________________
A ,
SURAT
ઉપર મહોર પણ લાગી ગઈ, એટલે વાચનાઓને ખૂબ જ સફળ માનવામાં આવે છે. જો કે આ વાચનાઓ પછી શાસ્ત્રો પર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ, વિવરણો ઇત્યાદિ લખવાનો કાળ શરૂ થાય છે, જેમાં દાર્શનિકતા, ગંભીરતા અને શાસ્ત્રોના ઊંડા અર્થો પ્રગટ કરવાની શૈલી ઉદ્દભૂત થઈ છે. ફકત શબ્દાર્થ કરતાં ટબ્બાઓથી આગળ વધીને શાસ્ત્રનો દેહ ખૂબ જ વિસ્તાર પામ્યો છે. (૬) જૈનાગમોની કાવ્ય તથા સાહિત્યિક દષ્ટિ -
જૈનાગમોમાં ખૂબ જ સરસ રીતે સાહિત્યિક ઢંગથી ઉચ્ચકોટિનાં વિશવર્ણનો મળે છે અને એક સાથે લચકદાર સમાસપૂર્ણ શબ્દોનું સામંજસ્ય કાદંબરી અને દશકુમાર ચરિત્રનાં વર્ણનોને ટક્કર મારે તેવા વિશવર્ણનોનો કેટલીક જગ્યાએ ઉલ્લેખ થયેલો છે.
રસાત્મજં વાચં ાવ્યમ જો આ દષ્ટિએ તપાસ કરીએ તો જૈનાગમને ઉચ્ચ પ્રકારની સંસ્કારી વાણીથી રસમય કરી દેવામાં આવ્યાં છે. બધાં જૈનાગમો ગદ્યમાં કે પદ્યમાં લખાયેલાં હોય પરંતુ આવાં ગધાત્મક લખાણો પણ ગાઈ શકાય તેવાં છે અને શાસ્ત્રનું વ્યવસ્થિત ઉચ્ચારણ કરવાથી સાહિત્ય ભાવના રસ બિન્દુઓ ટપકવા લાગે છે, એટલે કે જૈનાગમોની હજુ સુધી સાહિત્ય દષ્ટિથી પરીક્ષા થઈ નથી અને કાવ્યશાસ્ત્ર રૂપે મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી, નહીં તો આ આગમો ઉચ્ચકોટિનાં મહાકાવ્યો જેવાં છે. જૈનાગમોમાં એક સમયે, એક જગ્યાએ, સાહિત્ય ઢંગથી જે વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ણન સાંગોપાંગ જૈનાગમોમાં બધી જગ્યાએ છે. તે બધા ચરિત્રોમાં એક સરખું જોવા મળે છે.
આમ પુનક્તિ જેવું લાગે પરંતુ એક વખત જે શબ્દોનો રસાસ્વાદ નિષ્પન્ન કર્યો છે તે રસાસ્વાદ બધી જગ્યાએ સરખો મળી રહે અને એક વખત કંઠસ્થ થયા પછી વારંવાર અલગ અલગ પાઠો કંઠસ્થ ન કરવા પડે તે માટે આગમકારોએ આ શૈલી અપનાવી હોય તેવું લાગે છે. અહીં આપણે થોડાં રસાત્મક વાક્યોના નમૂના રજૂ કરીશું. જ્ઞાતા સૂત્ર:- તા રે િરયા નં ૩qમાયા રળી સ્તુપત્તમત कोमलुम्मिलियंमि अहपंडुरे पभाए रत्तासोगपगास किंसुय सुयमुह गुंजद्ध राग बंधुजीवगपारावय चलएनचण परहुय सुरत्तलोयण जासुमिण कुसुम जलियजूलण તવાળm ના હિંનયન [૨ વાર દન્તરિ વિવારે – જ્ઞાતાધર્મકથા સૂત્ર, અધ્યયન-૧. સંસ્કૃત છાયા:- તતઃ સ શ્રેણિક રાના જન્ચ પ્રતિઃ પ્રમાણે રત્નીયાં 7 સત્પન कमल कोमल उन्मिलिते यथा पाण्डुरे प्रभायां रक्त अशोक प्रकाश किंशुक शुक मुख गुंजायमान बन्धु जीवक पारावत चलननयन परभृत सुरक्त लोचन जबाकुसुम वलित ज्वलन तवनीय कलश हिंगुलक निकर रूपातीरेक रेखान्त स श्रेणि श्रीयके રીવારે ||