________________
૩૫૦ |
શ્રી ભગવતી સત્ર-૨
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોએ જે કર્મોનું વેદન કર્યું, શું તેની નિર્જરા કરી હતી ?
ઉત્તર- હે ગૌતમ! જેમ ઓધિક જીવોના વિષયમાં કહ્યું તેમ નૈરયિકોના વિષયમાં જાણવું. આ રીતે વૈમાનિક પર્યત ૨૪ દંડકમાં કથન કરવું જોઈએ. १६ से णूणं भंते ! जं वेदेति तं णिज्जरेंति; जं णिज्जरेंति तं वेदेति ?
गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું જે કર્મનું વેદન કરે છે, તેની નિર્જરા કરે છે અને જેની નિર્જરા કરે છે, તેનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. १७ सेकेणटेणं भंते ! एवं वुच्चइ जाव णो तं वेदेति ?
गोयमा ! कम्मं वेदेति, णोकम्मं णिज्जरेंति; से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ जाव णो तं वेदेति । एवं णेरइया वि जाव वेमाणिया । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જેનું વેદન કરે છે, તેની નિર્જરા કરતા નથી અને જેની નિર્જરા કરે છે, તેનું વેદન કરતા નથી?
ઉત્તર- હે ગૌતમ ! કર્મનું વેદન કરે છે અને નોકર્મની નિર્જરા કરે છે, તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહેવાય છે કે જેની નિર્જરા કરે છે, તેનું વેદન કરતા નથી.
આ જ રીતે નૈરયિકોથી વૈમાનિકો પર્યત ૨૪ દંડકોમાં કથન કરવું જોઈએ. |१८ से णूणं भंते ! वेदिस्संतितंणिज्जरिस्संति, जंणिज्जरिस्सति तं वेदिस्संति?
गोयमा ! णो इणद्वे समढे । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શું જે કર્મોનું વેદન કરશે, તેની નિર્જરા કરશે અને જે કર્મની નિર્જરા કરશે તેનું વેદન કરશે?
ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. १९ से केणटेणं जाव णो तं वेदिस्संति ?
__ गोयमा ! कम्मं वेदिस्संति, णोकम्मं णिज्जरिस्संति; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ जाव णो णिज्जरिस्संति । एवं णेरइया वि जाव वेमाणिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જેની નિર્જરા કરશે તેનું વેદન કરશે નહીં?