SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] શ્રી ભગવતી સૂત્ર-૫ उववज्जित्तए से णं भंते! केवइय काल ठिईएसु उववज्जेज्जा? गोयमा! जहण्णेणं दसवास- सहस्सठिईएसु, उक्कोसेणं पलिओवमठिईएसु । सेसं तं चेव जहा णागकुमारउद्देसए जावकालादेसेणं जहण्णेणं साइरेगा पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेण चत्तारि पलिओवमाइ जावएवइयं कालंगइरागई करेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને, વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિવાળા વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન નાગકુમાર ઉદ્દેશક અનુસાર જાણવું થાવ, કાલાદેશથી જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક–૧ / | ४ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णो जहेवणागकुमाराणं बिइयगमेवत्तव्वया। ભાવાર્થ - તે અસંખ્યાત વર્ષાયુષ્ક સંશી તિર્યંચો મરીને, જઘન્ય કાલની સ્થિતિવાળા વાણવ્યંતરદેવોમાં ઉત્પન્ન થાય તો નાગકુમારના બીજા ગમકમાં કહેલી વક્તવ્યતા જાણવી જોઈએ. એ ગમક-૨ / ५ सोचेव उक्कोसेणकालढिईएसुउववण्णोजहण्णेणंपलिओवमट्ठिईएसु, उक्कोसेणं वि पलिओवमट्ठिईएसु । एस चेव वत्तव्वया, णवरं-ठिई से जहण्णेणं पलिओवमं, उक्कोसेणं तिण्णि पलिओवमाइं । संवेहो जहण्णेणं दोपलिओवमाई, उक्कोसेणं चत्तारि पलिओवमाई, जावएवइयं कालंगइरागडुकरेज्जा । मज्झिमगमगा तिण्णि वि जहेव णागकुमारेसु । पच्छिमेसु तिसुगमएसुतंचेव जहा णागकुमारुद्देसए, णवरं-ठिई संवेह च जाणेज्जा । संखेज्जवासाउय सण्णिपचिदिय तिरिक्खजोणिए वितहेव, णवर-ठिई अणुबंधो संवेहं च उभओ ठिईए जाणेज्जा। ભાવાર્થ :- સંજ્ઞી તિર્યંચો મરીને, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા વાણવ્યંતરદેવોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિવાળા વાણવ્યંતરદેવોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. સ્થિતિ-જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની જાણવી જોઈએ. સંવેધ–જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ છે યાવત એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. | ગમક–૩ મધ્યના ત્રણ ગમક અને અંતિમ ત્રણ ગમક નાગકુમાર ઉદ્દેશક અનુસાર છે, પણ સ્થિતિ અને સંવેધ(કાલાદેશ) ઉપયોગ પૂર્વક જાણવા. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના વિષયમાં પણ તે જ રીતે (નાગકુમારવતુ) જાણવું જોઈએ પરંતુ સ્થિતિ અને અનુબંધ જુદા છે. સંવેધ(કાલાદેશ) બંનેની સ્થિતિને સંમિલિત કરીને જાણવો જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચ અને યુગલિક તિર્યંચની વ્યંતર દેવોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા નાગકુમાર ઉદ્દેશકના અતિદેશ પૂર્વક છે.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy