SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫ : ઉદ્દેશ ૧ ગ્રહણ કરવાનું, ગ્રહણ કરેલા પુદ્ગલોને શરીરાદિ રૂપે પરિણત કરવાનું અને તેના આલંબનનું સાધન, તે યોગ છે. સંસારી જીવોમાં તે વીર્યશક્તિ વીયતરાયકર્મના ક્ષય કે સોપશમથી પ્રગટ થાય છે. તે વીર્યશક્તિ દ્વારા જીવો ઔદારિક આદિ શરીર યોગ્ય પુદ્દગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તેને શરીરરૂપે પરિણમાવે છે. તે જ રીતે શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને તેને તે તે રૂપે પરિણમાવે છે. તેને પરિણત કરીને તેનું આલંબન, સહાયતા લઈને અન્ય પુદ્ગલ ગ્રહણ કરે છે. યોગના પ્રકાર :– પુદ્ગલ ગ્રહણ કરવાના મુખ્ય ત્રણ સાધનો છે. મન, વચન અને કાયા. તેથી યોગના પણ મુખ્ય ત્રણ પ્રકાર છે. મનના નિમિત્તથી થતો વ્યાપાર મનોયોગ, વચનના નિમિત્તથી થતો વ્યાપાર વચનયોગ અને કાયાના નિમિત્તથી થતો વ્યાપાર, તે કાયયોગ કહેવાય છે. આ રીતે જીવમાં વિદ્યમાન યોગ નામક શક્તિથી તે મન, વચન અને કાયાનું નિર્માણ કરે છે અને આ મન, વચન, કાયા જ તેની યોગશક્તિના આલંબનભૂત છે. આ રીતે બંને પરસ્પર સાપેક્ષ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોમાં આ યોગશક્તિ ભિન્ન-ભિન્ન માત્રામાં પ્રગટ થાય છે. તેની બે અવસ્યાઓ છે— જઘન્ય અને ઉત્કૃષ્ટ, સંસારી જીવોના ૧૪ પ્રકાર છે, તેના યોગના જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભેદ થતાં ર૮ પ્રકાર થાય છે. અપબર્તૃત્વ ઃ- (૧) સર્વથી થોડા સૂક્ષ્મ એકેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તાનો જયન્ય યોગ છે. કારણ કે તે જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ છે. તે ઉપરાંત તે જીવ અપર્યાપ્ત હોવાથી તેનું શરીર અપૂર્ણ હોય છે તેથી અન્ય જીવોના યોગોની અપેક્ષાએ તેની યોગ શક્તિ અલ્પ હોય છે. તે યોગ ઉત્પત્તિના પ્રથમ સમયે જ્યારે કામણ શરીર દ્વારા ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય ત્યારે જ હોય છે. ત્યાર પછી સમયે-સમયે યોગમાં વૃદ્ધિ થાય છે. (૨) તેનાથી બાદર એકેન્દ્રિયના અપર્યાપ્તાનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણો હોય છે. તેનું શરીર બાદર હોવાથી તેનો યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. આ રીતે ક્રમશઃ પ્રત્યેક જીવોના યોગના વિષયમાં જાણવું જોઈએ. નીચેના કોષ્ટકમાં જઘન્ય યોગ અને ઉત્કૃષ્ટ યોગના કોલમમાં અંકો દર્શાવ્યા છે. તે અંકો મુજબ ૧ થી ૨ અને ૨ થી ૩, એમ ઉત્તરોત્તર અસંખ્યાતગુણી યોગ શક્તિ તે તે જીવોની હોય છે. ૧૪ પ્રકારના જીવોના જઘન્ય-ઉત્કૃષ્ટ યોગનું અલ્પબહુત્વ – અપર્યાપ્ત ઉત્કૃષ્ટ જીવ પ્રકાર | 1 | સૂક્ષ્મ એકેન્દ્રિય ૨ | બાદર એકેન્દ્રિય ૩ | બેઇન્દ્રિય ૪ | તેઇન્દ્રિય અપર્યાપ્ત જઘન્ય સર્વથી અલ્પ ૧ ૧૦. અસંખ્યો ૨ અસંખ્યગુણો ૧૧. અસંખ્યગુો ૩ અસંખ્યગુણો ૧૯ અસંખ્યગુણો ૪ અસંખ્યગુણો ૨૦ અસંખ્યગુણો ૧૯૧ ૫| ચૌરેન્દ્રિય ૫ ૬ | અસંજ્ઞી પંચેન્દ્રિય ૬ અસંખ્યગુણો ૨૧ અસંખ્યગુણો અસંખ્યગુણો ૨૨ અસંખ્યગુણો ૭ | સંજ્ઞી પંચેન્દ્રિય ૭ અસંખ્યગુણો ૨૩ અસંખ્યગુણો કોષ્ટકમાં આપેલા ક્રમાંક પ્રમાણે અલ્પબહુત્વ સમજવું. પર્યાપ્ત જઘન્ય ८ ૯ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ પર્યાપ્તા ઉત્કૃષ્ટ અસંખ્યગુણો અસંખ્યગુણો અસંખ્યગુણો અસંખ્યગુણો અસંખ્યગુણો અસંખ્યગુણો અસંખ્યો અસંખ્યગુણો ૧૨ અસંખ્યગુણો ૧૩ અસંખ્યગુણો ૨૪ અસંખ્યગુણો | ૨૫ અસંખ્યગુણો | ૨૬ અસંખ્યગુણો | ૨૭ અસંખ્યગુણો | ૨૮
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy