SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ ] શ્રી ભગવતી સૂત્ર-૫ ચારિત્ર ઉત્સર્પિણી કાલના છએ આરામાં હોય છે, (૨) અવસર્પિણી કાલના છએ આરામાં હોય છે, (૩) નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલના પહેલા, બીજા, ત્રીજા અને ચોથા, એ ચાર આરાની સમાન કાલમાં હોય છે અર્થાત્ ૩૦ અકર્મભૂમિ, છપ્પન અંતરદ્વીપ અને મહાવિદેહ ક્ષેત્રમાં સદા નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલ છે. ત્યાં ક્રમશઃ પ્રથમ ચાર આરાની સમાન કાલ છે. સંહરણની અપેક્ષા એ તે સર્વ ક્ષેત્રોમાં સામાયિક ચારિત્ર હોય છે. છેદોષસ્થાનપીય ચારિત્ર :- જન્મ, સભાવ અને સંહરણ સંબંધી સંપૂર્ણ કથન સામાયિક ચારિત્રની સમાન છે. વિશેષતા એ છે કે છેદોષસ્થાનીય ચારિત્ર જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલ(મહાવિદેહક્ષેત્રોમાં હોતું નથી. પરિહારવિશલ ચારિત્ર - જન્મની અપેક્ષાએ- (૧) અવસર્પિણીકાલના ત્રીજા, ચોથા આરામાં હોય છે. (૨) ઉત્સર્પિણીકાલના બીજા, ત્રીજા અને ચોથા આરામાં હોય છે, (૩) નોઉત્સર્પિણી-નોઅવસર્પિણી કાલમાં પરિહાર વિશુદ્ધ ચારિત્ર હોતું નથી. સભાવની અપેક્ષાએ- (૧) અવસર્પિણી કાલના ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં હોય છે. (૨) ઉત્સર્પિણી કાલના ત્રીજા અને ચોથા આરામાં હોય છે. (૩) નોઉત્સર્પિણી નોઅવસર્પિણીકાલ(મહાવિદેહક્ષેત્રોમાં હોતું નથી, હરણની અપેક્ષાએ કોઈ પણ કાલમાં હોતું નથી. કારણ કે પરિહાર વિશુદ્ધ સંયતનું સંહરણ થતું નથી. સૂમપરાય અને યથાખ્યાત ચારિત્ર:- જન્મની અપેક્ષાએ– (૧) અવસર્પિણી કાલના ત્રીજા, ચોથા આરામાં; ઉત્સર્પિણી કાલના બીજા, ત્રીજા અને ચોથા આરામાં તથા નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલ (મહાવિદેહક્ષેત્ર)ના ચોથા આરા સમાન કાલમાં જન્મેલા મનુષ્યને હોય છે, સદ્દભાવની અપેક્ષાએઅવસર્પિણીના ત્રીજા, ચોથા, પાંચમા આરામાં હોય છે. ઉત્સર્પિણીકાલના ત્રીજા, ચોથા આરામાં હોય છે અને નોઉત્સર્પિણી નોઅવસર્પિણીકાલ(મહાવિદેહક્ષેત્ર)માં ચોથા આરાની સમાન કાલમાં હોય છે. સંહરણની અપેક્ષાએ બંને ચારિત્ર સર્વકાલમાં હોય છે. આ બંને ચારિત્રવાળા અપ્રમત્ત છે તેથી તેનું સંહરણ થતું નથી પરંતુ કોઈદેવ પ્રમત્ત અવસ્થામાં સાધુનું સંહરણ કરીને કોઈ પણ ક્ષેત્રમાં લઈ જાય અને ત્યાં જઈને તે જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, ત્યારે તે જીવને સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત આ બંને ચારિત્ર હોય છે. સંયતોમાં કાલ : | | સુષમા સુષમા સુષમા | સુષમ દુષમા | ઇષમ સુષમા દુષમા | દુષમદુપમા Y | Y | X | X | સામાગુઅવશે અને - | + X | X - -+ * | | E +– x| ૪ X | પરિ૦ અવે | X | X | ૪ | x ઉત્સ X | x સૂક્ષ્મ અવક | x li -4-Ft | યથા [ઉત્સ| *|*| Y | *| * | " - | * | | | | | | | | | | | | | | | | | | |
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy