________________
૪૬s
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૯ઃ ઉદ્દેશક-૧
લેશ્યા
ઉદ્દેશકોનાં નામ:
लेस्सा य गब्भ पुढवी,महासवा चरम दीव भवणाय ।
णिव्वत्तिकरण वणचर,सुरा य एगूणवीसइमो॥ ભાવાર્થ:- આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) વેશ્યા, (૨) ગર્ભ, (૩) પૃથ્વી, (૪) મહાશ્રવ, (૫) ચરમ, (૬) દ્વીપ, (૭) ભવન, (૮) નિવૃત્તિ, (૯) કરણ અને (૧૦) વાણવ્યંતર દેવ. વિવેચન : -
આદ્ય અને મુખ્ય વિષયોના આધારે ઉદ્દેશકોના નામ આ પ્રમાણે છે. (૧) તેરસ:- લેશ્યાનું અતિદેશાત્મક કથન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ લેગ્યા છે. (૨) નામ:- ગર્ભગત જીવની લેશ્યા વિષયક અતિદેશાત્મકનિરૂપણ હોવાથી બીજા ઉદ્દેશકનું નામ ગર્ભછે. (૩) પુદવી - પાંચ સ્થાવર જીવોની વિચારણામાં પૃથ્વીનું કથન પ્રારંભમાં હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ પૃથ્વી છે. (૪) મણિવા-મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને મહાનિર્જરા, તે ચારના સંયોગથી સોળ ભંગ દ્વારા વિષયોનું પ્રતિપાદન છે. તેમાં મહાશ્રવ તે પ્રથમ બોલ હોવાથી ચોથો ઉદ્દેશકનું નામ મહાશ્રવ છે. (૫) રરમ:- ચરમ અને પરમ જીવોનું નિરૂપણ પ્રારંભમાં હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ ચરમ છે. (૬) રીવ - દ્વીપ-સમુદ્રનું અતિદેશાત્મક સંક્ષિપ્ત કથન હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ દ્વીપ છે. (૭) મવા :- અસુરકુમારદેવોના ભવનોની સંખ્યા વિષયક પ્રથમ પ્રશ્ન હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ ભવન છે. (૮) fuધ્વરિ:- વિવિધ નિવૃત્તિ નિષ્પતિનો મુખ્ય વિષય હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ નિવૃત્તિ છે. (૯) વરખ :- કરણ સ્વરૂપનો મુખ્ય વિષય હોવાથી નવમા ઉદ્દેશકનું નામ કરણ છે. (૧૦) વળવર સુT:-વાણવ્યતર જાતિનાદેવો સંબંધી વર્ણન હોવાથી દશમા ઉદ્દેશકનું નામ વનચર સુર છે. લેશ્યા :
२ रायगिहे जावएवं वयासी-कइणं भंते ! लेस्साओ पण्णत्ताओ?