________________
૫૧૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-ર૦ : ઉદ્દેશક-૧
દ્વીન્દ્રિય
ઉદ્દેશકોનાં નામ :| १ बेइंदिय मागासे, पाणवहे उवचए य परमाणू ।
अंतर बंधे भूमी, चारण सोवक्कमा जीवा ॥ ભાવાર્થ:- આ શતકના દસ ઉદ્દેશકોનાં નામ આ પ્રમાણે છે– (૧) બેઇન્દ્રિય (૨) આકાશ (૩) પ્રાણિવધ (૪) ઉપચય (૫) પરમાણુ (૬) અંતર (૭) બંધ (૮) ભૂમિ (૯) ચારણ અને (૧૦) સોપક્રમ જીવ. વિવેચન :
પ્રસ્તુત સૂત્ર ગાથામાં ઉદ્દેશકોનાં નામ તેના મુખ્ય તથા આદ્ય વિષયના આધારે છે. (૧) વેવિય-પ્રારંભમાં બેઇન્દ્રિય જીવોની ઋદ્ધિનું કથન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ બેઈન્દ્રિય છે. (૨) માને -પ્રારંભમાં આકાશ દ્રવ્યના પ્રકારનું નિરૂપણ હોવાથી બીજા ઉદ્દેશકનું નામ આકાશ છે. (૩) પગવાઈ :- જીવની વૈભાવિક અને સ્વાભાવિક પર્યાયોના કથનમાં પ્રાણાતિપાતનું કથન પ્રથમ હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ પ્રાણવધ છે. (૪) ૩૧૫ - ઇન્દ્રિયોપચયનું પ્રતિપાદન હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ ઉપચય છે. (૫) પરમાણુ - આ વિષય પરમાણુ સંબંધી હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ પરમાણુ છે. (૬) અંતર :- રત્નપ્રભા આદિ પૃથ્વીઓના અંતરાલમાં સ્થાવર જીવોની ઉત્પત્તિ અને આહારનું કથન હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ અંતર છે. (૭) વંધ:-બંધ વિષયક નિરૂપણ હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ બંધ છે. (૮) ધૂન - કર્મભૂમિ-અકર્મભૂમિ સંબંધી વર્ણન હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ ભૂમિ છે. (૯) વારા :- ચારણ મુનિઓ વિષયક વિસ્તૃત વર્ણન હોવાથી નવમા ઉદ્દેશકનું નામ ચારણ છે. (૧૦) સોવખ્યા -પ્રારંભમાં સોપક્રમ અને નિરુપક્રમ આયુષ્યનું પ્રતિપાદન હોવાથી દશમા ઉદ્દેશકનું નામ સોપક્રમ છે. વિકલેન્દ્રિય જીવોનું બાર દ્વારથી નિરૂપણ - |२ रायगिहे जाव एवं वयासी- सिय भंते ! जाव चत्तारि पंच बेइंदिया