SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭ : ઉદ્દેશક-૮ ૩૯૧] (૮) લોભ સંશા - લોભના ઉદયથી સચિત્ત-અચિત્ત પદાર્થ પ્રાપ્તિની લાલસા. (૯) ઓઘ સંશા - અસ્પષ્ટ ઈચ્છા અને ધૂનમાં ને ધૂનમાં ઉપયોગ વિનાની પ્રવૃત્તિ કરવી. (૧૦) લોક સંશા - લોકરૂઢિ અથવા લોકદષ્ટિ અનુસાર પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થવી. આ દસે સંજ્ઞાઓ જૂનાધિકરૂપે સર્વ છદ્મસ્થ સંસારી જીવોમાં પ્રાપ્ત થાય છે. નૈરયિકની દશ પ્રકારની વેદના :| ५ रइया दसविहं वेयणं पच्चणुभवमाणा विहरति, तं जहा- सीयं, ૩ાિં , રઘુદ્ધ, ઉપવાસ, હું, પરડ્યું, ગાં, રાઇ, મય, તો ! ભાવાર્થ – નૈરયિક જીવ દસ પ્રકારની વેદનાનો અનુભવ કરતા રહે છે, તે આ પ્રમાણે છે– (૧) શીત (૨) ઉષ્ણ (૩) ક્ષુધા (૪) પિપાસા (૫) ખુજલી (૬) પરાધીનતા (૭) જ્વર(તાવ) (૮) દાહ (૯) ભય (૧૦) શોક. વિવેચન : સૂત્રોક્ત દશ પ્રકારની વેદના ક્ષેત્ર વેદના કહેવાય છે. તે સિવાય નૈરયિકોને દેવકૃત વેદના અને પરસ્પરકૃત વેદના પણ હોય છે. હાથી અને કુંથવાની ક્રિયામાં સમાનતા : ६ से णूणं भंते ! हत्थिस्स य कुंथुस्स य समा चेव अपच्चक्खाणकिरिया कज्जइ ? हंता गोयमा ! हथिस्स य कुंथुस्स य जाव कज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું હાથી અને કુંથુવાને અપ્રત્યાખ્યાન ક્રિયા સમાનરૂપે લાગે છે ? ઉત્તર- હા, ગૌતમ ! હાથી અને કુંથુવાને સમાનરૂપે અપ્રત્યાખ્યાન ક્રિયા લાગે છે. ७ से केण?णं भंते ! एवं वुच्चइ जाव कज्जइ ? गोयमा ! अविरई पडुच्च । से तेणटेणं जाव कज्जइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે હાથી અને કુંથુવાને સમાનરૂપે અપ્રત્યાખ્યાન ક્રિયા લાગે છે? ઉત્તર– હે ગૌતમ!હાથી અને કુંથુવામાં અવિરતપણું સમાન છે; માટે બંને જીવની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન છે.
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy