SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩૪: અવાંતર શતક-૧ [ ૫૫૯] સમશ્રેણીમાં થતું નથી. તેથી ત્યાં ઉત્પન્ન થતા જીવો એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થતા નથી. તેને બે સમય અથવા ત્રણ સમય થાય છે. આ રીતે ૭૨ વિકલ્પોથી ઉત્પન્ન થતા જીવો બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ૪૦૦ વિકલ્પોમાં ૭ર વિકલ્પોને બાદ કરતાં ૪૦૦-૭=૩૨૮ વિકલ્પથી ઉત્પન્ન થતા જીવો એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. આ જ રીતે સાતમી નરક પૃથ્વી સુધીના ચારે ચરમતમાં વિગ્રહગતિના વિકલ્પો અને વિગ્રહગતિની સ્થિતિ જાણવી. અધો-ઊર્ધ્વલોકાંતમાં એકેન્દ્રિયોની વિગ્રહગતિ:१४ अपज्जत्तसुहमपुढविकाइएणं भंते ! अहोलोयखेत्तणालीए बाहिरिल्लेखेत्तेसमोहए समोहणित्ता जे भविए उड्डलोयखेतणालीए बाहिरिल्लेखेतेअपज्जत्तसुहमपुढविकाइयत्ताए उववज्जित्तए सेणं भंते !कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा ! तिसमइएण वा चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा। सेकेणटेणंभते! एवंकुच्चइ-तिसमइएण वाचउसमइएण वा विग्गहेणं ववज्जेज्जा? गोयमा ! अपज्जत्तसुहुमपुढविकाइए णं अहोलोयखेत्तणालीए बाहिरिल्ले खेत्ते समोहए, समोहणित्ता जे भविए उड्डलोयखेत्तणालीए बाहिरिल्लेखेतेअपज्जत्तसुहमपुढविकाइयत्ताए एगपयरंमि अणुसेढीए उववज्जित्तए, सेणं तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा; जे भविए विसेढीए उववज्जित्तए सेणंचउसमइएणं विग्गहेणं उववज्जेज्जा,सेतेणद्वेणं जावउववज्जेज्जा । एवंपज्जत्तसुहमपुढविकाइयत्ताए वि, एवं जावपज्जत्तसुहुमतेउकाइयत्ताए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો, અધોલોકની ત્રસ નાડીની બહારના ક્ષેત્રથી મારણાત્તિક સમુદઘાત કરીને ઊદ્ગલોકની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો હે ભગવન્! તે કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! તે ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો અધોલોકની ત્રસનાડીની બહારના ક્ષેત્રથી મારણાન્તિક સમુઘાત કરીને ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે કોઈ એક પ્રતરની અનુશ્રેણી–દિશામાં ઉત્પન્ન થાય, તો તે ત્રણ સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે અને વિશ્રેણીમાં—વિદિશામાં ઉત્પન્ન થાય, તો તે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે તે જીવો ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.” આ રીતે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે યાવતું સૂક્ષ્મ તેઉકાયિકપણે ઉત્પન્ન થાય, તેના વિષયમાં પણ જાણવું જોઈએ. १५ अपज्जत्तसुहुमपुढविकाइएणंभंते ! अहेलोग जावसमोहणित्ता जे भविए समयखेते अपज्जत्तबायरतेउकाइयत्ताए उववज्जित्तएसेणंभते !कइसमइएणं विग्गहेणंउववज्जेज्जा। गोयमा ! दुसमइएण वा तिसमइएण वा विग्गहेणं उववज्जेज्जा।
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy