SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩૦ઃ ઉદ્દેશક-૧ ૫૦૧ ] सच्चेव णेरइयाणं वि जाव अणागारोवउत्ता, णवरं-जं अत्थितं भाणियव्वं, सेसंण भण्णइ । जहाणेरइया एवं जावथणियकुमारा। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સલેશી નૈરયિકો શું ક્રિયાવાદી છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ યાવત કાપોતલેશી નૈરયિકો પર્યત જાણવું.કૃષ્ણપાક્ષિક નૈરયિકો ક્રિયાવાદી નથી. આ રીતે અને આ જ ક્રમથી જીવોની વક્તવ્યતા અનુસાર નૈરયિકોના વિષયમાં અનાકારોપયુક્ત પર્યત જાણવું. પરંતુ તેમાં જે બોલ હોય તેનું જ કથન કરવું જોઈએ. શેષ બોલનું કથન કરવું નહીં. નૈરયિકોની સમાન અસુરકુમારથી સ્વનિતકુમાર પર્યત દશ ભવનપતિ દેવોનું કથન કરવું. ९ पुढविकाइयाणंभते! किं किरियावाई,पुच्छा?गोयमा!णोकिरियावाई,अकिरियावाई वि। अण्णाणियवाई वि,णोवेणइयवाई। एवं पुढविकाइयाणंजं अत्थि तत्थ सव्वत्थ वि एयाइंदो मज्झिल्लाइंसमोसरणाई जावअणागारोवउत्ता वि । एवं जावचउरिदियाण सव्वठाणेसु एयाइंचेव मज्झिल्लगाइंदोसमोसरणाई,णवरं-विगलिंदियाणंसम्मतणाणेहिं वि एयाणि चेव मज्झिल्लगाइदो समोसरणाई। पंचिंदियतिरिक्खजोणिया जहा जीवा, णवरं-जंअत्थितंभाणियव्वं । मणुस्सा जहाजीवातहेवणिरवसेस । वाणमंतस्जोइसिय वेमाणिया जहा असुरकुमारा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું પૃથ્વીકાયિક જીવો ક્રિયાવાદી છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તે ક્રિયાવાદી અને વિનયવાદી નથી, અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી છે. આ રીતે પૃથ્વીકાયિક જીવોમાં જે-જે બોલ હોય તે સર્વમાં યાવતુ અનાકારોપયોગયુક્ત જીવોમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી તે બે સમવસરણ હોય છે યાવત અનાકારોપયોગ પર્યત જાણવા જોઈએ. આ જ રીતે ચૌરેન્દ્રિય સુધીના જીવોને પ્રાપ્ત સર્વ બોલોમાં મધ્યના બે સમવસરણ હોય છે. વિકસેન્દ્રિયોમાં સમ્યક્ત્વ અને જ્ઞાનમાં પણ મધ્યના બે સમવસરણ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયનું કથન ઔધિક જીવોની સમાન છે, પરંતુ તેમાં જે બોલ હોય તે જ કહેવા જોઈએ. મનુષ્યનું સંપૂર્ણ કથન ઔધિક જીવોની સમાન છે. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકનું કથન અસુરકુમારદેવોની સમાન છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોમાં ચાર પ્રકારના સમવસરણનું નિરૂપણ છે. નારક અને દેવઃ- સાત નરક અને દેવમાં જે બોલ પ્રાપ્ત થાય છે, તેમાં ચાર પ્રકારના સમવસરણ હોય છે કારણ કે નારકો અને દેવો સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોય છે. તે સિવાય કૃષ્ણપક્ષી, સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, મિશ્રદષ્ટિ, જ્ઞાની-અજ્ઞાનીમાં સમવસરણનું કથન ઔવિક જીવોની સમાન છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયઃ- પૃથ્વીકાયિકાદિ સ્થાવર જીવો, મિથ્યાદષ્ટિ હોવાથી તેમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી, બે સમવસરણ હોય છે. યદ્યપિ તેમાં વચનનો અભાવ હોવાથી કોઈપણ વાદ હોતા નથી, તેમ છતાં તે તે વાદને યોગ્ય પરિણામ હોવાથી તેમાં સમવસરણનું કથન કર્યું છે. ક્રિયાવાદ અને
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy