SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫: ગોશાલક અધ્યયન | २१५ । શ્રમણ નિગ્રંથો પ્રતિ વિશેષરૂપે વિરોધી બની ગયો છે. શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું ત્યારે આનંદ સ્થવિરે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા; વંદન નમસ્કાર કરીને ગૌતમાદિ શ્રમણ નિગ્રંથો પાસે આવીને, ગૌતમાદિ શ્રમણ નિગ્રંથોને આનંદ સ્થવિરે સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું- હે આર્યો! આજે હું છઠ્ઠના પારણાના દિવસે શ્રમણભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રાવસ્તી નગરીમાં ગૌચરી માટે ગયો હતો, ઇત્યાદિ અહીં પૂર્વોક્ત સર્વ કથન સમજવું કાવત્ પ્રભુએ કહ્યું છે કે તમે ગૌતમાદિ શ્રમણ નિગ્રંથોને આ વાત કરો અને કહો કે જ્ઞાતપુત્ર ભગવાનનો સંદેશ છે કે હે આર્યો ! તમે કોઈ પણ સાધુ ગોશાલકની સાથે તેના ધર્મને પ્રતિકૂળ ધર્મચર્ચા કરશો નહીં યાવત તે શ્રમણ-નિગ્રંથો પ્રતિ વિશેષરૂપે વિરોધી બની ગયો છે. विवेयन : પ્રસ્તુત સૂત્રમાં ‘માધ્યસ્થભાવ વિપરિતવૃત્તો” વિપરીત વૃત્તિવાન જીવો પ્રતિ માધ્યસ્થભાવ ધારણ કરવો, તે સિદ્ધાંતાનુસાર પ્રભુએ અન્ય સ્થવિર મુનિઓ આદિ સમસ્ત સાધુઓને ગોશાલક સાથે વાર્તાલાપ કરવાનો તેમજ તેને ઉશ્કેરવાનો નિષેધ કર્યો છે. ગોશાલકનો પ્રભુ સમક્ષ દાંભિક પ્રલાપ: ४० जावंचणं आणंदे थेरे गोयमाईणंसमणाणं णिग्गंथाणं एयमटुंपरिकहेइ तावंचणं से गोसाले मंखलिपुत्ते हालाहलाए कुंभकारीए कुंभकारावणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता आजीवियसंघसंपरिखुडेमहया अमरिसंवहमाणे सिग्घतरिय जावसावत्थि णयरिं मज्झमज्झेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेव कोट्ठए चेइए, जेणेव समणे भगवं महावीरेतेणेव उवागच्छइ,उवागच्छित्ता समणस्स भगवओमहावीरस्स अदूरसामते ठिच्चा समणं भगवं महावीर एवं वयासी-सुठु णं आउसो कासवा ममं एवं वयासी, साहूणं आउसो कासवा ! ममं एवं वयासी- गोसाले मंखलिपुत्ते ममं धम्मंतेवासी, गोसाले मंखलिपुत्ते ममं धम्मंतेवासी। जेणंसेमखलिपुत्तेतव धम्मतेवासी सेणंसुक्केसुक्काभिजाइए भवित्ता कालमासे कालं किच्चा अण्णयरेसुदेवलोएसुदेवत्ताए उववण्णे, अहंणं उदाइणामकुंडियायणीए, अज्जुणस्सगोयमपुत्तस्स सरीरंगविप्पजहामि, अज्जुणस्सगोयमपुत्तस्ससरीरगविप्पजहित्ता गोसालस्स मंखलिपुत्तस्स सरीरगंअणुप्पविसामि; अणुप्पविसित्ता इमंसत्तमंपउट्टपरिहारं परिहरामि । जेवि आईआउसो कासवा ! अम्हं समयसि केइ सिझिसुवा सिझंति वा सिज्झिस्संति वा सव्वेते चउरासीइं महाकप्पसयसहस्साई, सत्त दिव्वे, सत्त संजूहे, सत्त सण्णिगब्भे, सत्त पउट्टपरिहारे, पंच कम्माणि सयसहस्साइंसटुिं च सहस्साइंछच्चसए तिण्णि य कम्मसे अणुपुव्वेणं खवइत्ता तओ पच्छा सिझंति, बुज्झति, मुच्चंति, परिणिव्वायंति, सव्वदुक्खाणमंतं करेंसुवा करेति वा करिस्सति वा । ભાવાર્થ :- આનંદ સ્થવિર ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને ભગવાનનો સંદેશ કહી રહ્યા હતા ત્યાં જ
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy