SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫: ઉશક-૭ ૩૬૫] (૫) નિગ્રંથ દ્વાર:१३ सामाइयसंजए णं भंते ! किं पुलाए होज्जा, बउसे जाव सिणाए होज्जा? गोयमा!पुलाए वा होज्जा, बउसे जावकसायकुसीलेवा होज्जा,णोणियंठे होज्जा, णो सिणाए होज्जा । एवं छेओवट्ठावणिए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું પુલાક, બકુશ વાવ સ્નાતક હોય છે? ઉત્તરહે ગૌતમ! તે પુલાક, બકુશ યાવત્ કષાયકુશીલ હોય છે પરંતુ નિગ્રંથ અને સ્નાતક હોતા નથી. આ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. १४ परिहारविसुद्धियसंजए णं भंते! पुच्छा? गोयमा!णोपुलाए, णोबउसे, णो पङिसेवणाकुसीले होज्जा, कसायकुसीले होज्जा, णो णियंठे होज्जा, णो सिणाए होज्जा। एवं सुहुमसंपराए वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરિવાર વિશુદ્ધ સંયત, પુલાક યાવતુ સ્નાતક હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે પલાક, બકુશ, પ્રતિસેવનાશીલ, નિગ્રંથ અને સ્નાતક હોતા નથી પરંતુ કષાયકુશીલ હોય છે. આ રીતે સૂક્ષ્મ સંપરાય પણ જાણવા. १५ अहक्खायसंजएणंभंते !पुच्छा?गोयमा !णोपुलाएहोज्जा जावणोकसायकुसीले હોન્ના,ણિયવાહોન્ના, સિગાવા હોન્ના / ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત શું પુલાક યાવતું સ્નાતક હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે પુલાક યાવતુ કષાયકુશીલ હોતા નથી પરંતુ નિગ્રંથ અથવા સ્નાતક હોય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ચારિત્રમાં મુલાકાદિષ્ટપ્રકારના નિગ્રંથોનું કથન કર્યું છે. પુલ પરિણામ વારિત્રત્વના પુલાકાદિ નિગ્રંથપણાના ભાવો પણ ચારિત્ર રૂપ જ છે. પાંચ ચારિત્ર અને છ પ્રકારના નિગ્રંથપણાના ભાવ પરસ્પર સાપેક્ષ છે. પાંચ ચારિત્રમાં ક્રમશઃ કયા કયા નિગ્રંથપણાના ભાવો હોય શકે છે? તેનું વિશ્લેષણ પ્રસ્તુત દ્વારમાં છે. સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં પ્રથમના ચાર નિયંઠા હોય છે. આ બંને ચારિત્ર સરાગી હોય છે. તેથી નિગ્રંથ કે સ્નાતક બની શકતા નથી. પરિહાર વિશદ્ધ અને સમસપરાય ચારિત્રમાં કષાયકુશીલનિગ્રંથ જ હોય છે કારણ કે પરિહાર વિશુદ્ધ ચારિત્ર એક વિશિષ્ટ પ્રકારની તપસાધના છે અને કમપરાય ચારિત્રમાં સૂક્ષ્મલોભનો ઉદય હોય છે, બાદર કષાયનો ઉદય નથી. આ બંને ચારિત્રોમાં દોષ સેવન થતું નથી. તેથી તેમાં અપ્રતિસવી એક માત્ર કષાયકુશીલપણું જ હોય છે. આ બંને ચારિત્ર સરાગી હોવાથી તેમાં નિગ્રંથ અને સ્નાતકપણું હોતું નથી. યથાખ્યાત ચારિત્રમાં નિગ્રંથ અને સ્નાતક બંને નિયંઠા હોય છે, અગિયારમા, બારમા ગુણસ્થાને નિગ્રંથ અને તેરમા, ચૌદમા ગુણસ્થાને સ્નાતક હોય છે.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy