SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર–૫ ९७ सो चेव जहण्णकालट्ठिईएस उववण्णो, सच्चेव सत्तमगमगवत्तव्वया, णवरं - कालादेसेणं जहणेणं पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चत्तालीसाए वाससहस्सेहिं अब्भहियाओ, जाव एवइयं कालं गइरागई करेज्जा । ३४ ભાવાર્થ :- તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્ય, જઘન્ય સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો સર્વ કથન સાતમા ગમક અનુસાર જાણવું. વિશેષતા એ છે કે કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૪૦,૦૦૦ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–૮ ॥ ९८ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, सच्चेव सत्तमगमगवत्तव्वया, णवरंकाला - देसेणं जहणेणं एगं सागरोवमं पुव्वकोडीए अब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं काल गइरागई करेज्जा । ભાવાર્થ :- તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્ય, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો સર્વ કથન સાતમા ગમકની સમાન જાણવું. વિશેષતા એ છે કે કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચારપૂર્વકોટિ વર્ષ અધિક ચાર સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.|| ગમક-૯ || વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્યો રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય તો, તેની ઋદ્ધિ અને સ્થિતિનું નિરૂપણ છે. (૧) ઉપપાત— મનુષ્ય મરીને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે સ્થાનાનુસાર જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમ સુધીની સર્વ સ્થિતિ પ્રાપ્ત કરે છે. (૨) પરિમાણ– જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે કારણ કે સંશી મનુષ્યો સંખ્યાતા જ હોય છે. (૩) સંઘયણ– રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થનારાને છ સંઘયણ હોય છે. (૪) અવગાહના– જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની હોય છે. પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સ્થિતિ અનેક માસની છે. તેટલી સ્થિતિ થાય ત્યાં સુધીમાં તેની અવગાહના અનેક અંગુલની થઈ જાય છે. મનુષ્યોમાં આયુષ્ય અને અવગાહના કંઇક અંશે પરસ્પર સાપેક્ષ છે. તેથી સ્પષ્ટ થાય છે કે અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળો કે અંતર્મુહૂર્તની સ્થિતિવાળો મનુષ્ય નરકમાં જઈ શકતો નથી. (૫) સંસ્થાન– ૬ (૬) લેશ્યા– ૬ (૭) દૃષ્ટિ– ૩ (૮) શાનાશાન– નરકમાં ઉત્પન્ન થનારા ગર્ભજ મનુષ્યોને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અને છ સમુદ્દાત કહ્યા છે. તેથી સ્પષ્ટ થાય છે કે મનઃપર્યવજ્ઞાન અને આહારક શરીર પ્રાપ્ત કરીને ત્યાંથી પતિત થઈને જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. તે મનુષ્યોને તેની પૂર્વાવસ્થાની અપેક્ષાએ ચાર જ્ઞાન હોય છે. (૯) યોગ– ૩ (૧૦) ઉપયોગ– ૨ (૧૧) સંજ્ઞા– ૪ (૧૨) કષાય– ૪ (૧૩) ઇન્દ્રિય– પાંચ (૧૪) સમુદ્દાત— તે જીવોને કેવળી સમુદ્દાત છોડીને શેષ છ સમુદ્દાત હોય છે. (૧૫) વેદના— ૨ (૧૬) વેદ– ૩ (૧૭) આયુષ્ય– જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનું હોય છે. અનેક
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy