________________
૩૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
યોનિ કહે છે. અનેકનું કથન એક શબ્દ દ્વારા કરાય તેને સંગ્રહ કરે છે; ખેચર તિર્યંચ પંચેન્દ્રિય અનેક હોવા છતાં પણ ત્રણ પ્રકારના યોનિસંગ્રહ દ્વારા તેનું કથન કરાય છે. અંડજ - ઈંડાથી ઉત્પન્ન થનારા મોર, કબૂતર, હંસાદિ. પોતજ -કરાયુવિના જ ચર્મથી આવૃત્ત કોથળી સહિત ઉત્પન્ન થાય તેને પોતજ કહે છે. વાગળું ચામાચિડિયું આદિ. મૂર્છાિમ – માતાપિતાના સંયોગ વિના ઉત્પન્ન થનારા જીવ.
અંડજ, પોતજમાં ત્રણે વેદ હોય છે. સંમૂર્છાિમમાં એક નપુંસક વેદ જ હોય છે.
ખેચર તિર્યંચ પંચેન્દ્રિયને વેશ્યા-૬ દષ્ટિ–૩, જ્ઞાન–૩, અજ્ઞાન–૩, યોગ-૩, ઉપયોગ–૨ પ્રાપ્ત થાય છે, સામાન્યતઃ તે ચારે ગતિમાંથી આવે છે અને ચાર ગતિઓમાં જાય છે. તેની સ્થિતિ જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તેમાં આહારક અને કેવળી સમુદ્દઘાત છોડીને, પાંચ સમુદ્યાત હોય છે, તેની બાર લાખ કુલકોટી(જીવોના કુલરૂપ વિભાગ) છે, તે પ્રકરણનું અંતિમ સૂત્રવિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનનું છે, તે ચારે ય વિમાનનો વિસ્તાર એટલો મોટો છે કે જો કોઈ દેવ ૮, ૫૦, ૭૪૦ – ૧૮/so(આઠ લાખ પચાસ હજાર સાતસો ચાલીસ સાધિક) યોજનનું એક ડગલું ભરતાં છ મહિના સુધી ચાલે તો પણ કોઈદેવ વિમાનનો અંત પ્રાપ્ત કરે અને કોઈ દેવ વિમાનનો અંત પ્રાપ્ત ન કરે. તેનું વિસ્તૃત વર્ણન જીવાજીવાભિગમ સૂત્રથી જાણી લેવું જોઈએ.
છે શતક ૯/પ સંપૂર્ણ