________________
પદ૨ ]
શ્રી ભગવતી સૂત્ર
गमओ णिरवसेसो भाणियव्वो जावबायरवणस्सइकाइओ पज्जत्तओ बायर वणस्सइ काइएसुपज्जत्तएसुउववाइओ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રથી મારણાત્તિક સમુઠ્ઠાત કરીને, અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! આ રીતે પૂર્વવતુ જાણવું. ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં મારણાન્તિક સમુદ્દઘાત કરીને અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં ઉત્પન્ન થતા સુક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાયિકથી લઇને પર્યાપ્ત બાદર વનસ્પતિકાયમાંથી, પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોમાં પણ ઉત્પત્તિનું કથન કરવું જોઇએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અધોલોકની સ્થાવરનાડીમાં રહેલા એકેન્દ્રિય જીવો ઊદ્ગલોકની સ્થાવરનાડીમાં ઉત્પન્ન થાય અને તે જ રીતે ઊર્ધ્વલોકના એકેન્દ્રિય જીવો અધોલોકમાં ઉત્પન્ન થાય તેની વિવિધ પ્રકારની વિગ્રહગતિ અને તેનું કાલમાન સમજાવ્યું છે. વિકલ્પો - એકેન્દ્રિયના ૨૦ પ્રકારના જીવો તે ૨૦ પ્રકારના જીવોમાં ઉત્પન્ન થાય ૨૦૪૨૦=૪૦૦વિકલ્પો પૂર્વવત થાય છે. તેમાં પણ બાદર તેઉકાયના પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવો અધોલોક કે ઊર્ધ્વલોકના ચરમાન્તમાં નથી. તેથી તે જીવોની ઉત્પત્તિનું કથન અઢીદ્વીપમાં કરવું. વિગ્રહગતિ કાલમાન - ૩ર૪ વિકલ્પોથી ઉત્પન્ન થતાં જીવોની ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ થાય છે. યથા- અધોલોકની ત્રસ નાડીની બહાર રહેલા ૧૮ પ્રકારના જીવો(બાદર તેઉના બે ભેદ છોડીને) ઊર્ધ્વલોકની ત્રસનાડીની બહાર ૧૮ ભેદપણે ઉત્પન્ન થાય. તેથી ૧૮૪૧૮=૩ર૪ વિકલ્પોથી ઉત્પન્ન થતા જીવો દ્વિધાખા-બંને તરફ સ્થાવર નાડીનું આકાશ હોય તેવી ગતિથી ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. જો તે જીવ અધોલોકની સ્થાવર નાડીની કોઈ પણ દિશામાં હોય અને ઊર્ધ્વલોકની સ્થાવરનાડીની કોઈ પણ દિશામાં ઉત્પન્ન થાય તો ત્રણ સમયમાં ઉત્પન્ન થાય છે. તે જીવ પ્રથમ સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે, બીજા સમયે ત્રસનાડીમાં જ ઊર્ધ્વગમન કરે અને ત્રીજા સમયે ત્રસ નાડી બહાર પૂર્વ કે પશ્ચિમ દિશાના પ્રતરમાં ઉત્પન્ન થાય છે. આ રીતે તેને ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચવામાં ત્રણ સમય લાગે છે.
જો તે જીવ અધોલોકમાં ત્રસનાડીની બહાર વાયવ્ય વિદિશામાં હોય અને ઊર્ધ્વલોકમાં ત્રસનાડીની બહાર પૂર્વ દિશામાં ઉત્પન્ન થાય તો પ્રથમ સમયે વાયવ્ય વિદિશામાંથી ઉત્તરદિશામાં આવે, બીજા સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે, ત્રીજા સમયે ત્રસનાડીમાં જ ઊર્ધ્વગમન કરે, ચોથા સમયે ત્રસનાડીની બહાર પૂર્વ દિશામાં ઉત્પન્ન થાય છે. આ રીતે તેને ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચવામાં ચાર સમય લાગે છે. ત્રણ કે ચાર સમયનું કારણ :- તે જીવને અધોલોકની સ્થાવર નાડીમાંથી ઊર્ધ્વલોકની સ્થાવર નાડીમાં ઉત્પન્ન થવાનું છે. તેમાં વચ્ચે લોકના નિષ્ફટ ભાગો હોવાથી તે જીવો સમશ્રેણીથી કે એક વળાંકવાળી ગતિથી એક કે બે સમયમાં ઉત્પન્ન થઈ શકતા નથી. તે જીવને સ્થાવરનાડીમાંથી ત્રસનાડીમાં પ્રવેશ કરીને પછી ઊર્ધ્વગમન કરવું પડે છે અને પછી તે ત્રસનાડીની બહાર સ્થાવરનાડીમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવને ઓછામાં ઓછા ત્રણ સમય થાય જ છે અને જો તે જીવને વિદિશામાં ઉત્પન્ન થવું હોય તો ચાર સમય થાય છે.