SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય મનુષ્ય શીતળ છાયાનો ઉપયોગ કરે છે, જ્યારે વિશિષ્ટ બુદ્ધિશાળી વ્યક્તિ, અમૃતફળનો સ્વાદ ચાખે છે. અસ્તુ... અહીં, અનુયોગ બાબત આટલું કહ્યું, હવે આ શાસ્ત્રના આખા નામનો અર્થ સંક્ષેપમાં કહીએ છીએ. અભિધાન રાજેન્દ્ર કોશમાં “જ્ઞાત''નો અર્થ ઉદાહરણ કર્યો છે– “૩ાહરણનિ મારતાનિ તિ જ્ઞાતાનિ' “જ્ઞાતીના ભાવો જ્ઞાતી" દશ ભાવો યત્ર સમાવિષ્ટો સા જ્ઞાતાધર્મથા' સામાન્ય શબ્દ કોશમાં જ્ઞા' ધાતુના સેંકડો અર્થ આપવામાં આવ્યા છે. રાજેન્દ્ર કોશમાંનાથ થHહીં = ज्ञातानि उदाहरणानि, तत्प्रधाना धर्मकथा ज्ञाताधर्मकथा; अथवा ज्ञातानि ज्ञाताध्ययनानि प्रथम श्रुतस्कन्धे, धर्मकथा द्वितीये, यासु ग्रन्थ પદ્ધતિષ તા જ્ઞાતિધર્મજથા || અહીં “જ્ઞાતા”નો અર્થ ઉદાહરણ કરવામાં આવ્યો છે અને એ ઉદાહરણો સાથે ધર્મકથા સંલગ્ન છે; બોધ દાયક છે; માટે શાસ્ત્રનું નામ જ્ઞાતા ધર્મકથા યુક્તિયુક્ત છે. હવે આપણે એક ખાસ વાતની ચર્ચા કરી, આ પ્રકરણ પૂરું કરીશું. આદિકાળ થી કર્મના પ્રભાવે આત્માઓ ચારિત્રથી પડવાઈ થતા આવ્યા છે અથવા શિથિલાચારી પણ બન્યા છે. શાસ્ત્રમાં આવા ઘણા પાત્રોના સાંગોપાંગ ચરિત્ર છે, પરંતુ તે સાધનાથી ડગાયમાન થયા હોય તેવા આત્માઓ પ્રત્યે શાસ્ત્રકાર જરા પણ તિરસ્કાર કે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા નથી તેમજ તેવા જીવો પ્રત્યે નરમ દષ્ટિકોણ રાખી અંતે ભવારમાં તેઓને મોક્ષગામી બનાવ્યા છે. આજના યુગમાં લાગે છે કેઆપણો સમાજ આ વાતનું વિસ્મરણ કરી ગયો છે. “અને છાનાં સન્માનામત્તે ગાયતે સિદ્ધિ' અર્થાત્ ઘણા જન્મોની સાધના એકત્ર થાય ત્યારે જીવ સિદ્ધગતિને પામે છે. ભગવાન મહાવીરનો આત્મા પણ મરિચિમુનિના અવતારમાં કઠોર નિયમથી ભય પામી કેટલાક ઉપકરણનું સેવન કરતા હતા. જ્યારે તે જ આત્મા મહાવીર સ્વામીના અવતારમાં અનંત પરાક્રમ કરી, જગતને ચકિત કરી ગયા છે અને મોક્ષગતિને વરી ગયા છે. આ જ રીતે જ્ઞાતાધર્મકથાંગમાં સતી કાલીનું ઉદાહરણ છે. જે સાધ્વાચારથી ચલિત થઈને ઘણા નિયમોમાં અયોગ્ય પરિવર્તન કરી, સુખપૂર્વક રહેવાનો પ્રયાસ કરે છે. છતાં પણ જીવનને અંતે ઉત્કૃષ્ટ તપ કરી, દેવગતિ પામે છે અને છેવટે મોક્ષ પણ પ્રાપ્ત કરશે. લાગે છે કે– જૈનદર્શન ઘણું જ ઉદાર, દીર્ધદષ્ટિવાળું અને અંતે જે મહાફળ જીવને મળે છે તે ઉપર દષ્ટિ રાખી ચરિત્ર ચિત્રણ કરે છે. આ બધી ધર્મકથાઓ અનુપમ ( 26
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy