________________
અધ્ય–૧૫: નદી ફળ
_.
૩૪૩ ]
___ गच्छहणंतुब्भेदेवाणुप्पिया ! चंपारणयरीए सिंघाडग जावमहापहपहेसुउग्घोसेमाणाउग्घोसेमाणा एवं वयह-एवं खलु देवाणुप्पिया !धण्णे सत्थवाहे विउलेपणियं आदाय इच्छइ अहिच्छत्तं णयरिं वाणिज्जाए गमित्तए । तं जो णं देवाणुप्पिया ! चरए वा चीरिए वा चम्मखंडिए वा भिच्छुडे वा पंडुरंगे वा गोयमे वा गोवईए वा गिहिधम्मे वा गिहिधम्मचिंतए वा अविरूद्धविरुद्ध वुड्डसावगरत्तपङणिग्गंथप्पभिई पासंडत्थे वा गिहत्थेवा, धण्णेणं सत्थवाहेणं सद्धि अहिच्छत्तणयरिंगच्छइ, तस्सणधण्णेसत्थवाहे अच्छत्तगस्सछत्तगदलयइ, अणुवाहणस्स उवाहणाओदलयइ, अकंडियस्सकंडियंदलयइ, अपत्थयणस्सपत्थयणंदलयइ, अपक्खेवगस्स पक्खेवं दलयइ, अंतरा वि य से पडियस्स वा भग्गलुग्गस्स साहेज्जंदलयइ, सुहंसुहेण यणं अहिच्छत्तं संपावेइ, त्ति कटु दोच्चं पि तच्चं पि घोसणं घोसेह, घोसित्ता मम एयमाणत्तिय पच्चप्पिणह। ભાવાર્થઃ- એકવાર ધન્ય સાર્થવાહને મધ્યરાત્રિના સમયે વિચાર આવ્યો કે વિપુલ પ્રમાણમાં ક્રય-વિક્રયની વસ્તુઓ(માલ) લઈને અહિચ્છત્રા નગરીમાં વેપાર કરવા જવું તે મારા માટે શ્રેયકારી છે. આ રીતે વિચાર કરીને તેણે ગણીને વેચી શકાય તેવી નાળિયેર આદિ ગણિમ વસ્તુઓ, તોળીને વેચી શકાય તેવી ગોળ વગેરે ધરિમ વસ્તુઓ, પાલી વગેરેથી માપીને વેચી શકાય તેવી ધાન્યાદિ મેય વસ્તુઓ અને કસોટી કરીને વેચી શકાય તેવી સોનું, રત્નાદિ પરિચ્છેદ્ય વસ્તુઓરૂપ ચારે પ્રકારના માલને પાત્રોમાં ભરીને ગાડી-ગાડા તૈયાર કરાવ્યા અને તે ગાડા-ગાડીમાં માલના પાત્રો મૂકાવ્યા. ત્યાર પછી કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ચંપાનગરીના શૃંગાટક યાવતું રાજમાર્ગ અને અન્ય માર્ગોમાં ઉદ્ઘોષણા કરતાં-કરતાં કહો કે
હે દેવાનુપ્રિયો! ધન્ય સાર્થવાહ વિપુલ પ્રમાણમાં માલ(વેચવા યોગ્ય વસ્તુઓ) ભરીને અહિચ્છત્રા નગરીમાં વેપાર કરવા માટે જવા ઇચ્છે છે. હે દેવાનુપ્રિયો ! જે કોઈ પણ ચરક મતના ભિક્ષુકો, ચીંથરાને પહેરનારા ચીરિકો, ચામડું પહેરનારા ચર્મ ખંડિકો, ભિક્ષાથી આજીવિકા મેળવનારા ભિક્ષુકો, શરીર પર ભસ્મ ચોળનારા પાંડુરંકો, બળદને સાથે રાખીને બીજાના ઘરેથી અનાજની યાચના કરી આજીવિકા કરનારા ગૌતમો, ગાયને અનુસરનારા ગોવ્રતીકો, ગૃહસ્થધર્મ ચિંતકો, અવિરુદ્ધ-ક્રિયાદિનો વિરોધ નહીં કરનારા ક્રિયાવાદીઓ, ક્રિયાદિનો વિરોધ કરનારા અક્રિયાવાદીઓ અને નાસ્તિકો વગેરે તેમજ વૃદ્ધ શ્રાવકો અર્થાતુ બ્રાહ્મણો, લાલ વસ્ત્રધારી પરિવ્રાજકો, નિગ્રંથ સાધુઓ, શિથિલ આચારવાળા સાધુઓ કે ગૃહસ્થો વગેરે જે કોઈ ધન્ય સાર્થવાહની સાથે અહિચ્છત્રા નગરીમાં જવા ઇચ્છે, તેને ધન્ય સાર્થવાહ પોતાની સાથે લઈ જશે. જેની પાસે છત્ર ન હોય તેને છત્ર આપશે, પગરખા ન હોય તેને પગરખા આપશે, કમંડળ ન હોય તેને કમંડળ આપશે, ભાતું ન હોય તેને ભાતું આપશે, અધવચ્ચે ભાતું ખલાસ થઈ જશે તેને પૂરક દ્રવ્યો આપશે, રસ્તામાં કોઈ પડી જશે, હાથ-પગ આદિ અંગોપાંગ ભાંગી જશે, બીમાર પડશે તો તેનો ઔષધોપચાર કરાવશે અને સુખપૂર્વક અહિચ્છત્રા નગરી સુધી પહોંચાડશે. આ રીતે બેવાર-ત્રણવાર ઘોષણા કરો, ઘોષણા કરીને મને ખબર આપો. |५ तए णं ते कोडुंबियपुरिसा जाव एवं वयासी-हंदि ! सुणंतु भगवंतो चंपाणगरीवत्थव्वा बहवे चरगा य जाव पच्चप्पिणंति ।