ કર્યો હશે ? વર્તમાને જે અનુત્તરોવવાઈ અંગ સૂત્ર છે, તેમાં તો ધન્ના અણગારના સંયમ, તપનું અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા સુધીનું સંપૂર્ણ વર્ણન પ્રાપ્ત થાય છે. તેનું કારણ એ છે કે વર્તમાને ઉપલબ્ધ ધર્મકથાઓ અને ઘટનાઓનું ઉપયોગી અને પ્રાસંગિક વર્ણન લેખનકાળ પહેલાં પૂર્વધરો દ્વારા સંપાદિત કરવામાં આવેલ છે. ઉત્થાનિકાઓમાં જંબૂસ્વામી અને સુધર્માસ્વામીના ગુણોનું વિસ્તૃત વર્ણન પણ આ વાતની સાક્ષી પૂરે છે એટલે ઉત્થાનિકાઓ પણ સુધર્મા સ્વામી અને જંબૂ સ્વામીના સમય પછી સંપાદિત કરેલી હશે તેમ જણાય છે. ૨ આ સૂત્રની હસ્તલિખિત પ્રતોની ઉત્થાનિકામાં પાઠભેદ મળે છે. જેમ કે- તેખ અતેનું તેનં समएणं रायगिहे णयरे होत्था, तस्सणं रायगिहे णाम णयरे सेणिए णामं राया होत्था । वण्णओ । चेलणाए देवी । तत्थणं रायगिहे णामं णयरे बहिया उत्तर पुरत्थिमे दिसीभाए गुणसिलए णामं चेइए होत्था । तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे अज्ज सुहम्मे णामं थेरे जाव जेणेव गुणसिलए णामं चेइए तेणेव समोसढे । परिसा णिग्गया, धम्मो कहिओ, परिसा पडिगया । तेणं कालेणं तेणं समएणं जंबू जाव पज्जुवासमाणे एवं वयासी । આ પાઠમાં વર્ણિત શ્રેણિક રાજા અને જંબૂસ્વામીનું એકી સાથે કથન ઉપયુક્ત નથી, કારણ કે શ્રેણિક રાજા તો શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિધમાન હતા ત્યારે જ મૃત્યુ પામ્યા હતા અને જંબૂસ્વામી ભગવાનના નિર્વાણ પછી દીક્ષિત થયા હતા, માટે પાઠભેદ સમજી ઉપરોક્ત પાઠ પ્રસ્તુત સંસ્કરણમાં સ્વીકારેલ નથી. આ સૂત્રમાં ધન્ના અણગારના જીવનની વિશિષ્ટતાઓને જ પ્રાધાન્ય આપ્યું છે. તે વિષયને અનેક ઉપમાઓથી સમજાવ્યો છે. શેષ સૂત્રો સરળ હોવાથી તેનું વિશેષ વિવેચન કર્યું નથી. આ આગમ અર્થની દૃષ્ટિએ સુગમ હોવા છતાં ઐતિહાસિક દષ્ટિએ તેનું ઘણું મહત્ત્વ છે. પ્રસ્તુત આગમમાં રાજગૃહ નગરનો માત્ર નામોલ્લેખ છે. જિજ્ઞાસુઓએ નગરનું વિશેષ વર્ણન ઔપપાતિક સૂત્રથી જોઈ લેવું જોઈએ. અનુત્તરોપપાતિકસૂત્રનો પરિચય : २ तए णं से सुहम्मे अणगारे जंबू अणगारं एवं वयासी- एवं खलु जंबू ! समणे णं भगवया महावीरेणं जाव संपत्ते णं णवमस्स अंगस्स अणुत्तरोववाइयदसाणं तिण्णि वग्गा पण्णत्ता । जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं णवमस्स अंगस्स अणुत्तरोववाइयदसाणं तओ वग्गा पण्णत्ता, पढमस्स णं भंते! वग्गस्स अणुत्तरोववाइयदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कइ
SR No.008766
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages151
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy