SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર ભાવાર્થ :- ત્યાર પછી કંડરીકે યાવત્ સ્થવિર મુનિને વંદન-નમસ્કાર કરીને, તેઓની પાસેથી નીકળીને, ચાર ઘંટાવાળા અશ્વ રથ પર આરૂઢ થઈને યાવત્ પુંડરીક રાજાની પાસે આવીને હાથ જોડી મસ્તક પર અંજલિ કરીને પુંડરીકને કહ્યું– હે દેવાનુપ્રિય ! મેં સ્થવિર મુનિ પાસેથી ધર્મ સાંભળ્યો છે અને તે ધર્મ મને રુચ્યો છે. તેથી હે દેવાનુપ્રિય ! હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ८ तए णं पुंडरीए राया कंडरीयं जुवरायं एवं वयासी - मा णं तुमं भाउया ! इयाणि मुंडे जाव पव्वयाहि, अहं णं तुमं महया-महया रायाभिसेएणं अभिसिंचामि । ૪૫૮ तणं सेकंडरी पुंडरीयस्स रण्णो एयमहं णो आढाइ जाव तुसिणीए संचिट्ठइ । तणं पुंडरी राया कंडरीयं दोच्चंपि तच्वंपि एवं वयासी जाव तुसिणीए संचिट्ठइ । ભાવાર્થ :- ત્યારે પુંડરીક રાજાએ કંડરીક યુવરાજને આ પ્રમાણે કહ્યું– હે ભાઈ ! તમે અત્યારે મુંડિત થઈને યાવત્ દીક્ષા ગ્રહણ ન કરો. હું તમારો મહાન રાજ્યાભિષેક કરવા ઇચ્છું છું. ત્યારે કંડરીકે પુંડરીક રાજાના આ કથનનો આદર ન કર્યો યાવત્ તેઓ મૌન રહ્યા. પુંડરીક રાજાએ કંડરીકને બીજીવાર અને ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું, યાવત્ કંડરીક યુવરાજ મૌન જ રહ્યા. ९ तए णं पुंडरीए कंडरीयं कुमारं जाहे णो संचाएइ बहूहिं आघवणाहिं पण्णवणाहि य विण्णवणाहि य सण्णवणाहि य ताहे अकामए चेव एयमटुं अणुमण्णित्था जावणिक्खमणाभिसे णं अभिसिंचइ जाव थेराणं सीसभिक्खं दलयइ । पव्वइए। अणगारे जाए, एक्कारसंगविऊ। ભાવાર્થ :- ત્યાર પછી જ્યારે પુંડરીક રાજા, કંડરીક કુમારને તેના દઢ નિર્ણયથી ચલિત કરવા અનેક પ્રકારે આખ્યાન–સંયમ વિરોધી કથનોથી, પ્રજ્ઞાપના—હિતશિક્ષાથી, વિજ્ઞાપના-નમ્રભાવે વિનંતિથી, સંજ્ઞાપના—સમ્યક્ પ્રકારે સંયમ જીવનના કષ્ટો બતાવી રોકવામાં સમર્થ ન થયા ત્યારે ઇચ્છા ન હોવા છતાં પણ તેણે દીક્ષાની આજ્ઞા આપી યાવત્ તેમણે નિષ્ક્રમણ–અભિષેકથી અભિષિક્ત કર્યા યાવત્ સ્થવિર મુનિઓને શિષ્યરૂપી ભિક્ષા પ્રદાન કરી. આ રીતે કંડરીક યથાવિધિ પ્રવ્રુજિત થયા, અણગાર બની ગયા યાવત્ અગિયાર અંગોના જ્ઞાતા થઈ ગયા. १० णं थेरा भगवंतो अण्णया कयाई पुंडरीगिणीओ णयरीओ णलिणिवणाओ उज्जाणाओ पडिणिक्खमंति, बहिया जणवयविहारं विहरति । ભાવાર્થ:- ત્યાર પછી સ્થવિર ભગવંતો એકદા પુંડરીકિણી નગરીના નલિનીવન ઉદ્યાનથી વિહાર કરી બહાર જનપદોમાં વિચરવા લાગ્યા. પુંડરીક દ્વારા કંડરીક મુનિનો ઔષધ ઉપચાર : ११ तणं तस्स कंडरीयस्स अणगारस्स तेहिं अंतेहि य पंतेहि य जहा सेलगस्स जा दाहवक्कंतीए यावि विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી કંડરીક અણગારના શરીરમાં તે આન્ત-પ્રાન્ત લૂખા-સૂકા આહારના કારણે શૈલક મુનિની સમાન યાવત્ દાહજ્વર ઉત્પન્ન થયો, તેઓ બીમાર રહેવા લાગ્યા.
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy