SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮૨ ] | શ્રી ભગવતી સૂત્ર-૫ अवट्ठियपरिणामे होज्जा?गोयमा !वड्डमाणपरिणामेवा होज्जा, एवं जहा पुलाए । एवं जावपरिहारविसुद्धिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું વર્ધમાન પરિણામી હોય છે, હીયમાન પરિણામી હોય છે કે અવસ્થિત પરિણામી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! વર્ધમાન પરિણામી હોય છે ઇત્યાદિ સર્વ કથન પુલાકની સમાન છે. આ જ રીતે પરિહાર વિશુદ્ધ સંયત પર્યત જાણવું. ५२ सुहमसंपराए णं भंते ! पुच्छा?गोयमा ! वड्डमाणपरिणामेवा होज्जा,हीयमाणपरिणामेवा होज्जा,णो अवट्ठियपरिणामे होज्जा । अहक्खाए जहा णियंठे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયત શું વર્ધમાન પરિણામી હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! વર્ધમાન પરિણામી અથવા હીયમાન પરિણામી હોય છે, અવસ્થિત પરિણામી નથી. યથાખ્યાત સંયત નિગ્રંથ નિયંઠાની સમાન છે. ५३ सामाइयसंजएणंभंते! केवइयंकालंवड्डमाणपरिणामहोज्जा? गोयमा !जहण्णेणं एक्कं समय, एवं जहा पुलाए । एवं जावपरिहारविसुद्धिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત કેટલા કાલ સુધી વર્ધમાન પરિણામી હોય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય એક સમય ઇત્યાદિ પુલાકની સમાન જાણવું. આ જ રીતે છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધ સંયતના વિષયમાં જાણવું. ५४ सुहुमसंपरायसंजए णं भंते ! केवइयंकालं वड्डमाणपरिणामे होज्जा? गोयमा ! जहण्णेण एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । सेणं भंते ! केवइयं कालं हीयमाण परिणामे होज्जा? गोयमा ! एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયત કેટલા કાલ સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે. પ્રશ્નહે ભગવન્! તે કેટલા કાલ સુધી હીયમાન પરિણામી હોય છે. ઉત્તર- હે ગૌતમ! તે જ રીતે જાણવું. ५५ अहक्खायसंजए णं भंते ! केवइयं कालं वड्डमाणपरिणामे होज्जा? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । सेणं भंते ! केवइयं कालं अवट्ठिय परिणामे होज्जा? गोयमा !जहण्णेणं एक्क समयं, उक्कोसेणं देसूणा पुव्वकोडी। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! યથાખ્યાત સંયત કેટલા કાલ સુધી વર્ધમાન પરિણામી હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત સુધી વર્ધમાન પરિણામી હોય છે. પ્રશ્નહે ભગવન્! યથાખ્યાત સંયત કેટલા કાલ સુધી અવસ્થિત પરિણામી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી અવસ્થિત પરિણામી હોય છે. વિવેચન : સૂક્ષ્મ સંપરાય સંયત જ્યારે શ્રેણી પર ચઢે છે ત્યારે વર્ધમાન પરિણામ હોય છે અને જ્યારે
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy