SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ | બીજો શ્રુતસ્કંધ : પ્રથમ વર્ગ(અ—૧ થી ૫). ૪૬૯ ] दाहिणिल्लाणं वाणमंतराणं इंदाणं अग्गमहिसीणं पंचमे वग्गे । उत्तरिल्लाणं वाणमंतराणं इंदाणं अग्गमहिसीणं छठे वग्गे । सूरस्स अग्गमहिसीणं सत्तमे वग्गे । चंदस्स अग्गमहिसीणं अट्ठमे वग्गे । सक्कस्स अग्गमहिसीणं णवमे वग्गे । ईसाणस्स अग्गमहिसणं સને વા ભાવાર્થ:- તે કાલે અને તે સમયે આર્ય સુધર્મા અણગારના અંતેવાસી શિષ્ય આર્ય જંબૂ નામના અણગારે વાવ સુધર્મા સ્વામીની ઉપાસના કરતા આ પ્રમાણે પૂછ્યું કે- હે ભગવન્! સિદ્ધપદને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા અંગ સૂત્રના જ્ઞાતિ નામના પ્રથમ શ્રુતસ્કંધના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! સિદ્ધ પદને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ધર્મકથા નામના બીજા શ્રુતસ્કંધના કયા ભાવ ફરમાવ્યા છે? શ્રી સુધર્માસ્વામીએ ઉત્તર આપ્યો–] હે જંબૂ!સિદ્ધપદને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ધર્મકથા નામક બીજા ભૃત સ્કંધના દસ વર્ગ કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) અમરેન્દ્ર નામના દક્ષિણ દિશાના અસુરેન્દ્રની અગ્રમહિષીઓ (પટરાણીઓ)નો પ્રથમ વર્ગ. (૨) વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ–બલીન્દ્ર નામના ઉત્તરદિશાના અસુરેન્દ્રની અગ્રમહિષીઓનો બીજો વર્ગ. (૩) અસુરેન્દ્ર સિવાયના દક્ષિણ દિશાના શેષ નવનિકાય- નવ ભવનપતિ ઇન્દ્રોની અગ્રમહિષીઓનો ત્રીજો વર્ગ. (૪) અસુરેન્દ્ર સિવાયના ઉત્તર દિશાના નવનિકાય- નવ ભવનપતિ ઇન્દ્રોની અગ્રમહિષીઓનો ચોથો વર્ગ. | (૫) દક્ષિણ દિશાના વાણવ્યંતરેન્દ્રોની અગ્રમહિષીઓનો પાંચમો વર્ગ. (૬) ઉત્તર દિશાના વાણવ્યંતરેન્દ્રોની અગ્રમહિષીઓનો છઠ્ઠો વર્ગ. (૭) સૂર્ય નામના જ્યોતિષેન્દ્રની અગ્રમહિષીઓનો સાતમો વર્ગ. (૮) ચંદ્ર નામના જ્યોતિષેન્દ્રની અગ્રમહિષીઓનો આઠમો વર્ગ. (૯) શકેન્દ્ર નામના વૈમાનિકેન્દ્રની અગ્રમહિષીઓનો નવમો વર્ગ. (૧૦) ઈશાનેન્દ્ર નામના વૈમાનિકેન્દ્રની અગ્રમહિષીઓનો દસમો વર્ગ. વર્ગ-૧: પ્રથમ અધ્યયન :| ४ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं धम्मकहाणं दस वग्गा पण्णत्ता पढमस्स णं भंते ! वग्गस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे પUUરે ? एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं पढमस्स वग्गस्स पंच માયણ પત્તા, તંગણા-() વાણી (૨) વા () વય (૪) વિગૂ (6) મેણા जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पढमस्स वग्गस्स पंच अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते? ભાવાર્થ - હે ભગવન્! સિદ્ધપદને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જો ધર્મકથા નામના બીજા શ્રુતસ્કંધના દસ વર્ગ કહ્યા છે, તો હે ભગવન્!સિદ્ધિગતિને પ્રાપ્ત તે પ્રભુએ પ્રથમવર્ગના કયા ભાવ ફરમાવ્યા છે? હે જંબૂ! સિદ્ધિગતિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ વર્ગના પાંચ અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) કાલી (૨) રાજી (૩) રજની (૪) વિધુત અને (૫) મેઘા.
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy