________________
શ્રી ભગવતી સૂત્ર-૫
નાણત્તા-૬ :– અપ્લાય મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે પૃથ્વીકાયની સમાન નાણત્તા-૬ થાય છે. તેઉકાયિકોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
૭૨
१६ भंते ! उक्काइएहिंतो उववज्जति, पुच्छा ? गोयमा ! तेडक्काइयाण वि एस चैव वत्तव्वया, वरं - णवसुवि गमएसु तिण्णि लेस्साओ । तेडक्काइया णं सुईकलाव संठिया । ठिई जाणियव्वा । तईय गमए कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साई अंतोमुहुत्तमब्भहियाइं उक्कोसेणं अट्ठासीइं वाससहस्साइं बारसहिं राईदिएहिं अब्भहियाई जाव एवइयं कालं गइरागई करेज्जा । एवं संवेहो उवजुंजिऊण भाणियव्वो ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે પૃથ્વીકાય જીવ, તેઉકાયમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! આ વિષયમાં પણ અપ્લાયની સમાન વક્તવ્યતા જાણવી જોઈએ. વિશેષતા એ છે કે અહીં નવ ગમકોમાં ત્રણ લેશ્યા જ હોય છે. તેઉકાયનું સંસ્થાન સોયના ભારા સમાન છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે. ત્રીજા ગમકમાં કાલાદેશજઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ બાર અહોરાત્ર અધિક ૮૮,૦૦૦ વર્ષ છે; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે શેષ ગમકમાં પણ સંવેધ ઉપયોગપૂર્વક કહેવો જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં તેઉકાયિક જીવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી સંક્ષિપ્ત વર્ણન છે. તેની ઋદ્ધિ પ્રાયઃ પૃથ્વીકાયિકની સમાન છે.
લેશ્યા :– તેઉકાયમાં દેવોની ઉત્પત્તિ થતી નથી. તેથી તેમાં તેજોલેશ્યા નથી. તેને નવેય ગમકમાં પ્રથમ ત્રણ લેશ્યા જ હોય છે. તેથી તેના જઘન્ય ગમકમાં લેશ્યાનો નાણત્તો થતો નથી.
કાયસંવેધ ઃ – ભવાદેશ– પૃથ્વીકાયની જેમ ૧,૨,૪,૫ મા ગમકમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ કરે છે અને ૩,૬,૭,૮,૯ મા ગમકમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. કાલાદેશસ્થિતિ અનુસાર થાય છે.
નાણત્તા :– તેઉકાયિક જીવો મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા– ૫ થાય છે. જઘન્ય ગમકમાં ત્રણ નાણત્તા— આયુષ્ય, અધ્યવસાય અને અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા– આયુષ્ય અને અનુબંધ. વાયુકાયિકોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
१७ जइ भंते! वाउक्काइएहिंतो उववज्जंति, पुच्छा ? गोयमा ! वाउक्काइयाण वि एवं चेव णव गमगा जहेव तेडक्काइयाणं, णवरं - पडागासंठिया पण्णत्ता । संवेहो ह वाससहस्सेहिं कायव्वो । तइयगमए कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साइं अंतमुहुतमब्भहियाइं, उक्कोसेणं एवं वाससयसहस्सं । एवं संवेहो उवजुंजिऊण भाणियव्वो । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિક જીવ, વાયુકાયિકમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પૃચ્છા ? ઉત્તર– હે ગૌતમ ! અહીં વાયુકાયની ઉત્પત્તિ