________________
| अध्य-११ : अमरदीपही
| ४०१
जेणेव सुटुजणवए जेणेव बारवई णयरी जेणेव अग्गुज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता हत्थिखंधाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासीगच्छह णं तुब्भे देवाणुप्पिया ! बारवई णयरिं जेणेव कण्हस्स वासुदेवस्स गिहे तेणेव अणुपविसह, अणुपविसित्ता कण्हं वासुदेवं करयल जाव एवं वयह- एवं खलु सामी ! तुब्भं पिउच्छा कोंती देवी हत्थिणाउराओ णयराओ इह हव्वमागया तुब्भं दसणं कंखइ । ભાવાર્થ – પાંડુરાજાએ દ્વારકા જવા માટે કુંતીદેવીને કહ્યું ત્યારે કુંતીદેવીએ તે વાતનો સ્વીકાર કર્યો અને સ્નાન કરીને યાવત હાથીના સ્કંધ પર આરૂઢ થઈને, હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને નીકળીને કુરુદેશની મધ્યમાં થઈને, સૌરાષ્ટ્ર દેશની દ્વારિકા નગરીની બહારના અગ્ર ઉદ્યાનમાં (જ્યાં બહારથી આવનારા પથિકો વિશ્રામ માટે રોકાતા હતા તે અગ્ર ઉધાનમાં) આવીને હાથીના સ્કંધ પરથી નીચે ઊતર્યા અને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે દ્વારિકા નગરીમાં જાઓ, દ્વારિકા નગરીની અંદર પ્રવેશ કરીને કૃષ્ણ વાસુદેવને હાથ જોડીને આ પ્રમાણે કહો- હે સ્વામિનું! આપના ફૈબા કુંતીદેવી હસ્તિનાપુર નગરથી અહીં આવ્યા છે અને તમારા દર્શનની ઇચ્છા રાખે છે. १५४ तए णं ते कोडुंबियपुरिसा जावकहेंति । तए णं कण्हे वासुदेवे कोडुबियपुरिसाणं अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुटे हत्थिखंधवरगए बारवईए णयरीए मज्झमज्झेणं जेणेव कोंती देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता हत्थिखंधाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता कोंतीए देवीए पायग्गहणं करेइ, करित्ता कोंतीए देवीए सद्धिं हत्थिखधं दुरुहइ, दुरुहित्ता बारवईए णयरीए मझमज्झेणं जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयं गिहं अणुपविसइ । ભાવાર્થ :- ત્યારે કર્મચારી પુરુષોએ યાવત્ કૃષ્ણ વાસુદેવની પાસે જઈને કુંતીદેવીના આગમનના સમાચાર આપ્યા. કૃષ્ણ વાસુદેવ કૌટુંબિક પુરુષો પાસેથી કુતીદેવીના આગમનના સમાચાર સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા અને હાથીના સ્કંધ પર આરૂઢ થઈને દ્વારિકા નગરીના મધ્યભાગમાં થઈને કુંતીદેવી પાસે આવ્યા, આવીને હાથીના સ્કંધ પરથી નીચે ઊતરીને, કુતીદેવીના ચરણ સ્પર્શ કરી પગે લાગ્યા; પછી કુતીદેવીની સાથે હાથી પર આરૂઢ થયા, આરૂઢ થઈને દ્વારિકા નગરીના મધ્યભાગમાં થઈને પોતાના મહેલ સમીપે આવ્યા અને મહેલમાં પ્રવેશ કર્યો. १५५ तएणं से कण्हे वासुदेवे कोंतिदेविण्हायं जिमियभुत्तुत्तरागयं जावसुहासणवरगयं एवं वयासी- संदिसउ णं पिउच्छा ! किमागमणपओयणं? ભાવાર્થ - મહેલમાં પહોંચ્યા પછી કુંતીદેવી સ્નાન અને ભોજન કરીને સુખાસને બેઠા, ત્યારે કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે પૂછ્યું- હે ફૈબા! કહો, આપના આગમનનું શું પ્રયોજન છે? १५६ तए णंसा कोंती देवी कण्हं वासुदेवं एवं वयासी- एवं खलु पुत्ता ! हत्थिणाउरे णयरे जुहिट्ठिल्लस्स आगासतले सुहपसुत्तस्स पासाओ दोवई देवी ण णज्जइ केणइ अवहिया वा णीया वा अवक्खित्ता वा । तं इच्छामि णं पुत्ता ! दोवईए देवीए मग्गणगवेसणं कयं।