________________
[ ૩૧૪]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
पोक्खरिणीए परिपेरंतेसु फासुएणं ण्हाणोदएणं उम्महणालोलियाहि य वित्तिं कप्पेमाणस्स विहरित्तए इमेयारूवं अभिग्गहं अभिगेण्हित्ता जावज्जीवाए छटुंछटेणं जाव विहरइ । ભાવાર્થ – તે દેડકાએ(નંદ મણિયારના જીવે) આ પ્રમાણે વિચાર કરીને, પહેલાં અંગીકાર કરેલા પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોને પુનઃ અંગીકાર કરીને આ પ્રમાણે અભિગ્રહ(દઢનિયમ) ધારણ કર્યો કેઆજથી જીવનપર્યત મારે છઠ-છઠની તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતા રહેવું અને છઠના પારણામાં પણ નંદા પુષ્કરિણીની ચારેકોર પ્રાસુક-અચિત્ત થયેલા અર્થાત્ લોકોના સ્નાન કરેલા પાણીથી અને મનુષ્યોના ઉન્મર્દન આદિ દ્વારા ઉતારેલા મેલના આહારથી જીવન નિર્વાહ કરવો; આ પ્રકારે અભિગ્રહ ધારણ કરીને તે જીવનપર્યત નિરંતર છઠ-છઠની તપસ્યાથી આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. २९ तेणं कालेणं तेणं समएणं अहं गोयमा! गुणसीलए चेइए समोसढे । परिसा णिग्गया। तए णं णंदाए पुक्खरिणीए बहुजणो ण्हायमाणो य पियमाणो य पाणियं संवहमाणो य अण्णमण्णं एवमाइक्खइ- एवं खलु समणे भगवं महावीरे इहेव गुणसीलए चेइए समोसढे । तं गच्छामो णं देवाणुप्पिया! समणं भगवं महावीरं वंदामो जाव पज्जुवासामो । एयं मे इहभवे परभवे यहियाए सुहाए खमाए णिस्सेयसाए आणुगामियत्ताए भविस्सइ । ભાવાર્થ:- હે ગૌતમ! તે કાળે અને તે સમયે હું ગુણશીલ ઉદ્યાનમાં આવ્યો. રાજગૃહ નગરનો વિશાળ સમુદાય વંદન-દર્શન કરવા પોતપોતાના ઘેરથી નીકળી મારી પાસે આવ્યો. તે સમયે નંદા પુષ્કરિણીમાં સ્નાન કરતાં, પાણી પીતાં અને પાણી ભરી જતાં ઘણાં માણસો પરસ્પરમાં આ પ્રમાણે વાત કરવા લાગ્યા કે– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા છે. તો હે દેવાનુપ્રિય ! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરીએ યાવત પર્યાપાસના કરીએ. તે આપણા માટે આ ભવમાં, પરભવમાં હિતકારી, સુખકારી, ક્ષેમકારી, કલ્યાણકારી તથા બીજા ભવમાં અનુગામી થશે અર્થાત્ પરભવમાં તે જ સાથે આવશે. દેડકાનું વંદનાર્થે પ્રસ્થાન :३० तए णं तस्स ददुरस्स बहुजणस्स अंतिए एयमढे सोच्चा णिसम्म अयमेयारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जेत्था- एवं खलु समणे भगवं महावीरे समोसढे । तं गच्छामिणं समणं भगवं महावीरं वदामि- एवं संपेहेइ, संपेहेत्ता णंदाओ पुक्खरिणीओ सणियंसणियं उत्तरइ, उत्तरित्ता जेणेव रायमग्गे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ताए उक्किट्ठाए ददुरगईए वीईवयमाणे-वीईवयमाणे जेणेव ममं अंतिए तेणेव पहारेत्थ
ભાવાર્થ :- ઘણા મનુષ્યો પાસેથી આ વૃત્તાંત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, તે દેડકાને આ પ્રમાણે વિચાર, ચિંતન, અભિલાષા અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા કે ખરેખર શ્રમણ ભગવાન મહાવીર અહીં પધાર્યા છે, તો હું જાઉં અને ભગવાનને વંદના કરું. આ પ્રમાણે વિચાર કરીને તે ધીરે-ધીરે નંદા પુષ્કરિણીમાંથી બહાર નીકળીને, રાજમાર્ગ ઉપર આવીને મારી પાસે આવવા માટે ઉત્કૃષ્ટ દર્દ ગતિથી અર્થાતુ દેડકાને યોગ્ય તીવ્ર ચાલથી ચાલવા લાગ્યો.