________________
| मध्य०-११ : अभद्रौपही
| उ८९ ]
जाव झियाहि । तुम णं मए सद्धिं विउलाई भोगभोगाइं भुंजमाणी विहराहि । ભાવાર્થ:- ત્યારપછી પદ્મનાભ રાજા સ્નાન કરીને, યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને તથા અંતઃપુરના પરિવારથી પરિવૃત્ત થઈને, અશોકવાટિકામાં દ્રૌપદી દેવી પાસે આવ્યા. દ્રૌપદીદેવીને શૂન્ય મનસ્ક અને ચિંતા કરતી જોઈને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે ભગ્ન મનોરથવાળા થઈને ચિંતા શા માટે કરો છો? હે દેવાનુપ્રિય ! મારા પૂર્વસંગતિક દેવ જંબૂદ્વીપના, ભારત વર્ષ, હસ્તિનાપુરનગર અને યુધિષ્ઠિર રાજાના ભવનમાંથી સંહરણ કરીને તમને અહીં લઈ આવ્યા છે, તેથી હે દેવાનુપ્રિય ! તમે શૂન્યમનસ્ક થઈને ચિંતા ન કરો. તમે મારી સાથે વિપુલ ભોગ ભોગવતા રહો. १४८ तए णं सा दोवई देवी पउमणाभं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! जंबुद्दीवे दीवे भारहे वासे वारवईए णयरीए कण्हे णामं वासुदेवे मम पियभाउए परिवसइ । तं जइ णं से छण्हं मासाणं ममं कूवं णो हव्वमागच्छइ, तए णं अहं देवाणुप्पिया ! जं तुम वयसि, तस्स आणा-ओवाय-वयणणिद्देसे चिट्ठिस्सामि । ભાવાર્થ:- ત્યારે દ્રૌપદી દેવીએ પદ્મનાભને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જંબૂદ્વીપમાં ભારતવર્ષમાં દ્વારકા નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ મારા સ્વામીના(પતિના) ભાઈ રહે છે, તે જો છ મહિનામાં મને શોધતા અહીં નહીં આવે તો હે દેવાનુપ્રિય ! તમે જેમ કહો છો તેમ તમારી આજ્ઞા, ઉપાય, વચન અને નિર્દેશમાં હું રહીશ(શ્રી કૃષ્ણ તેને પાછી લઈ જવા આવશે જ તેવા વિશ્વાસના આધારે અને પદ્મનાભ કોઈ જાતની બળજબરી કે અન્ય ઉપાયો ન કરે તે માટે સમય પસાર કરવાના ઉપાયરૂપે છ મહિના પછી પદ્મનાભ જેમ કહેશે, તેમ કરવાની તૈયારી બતાવી.) १४९ तएणं से पउमे राया दोवईए एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता दोवई देविंकण्णंतेउरे ठवेइ। तए णं सा दोवई देवी छटुंछट्टेणं अणिक्खित्तेणं आयंबिल परिग्गहिएणं तवोकम्मेणं अप्पाणं भावेमाणी विहरइ । ભાવાર્થ:- ત્યારે પદ્મનાભ રાજાએ દ્રૌપદીનું આ કથન સાંભળ્યું, સાંભળીને (માન્ય કરીને) દ્રૌપદી દેવીને કન્યાઓના અંતઃપુરમાં રાખી દીધી. ત્યારપછી દ્રૌપદી દેવી નિરંતર છઠની તપશ્ચર્યા અને પારણામાં આયંબિલ કરતી આત્માને તપથી ભાવિત કરતી વિચરવા લાગી. द्रौपटीनी शोध :१५० तए णं से जुहिट्ठिले राया तओ मुहुत्तंतरस्स पडिबुद्धे समाणे दोवई देवि पासे अपासमाणी सयणिज्जाओ उठेइ, उठ्ठित्ता दोवईए देवीए सव्वओ समंता मग्गणगवेसणं करेइ, करित्ता दोवईए देवीए कत्थइ सुई वा खुइं वा पवत्तिं वा अलभमाणे जेणेव पंडुराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंडुरायं एवं वयासी
एवं खलु ताओ ! ममं आगासतलगंसि पसुत्तस्स पासाओ दोवई देवी ण णज्जइ केणइ देवेण वा जाव हिया वा णीया वा अवक्खित्ता वा? इच्छामिणं ताओ ! दोवईए देवीए सव्वओ समंता मग्गण-गवेसणं करित्तए ।