SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર-૫ સંશી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય ? ઉત્તર– હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે પરંતુ અસંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી. ૮૨ ३३ जइ णं भंते! संखेज्जवासाउय-सण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंतिવિ નલવરેષિતો, પુછો ?નોયમા ! ના અક્ષીળ વવાઓ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિકો સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું જલચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ! ઉપપાત દ્વાર સંબંધી સર્વ વક્તવ્યતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સમાન જાણવી જોઈએ. ३४ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जंति ? गोयमा ! जहा रयणप्पभाए उववज्जमाणस्स सण्णिस्स तहेव इह वि, णवरंओगाहणा जहणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं जोयणसहस्सं, सेसं तहेव जाव कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ अट्ठासीईए वाससहस्सेहिं अब्भहियाओ जाव एवइयं कालं गइरागई करेज्जा । एवं संवेहो णवसु वि गमएसु जहा असण्णीणं तहेव णिरवसेसं । लद्धि से आदिल्लएसु तिसु वि गमएसु एस चेव । मज्झिल्लएसु तिसु वि गमएस एस चेव, णवरं इमाई णव णाणत्ताईओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । તિષ્નિ એસ્સાઓ મિચ્છાટ્ટિી । તો અળાળા । જાયનોની । તિળિ સમુપાયા । ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं । अप्पसत्था अज्झवसाणा । अणुबंधो जहा ठिई, सेस तं चेव । पच्छिल्लएसु तिसु वि गमएसु जहेव पढमगमए, णवरं - ठिई अणुबंधो जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी । सेसं तं चेव । ભાવાર્થ -- પ્રશ્ન- હે ભગવન્ ! તે સંખ્યાત વર્ષાયુષ્ક સંશી પંચેન્દ્રિય તિર્યંચ, પૃથ્વીકાયિક જીવોમાં આવીને ઉત્પન્ન થાય છે, તો એક સમયમાં કેટલા જીવો આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જે રીતે રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સંબંધી વક્તવ્યતા કહી, તે જ રીતે અહીં પણ જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજનની હોય છે. શેષ કથન તે જ પ્રમાણે જાણવું જોઈએ. યાવત્ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ૮૮,૦૦૦ વર્ષ સુધી યાવત્ ગમનાગમન કરે છે, આ રીતે નવ ગમકોમાં સંવેધ—અસંશી પંચેન્દ્રિય તિર્યંચોની સમાન છે. પ્રથમના ત્રણ ગમકોમાં પૂર્વવત્ વક્તવ્યતા જાણવી જોઈએ. મધ્યના(૪,૫,૬) ત્રણ ગમકોમાં નવ નાણત્તા છે, યથા– (૧)અવગાહના– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ (૨) લેશ્યા–ત્રણ (૩) દૃષ્ટિમિથ્યાદષ્ટિ (૪) અજ્ઞાન–બે (૫) કાયયોગ (૬) સમુદ્દાત–ત્રણ (૭) સ્થિતિ– જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત (૮) અધ્યવસાય–અપ્રશસ્ત (૯) અનુબંધ –સ્થિતિ અનુસાર થાય છે. શેષ પૂર્વવત્. અંતિમ ત્રણ ગમકો (૭,૮,૯)માં પ્રથમ ગમકની સમાન છે. વિશેષતા એ છે કે તેની સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષના હોય છે. શેષ પૂર્વવત્.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy