SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪: ઉદ્દેશક-૨૨ ૧૪૯ યુગલિક તિર્યંચનો કાલાદેશ - તેની સ્થિતિ જઘન્ય ક્રોડપૂર્વ ઝાઝેરી, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે અને વાણવ્યંતર દેવોમાં તે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમની સ્થિતિ પામે છે. ૧) શિક-શિક- આગમમાં યગલિક તિર્યંચની સ્થિતિ જઘન્ય ક્રોડપર્વ ઝાઝેરી, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે અને તે વાણવ્યંતર દેવમાં જઘન્ય-૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ–૧ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે તથા બે ભવ કરે છે. તેથી તેનો કાલાદેશ જઘન્ય સાધિક ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ બંને સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ મળીને (૩+૧=)૪ પલ્યોપમ થાય છે. (૨) ઔધિક-જઘન્ય- ઔધિક સ્થિતિવાળા યુગલિક તિર્યચો વાણવ્યંતરદેવોમાં જઘન્ય ૧0,000 વર્ષની સ્થિતિ પામે તો, તેનો કાલાદેશ જઘન્ય સાધિક ક્રોડ પૂર્વવર્ષ અને ૧૦,000 વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક થાય છે. (૩) ઔવિક-ઉત્કૃષ્ટ– આ ગમકથી યુગલિકતિર્યંચ એક પલ્યોપમની સ્થિતિએ વાણવ્યંતર દેવમાં ઉત્પન્ન થાય અને તે યુગલિક તિર્યંચની સ્થિતિ પણ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. કારણ કે એક પલ્યોપમથી ઓછી સ્થિતિવાળા યુગલિકો વાણવ્યતરની ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી. આ રીતે જઘન્ય એક પલ્યોપમ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા યુગલિક તિર્યંચ ત્રીજા ગમકથી વ્યંતરદેવમાં જઘન્ય-ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય, તો તેનો કાલાદેશ જઘન્ય બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ હોય છે. આ રીતે શેષ ગમક પણ સમજી લેવા જોઈએ. યુગલિક તિર્યંચ વાણવ્યંતરમાં નવે નમકથી જઘન્ય, ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચઃ- તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વની છે અને વાણવ્યંતર દેવમાં તે સ્થાનાનુસાર જઘન્ય–૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ-૧ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે નવ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. યુગલિક તિર્યંચોનો વાણવ્યંતર દેવો સાથે કાલાદેશ :ગમક. જઘન્ય(બે ભવ) ઉત્કૃષ્ટ(બે ભવ). (૧) ઓ ઔ | સાધિક ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,000 વર્ષ ચાર પલ્યોપમ (૨) ઔ જઘ૦ | સાધિક ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,000 વર્ષ ૩ પલ્યોપમ અને ૧0,000 વર્ષ (૩) - ઉ. બે પલ્યોપમ ચાર પલ્યોપમ (૪) જઘ ઔર સાધિક ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,000 વર્ષ સાધિક બે ક્રોડપૂર્વ વર્ષ (૫) જઘ૦ જઘ૦ સાધિક ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,000 વર્ષ સાધિક ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,000 વર્ષ (૬) જઘ૦ ઉ૦ સાધિક બે ક્રોડપૂર્વ વર્ષ સાધિક બે ક્રોડપૂર્વ (૭) ઉ ઔર ૩ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ ચાર પલ્યોપમ (૮) ઉ૦ જઘ૦ ૩ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ ૩ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ (૯) ઉ ઉ. ૪ પલ્યોપમ ચાર પલ્યોપમ યુગલિક તિર્યંચની સ્થિતિ-જઘન્ય સાધિક ક્રોડપૂર્વ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. વ્યંતર દેવની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમ. નાણતા :- સંજ્ઞી તિર્યંચ વાણવ્યંતરમાં જાય તેના ૧૦ નાણત્તા થાય છે. જઘન્ય ગમકમાં-૮ નાણત્તા થાય છે– (૧) અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અનેક ધનુષ, (૨) વેશ્યા-૩,
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy