SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અને અંગપષ્ણતિમાં (દિગંબર સાહિત્યમાં) આ સૂત્રનો બાદથમૂહ- નાથ ધર્મકથા, એવો નામોલ્લેખ જોવા મળે છે. તેમાં જય ધવલામાં નાથવંશીય ભગવાન મહાવીર પરમાત્માએ કહેલી ધર્મકથા, તે નાથધર્મકથા, આ વ્યાખ્યા કરી છે. જ્યારે અંગપષ્ણતિ વગેરેમાં નાથ એટલે ત્રણે લોકના સ્વામી એવા જિનેશ્વર ભગવાને કહેલી ધર્મકથા, તે નાથધર્મકથા, આ વ્યાખ્યા કરેલી છે. (૫) જ્ઞાતધર્મકથા “જ્ઞાત એટલે જ્ઞાતકુળમાં જન્મેલા-જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર, તેઓએ કહેલી ધર્મકથા તે જ્ઞાતધર્મકથા” પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત ‘ભગવાન મહાવીરની ધર્મકથાઓ(નાયધમ્મકહા)માં, ડો. જગદીશચંદ્ર જૈને પ્રાકૃત સાહિત્ય કા ઇતિહાસ’ આ નિબંધમાં, આ પ્રકારની વ્યાખ્યા કરી છે. જ્ઞાતાધર્મકથા સૂત્રની દેહરચના :- શ્રી જ્ઞાતાધર્મકથાના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ઓગણીસ જ્ઞાત-ઉદાહરણરૂપ અધ્યયનો છે અને બીજા શ્રુતસ્કંધમાં ધર્મકથાના દસ વર્ગ છે. પ્રથમ શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયનોમાં જીવન ચરિત રૂપ કથાઓ અને રૂપક (દાંત) રૂપક કથાઓ, એમ બે પ્રકારની કથાઓ છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે. તે સમસઓ સુવિ પત્તા, તેં નહીં- વરિત્તા ય ય ા તે અધ્યયનોમાં (૧) કેટલીક કથાઓ ઐતિહાસિક વ્યક્તિ સાથે સંબંધિત જીવન ઘટનારૂપ છે. તે કથાઓ ચરિત્રરૂપ બનેલી કથાઓ છે જેમ કે પ્રથમ અધ્યયનનું મુખ્ય પાત્ર મેઘકુમાર ઐતિહાસિક પાત્ર રૂપે છે. (૨) કેટલીક કથાઓ દષ્ણતરૂપે સર્જિત છે. જેમ કે- તુંબ વગેરેનું દષ્ટાંત. તે કથા રૂપક રૂપે રજૂ કરવામાં આવી છે. આ બંને પ્રકારની કથાઓનો ઉદ્દેશ્ય પ્રતિબોધ આપવાનો છે. તે જ્ઞાત–ઉદાહરણ રૂપે રજૂ થયેલી છે. આચાર્ય શ્રી અભયદેવસૂરિજીએ જ્ઞાતાધર્મકથાની વૃત્તિના પ્રારંભમાં જ કહ્યું છે. જ્ઞાતા વાચૈવ ભાવનીયા- યાવિગુણવતઃ સદાઃ પર્વ વેદષ્ટ ક્ષિતૈપાવો મેશુમાર નવ દુર્તીતિ ! તે જ્ઞાત- ઉદાહરણો આ રીતે સમજવા કે જેમાં દયા વગેરે ગુણ હોય તે શારીરિક કષ્ટોને સહન કરે છે. જેમ કે મેઘકુમારના જીવે હાથીના ભવમાં દયાના કારણે પગ ઊંચો–અદ્ધર રાખ્યો હતો. वृत्तिारे नायाणि त्ति ज्ञातानि उदाहरणानीति प्रथमश्रुतस्कन्धः મૂહાઓ થર્મપ્રથાના વથા ધર્મથી ક્રિતીય કૃતd: I આ 48
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy