SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર - છઠ = એક સાથે બે ઉપવાસ અર્થાત્ બે દિવસ આહારનો સંપૂર્ણ પરિત્યાગ કરવો. | ૨૮ છઠ, આ બે ઉપવાસની સંજ્ઞા છે. કથા-વડા નોન-વરિત્ત :- (૧) યતન = યત્ન, યતના, વિવેક, પ્રાણી રક્ષા કરવી (૨) ઘટન = પ્રયત્ન, ઉદ્યમ, પુરુષાર્થ (૩) યોગ = સંબંધ, મિલાપ, જોડાવું, જેમાં યતના અને ઉદ્યમ છે. આ પ્રકારનું ચારિત્ર અથવા ચારિત્રવાળી વ્યક્તિ. તવ :- તપ = જેનાથી ઈચ્છાનો નિરોધ થાય, કર્મોનો ક્ષય થાય, આત્મભાવનું પોષણ થાય છે, તે તપ કહેવાય છે. શાસ્ત્રમાં તેના બાર પ્રકાર કહ્યાં છે. વેર :- સ્થવિર = વૃદ્ધ. આગમમાં સ્થવિરના ત્રણ પ્રકાર કહ્યાં છે– ૧. વય સ્થવિર = ૬૦ વર્ષની ઉંમરવાળા સાધુ ૨. પ્રવ્રજ્યા સ્થવિર = ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુ ૩. શ્રુત સ્થવિર = ઠાણાંગસૂત્ર, સમયાંગસૂત્ર સુધીનાં અગિયાર શાસ્ત્રોને ધારણ કરનાર સાધુ. fધ્યાવિત્તિયં વડN :- શ્રમણોનાં (સાધુઓનાં) અવસાનના નિમિત્તે થતી કાયોત્સર્ગની ક્રિયા. પોરસી = એક પ્રહરનો સમય, પુરુષ પ્રમાણ છાયાથી માપ કરાય તેને પોરસી કહે છે. વિતમિવ પણ = સર્પ દરમાં પ્રવેશ કરે તેમ અનાસક્તભાવે આહારનો મુખમાં પ્રવેશ કરાવે. સંયમ :- મનનો નિરોધ, ઈન્દ્રિય નિગ્રહ, યત્નાપૂર્વક જીવ હિંસા આદિનો ત્યાગ. ૧૭ પ્રકારનો સંયમ છે. સમુખ :- સામુદાનિક = સંપન્નતાની અપેક્ષાએ ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ કુળના લક્ષ્ય વિના સહજ ભિક્ષા માટે ફરવું તેને સામુદાનિક ભિક્ષા(ગોચરી) કહેવાય છે. સાય :- સ્વાધ્યાય, શાસ્ત્રવાચન, પરાવર્તન ઈત્યાદિ. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. તમા :- શ્રમણ, શ્રમશીલ મુનિ, નિગ્રંથ, કષાયોને અને ઈચ્છાઓને શમન કરનારા, પાપોના ત્યાગી. સનેદળ :- સંલેખના, શારીરિક અને માનસિક તપથી કષાય આદિ આત્મ વિકારોને તથા કાયાને કૃશ કરવા. મરણની પૂર્વ અનશન યુક્ત સાધના, સંથારો કરવો. નોલ૮ - સમવસરણ. તીર્થકરનું પધારવું, બાર પ્રકારની પરિષદ-સભાનું મળવું, જ્યાં ભગવાન બિરાજમાન હોય છે, દેવો દ્વારા કરાતી વિશિષ્ટ સભાની રચના. સરોવમ :- સાગરોપમ, કાળ વિશેષ. દસ ક્રોડા ક્રોડી પલ્યોપમ પરિમિત કાળ. જેના દ્વારા નારકી અને દેવોનું આયુષ્ય માપવામાં આવે છે. અસંખ્ય વર્ષોનાં કાળનું ઉપમા સૂચક નામ છે.
SR No.008766
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages151
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy